Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

IFFCO-MC દ્વારા નેનો યુરિયા તાલીમ

IFFCO-MC દ્વારા નેનો યુરિયાની તાલીમ - IFFCO-MC તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર રાયસેનના સંયુક્ત નેજા હેઠળ ગામ બાનખેડી જિલ્લા રાયસેન ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દ્વારા IFFCO કલોલ યુનિટ ખાતે વિશ્વના પ્રથમ નેનો યુરિયા પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે કિસાન સભાનુ આયોજન કરવામાં આવ્યુ.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
iffco nano urea
iffco nano urea

આ કાર્યક્રમમાં IFFCO-MC ભોપાલ તરફથી શ્રી વિજય કુમાર દ્રિવેદી, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. સ્વપ્નિલ દુબે, ડૉ. પ્રદીપ કુમાર દ્વિવેદી, ડૉ. મુકુલ કુમાર, ડૉ. અંશુમન ગુપ્તા, શ્રી રણજીત સિંહ રાઘવ ઉપસ્થિત રહ્યા હતા.

ભારત ખાતરની બાબતે વિશ્વનો સૌથી મોટો ગ્રાહક છે.

આ પ્રસંગે IFFCO કલોલ યુનિટ ખાતે આયોજિત કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ ખેડૂતોને લાઈવ બતાવવામાં આવ્યું હતું. જેનુ સંબોધન કરતા  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ નેનો ટેકનોલોજી સાથે આપણે આત્મનિર્ભરતા તરફ જે પગલું ભર્યું છે તે કેટલું મહત્વનું છે તે દરેક દેશવાસીએ સમજવું જોઈએ.  ભારત ખાતરની બાબતે વિશ્વનો સૌથી મોટો ગ્રાહક છે, પરંતુ ઉત્પાદનની દ્રષ્ટિએ ભારત ત્રીજા નંબર પર છે. ભવિષ્યમાં, નેનો યુરિયા ઉપરાંત, અન્ય નેનો ખાતરો પણ આપણા ખેડૂતોને ઉપલબ્ધ થઈ શકે છે. આ સાથે જ આપણે કુદરતી ખેતી તરફ પણ જવું પડશે.

આ પણ વાંચો:ટામેટાની કમાણીથી ખુશ થઈને ખેડૂતે કાઢ્યું સરઘસ... એક લાખ ખર્ચ કરી કમાયા સાત લાખ

IFFCO નેનો યુરિયા ખેડૂતોની આવક વધારવામાં મદદરૂપ છે.

IFFCO-MC ભોપાલના શ્રી દ્વિવેદીએ નેનો યુરિયાના ઉપયોગ અને ફાયદા વિશે વિગતવાર માહિતી આપી હતી અને ખેડૂતોને જણાવ્યું હતું કે IFFCO નેનો યુરિયા ખેડૂતોની આવક વધારવામાં મદદરૂપ છે અને પરંપરાગત યુરિયા કરતાં લગભગ 10 ટકા સસ્તું છે. તેના ઉપયોગથી જમીનની જૈવિક ગુણવત્તા સુધરે છે. પાકની ઉત્પાદકતામાં વધારો થાય છે. ઉત્પાદનની ગુણવત્તામાં વધારો કરે છે, જે પર્યાવરણને અનુકૂળ છે. હવે 1 બોરી પરંપરાગત યુરિયાની બદલે નેનો યુરિયાની અડધી લીટર બોટલ પૂરતી છે, તેમાંથી 4 મિલીલીટર માત્રા 1 લિટર પાણીમાં ઓગાળીને પાંદડા પર પ્રતિ એકર 125 લિટર પાણીનો છંટકાવ કરો.

વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. દુબેએ ખરીફ પાકો અંગે સમકાલીન સલાહ અને ડાંગરની સુધારેલી જાતો અને અદ્યતન ટેકનોલોજી સંબંધિત માહિતી આપી હતી. ખરીફ પાકની વાવણી માટે સંતુલિત માત્રામાં ખાતરનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી હતી.

આ પણ વાંચો:જીલ્લામાં નિયંત્રણ રેખા પર શાંતિના કારણે ઢોલના તાલે ડાંગરની રોપણી કરી રહ્યા ખેડૂતો

Share your comments

Subscribe Magazine

More on News

More