Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

MFOI, VVIF ખેડૂત ભારત યાત્રાએ જામખંભાળિયાના ખેડૂતોની સમસ્યા ઉપર તેમના સાથે કરી વાતચીત

કૃષિ જાગરણ તેની નવીન પહેલ દ્વારા ભારતીય કૃષિમાં ક્રાંતિ કરવાનું ચાલુ રાખે છે. મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત તેના 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ'ની શાનદાર સફળતા બાદ, સંસ્થાએ 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા' શરૂ કરી છે, જે સમગ્ર દેશમાં ખેડૂતોને સશક્તિકરણ કરવાના હેતુથી પરિવર્તનકારી રોડ શો છે. હવે તે યાત્રા આપણા ગુજરાત પહોંચી ગઈ છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
જામખંભાળિયામાં પાણની અછતથી ખેડૂતોએ મુંઝાવણમાં
જામખંભાળિયામાં પાણની અછતથી ખેડૂતોએ મુંઝાવણમાં

કૃષિ જાગરણ તેની નવીન પહેલ દ્વારા ભારતીય કૃષિમાં ક્રાંતિ કરવાનું ચાલુ રાખે છે. મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત તેના 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ'ની શાનદાર સફળતા બાદ, સંસ્થાએ 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા' શરૂ કરી છે, જે સમગ્ર દેશમાં ખેડૂતોને સશક્તિકરણ કરવાના હેતુથી પરિવર્તનકારી રોડ શો છે. હવે તે યાત્રા આપણા ગુજરાત પહોંચી ગઈ છે.

ખેડૂત ભારત યાત્રા ગુજરાતમાં પોતાની યાત્રા ગુરૂવારે 11 એપ્રિલથી શરૂ કરી હતી. જો કે 29 મે સુધી સમગ્ર ગુજરાતમાં ફરીને રાજ્યના કૃષિ વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરશે અને ખેતીમાં આપણે કેવી રીતે પરિવર્તન કરીને તેને એક સારા રોજગારની તક તરીકે ઉભા કરી શકીએ છીએ તેના વિશે પર ચર્ચા કરશે. તેના સાથે જ રાજ્યના ખેડૂતો સાથે પણ વાતચીત કરીને તેઓની સમસ્યાઓના ઉકેળ કાઢશે. તેમ જ આ યાત્રા દરમિયાન ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત પણ કરવામાં આવશે

શું છે દેવભૂમિ દ્વારકાના ખેડૂતોની સમસ્યા

કૃષિ જાગરણ દ્વારા આયોજિત એમએફઓઆઈ,વીવીઆઈએફ ખેડૂત ભારત યાત્રા ખેડૂતોની સમસ્યાઓ જાણવા માટે અને તેમનો ઉકેળ શોધવા માટે ગુજરાતના ખુણે-ખુણે ફરી રહી છે. એજ સંદર્ભમાં ખેડૂત ભારત યાત્રા આવી પહોંચી દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા ખાતે આવેલ કુંવાડિયા ગામે. બુધવારે 24 એપ્રિલના રોજ કુંવાડિયા ગામના પ્રગતિશીલ ખેડૂત હમીરભાઈ ભાટિયા દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. આ દરમિયાન મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની સમસ્યાઓ વિશે અમારા રિપોર્ટર હર્ષભાઈ જીતેન્દ્રભાઈ રાઠોડ સાથે વાતચીત કરી હતી. ખેડૂતોએ જણાવ્યું હતું કે તેમના ગામમાં ઘણા સમયથી પાણીની અછત સર્જાઈ રહી છે. જેના કારણે તલના પાકમાં સુકારો રોગ આવતા પાકનું બગાડ થઈ રહ્યું છે. પાણીની અછતના કારણે સમય પર પિચત નથી કરવાના કારણે તલના પાક સુકાઈ રહ્યું છે, જેથી અમને મોટા પાચે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વધુ માહિતી માટે તમે આ લિંક ઉપર ક્લિક કરી શકો છો. https://fb.watch/rFSERY8IhS/  આ ઉપરાંત ખેડૂતોને #MFOI, #VVIF મિલેનીયોર ફાર્મર ઓફ ઇન્ડિયા વિશે સંપૂર્ણ માહિતી પણ આપવામાં આવી હતી. 

ખેડૂતોની ફરિયાદ પર વધારવામાં આવ્યું યાત્રાનું સમય

તમને જણાવી દઈએ કે ખેડૂતોની માંગણીને જોતા એમએફઓઆઈ, વીવઆઈએફ ખેડૂત ભારત યાત્રાના સમયને ગુજરાતમાં વધારી દેવામાં આવ્યું છે. હવે ખેડૂત ભારત યાત્રા ગુજરાતમાં 25 અપ્રિલ સુધી નથી પણ 29 મે સુધી રોકાશે અને ગુજરાતના દરેક જિલ્લામાં જઈને ત્યાંના પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરશે અને તેમની અને બીજા ખેડૂતોને થઈ રહેલી કોઈ પણ પ્રકારની સમસ્યા ઉપર ચર્ચા કરશે તેમનું ઉકેલ શોધવાનું પ્રયાસ કરશે. જો તમે પણ તમારા ગામડાના પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન કરવાનું ઇચ્છો છો અને એક ખેડૂત તરીકે થઈ રહેલી કોઈ સમસ્યાનું ઉકેલ મેળવવા માંગો છો આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો (+91 93542 19049)

Share your comments

Subscribe Magazine

More on News

More