Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Success Story

ભાવનગરના નરવણસિંહ ગોહિલે 15 વીઘામાં કરી પ્રાકૃતિક ખેતી, હવે કરે છે લાખો રૂપિયાની કમાણી

આપણો ભારત દેશ ખેતીપ્રધાન દેશ ગણવામાં આવે છે અને જેમાં ગુજરાતની અંદર ખેડૂતો હવે અવનવી ખેતી અને પ્રાકૃતિક ખેતી ની સાથે પ્રાયોગિક ધોરણે અને નફાકારક ખેતી કરી રહ્યા છે મોટાભાગના ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતી અપનાવી અને લાખો રૂપિયાની આવક કરવામાં આવી રહી છે

KJ Staff
KJ Staff
Narvansingh Gohil
Narvansingh Gohil

આજે જેસર પાસે આવેલા શેરડી વગર ગામના ખેડૂતો દ્વારા 15 વીઘા જમીન ની અંદર 30 થી વધુ શાકભાજીનું ઉત્પાદન મેળવવી અને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે સાથે જ મોટી સંખ્યામાં ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને પ્રાકૃતિક ખેતી અપનાવી અને લાખો રૂપિયાની કમાણી  કરે છે.

ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના  શેરડી વદર ગામના નરવણસિંહ ગોહિલે 15 વીઘા માં પ્રાકૃતિક ખેતી કરી લાખો રૂપિયાની કમાણી કરી છે લાલ કેળા નું ઉત્પાદન મેળવ્યું છે.

આ પણ વાંચો:ડુંગળીના પાકની વાવેતર અને સિંચાઈ પદ્ધતિ અંગે જાણો, ખેતી માટે ઉપયોગી બનશે આ માહિતી

Narvansingh Gohil
Narvansingh Gohil

નરવણસિંહ ગોહિલે આઠ ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને અલગ અલગ વિસ્તારોની અંદર પ્રાકૃતિક ખેતી અને બાગાયતી ખેતી વિશેની માહિતી લીધી છે ત્યારબાદ 15 વીઘા જમીનની અંદર 30થી વધુ પ્રકારના શાકભાજીનું વાવેતર કરાયું છે લાલ કેળા એલચી કેળા તેમજ અન્ય કેળાની આઠ વેરાઈટી નું વાવેતર કરી લાખો રૂપિયાની કમાણી કરી છે

Narvansingh Gohil
Narvansingh Gohil

નરવણસિંહ ગોહિલ ને  વિવિધ એવોર્ડ પણ આપવામાં આવ્યા છે સાથે આત્મા પ્રોજેક્ટ દ્વારા તેમજ અન્ય બાગાયત વિભાગ દ્વારા અનેક એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે સો ટકા પ્રાકૃતિક ખેતી નરવણસિંહ કરી રહ્યા છે તેમની સાથે જ પોતાના પરિવારના અન્ય છ વ્યક્તિઓ આ પ્રાકૃતિક ખેતીમાં જોડાયા છે

Share your comments

Subscribe Magazine

More on Success Story

More