Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

રાજકોટના ગોંડલ ખાતે આવેલ ગીર ગૌ સંસ્થાનના સંસ્થાપકે કર્યો MFOI, VVIF ખેડૂત ભારત યાત્રાનું સ્વાગત

કૃષિ જાગરણ તેની નવીન પહેલ દ્વારા ભારતીય કૃષિમાં ક્રાંતિ કરવાનું ચાલુ રાખે છે. મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત તેના 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ'ની શાનદાર સફળતા બાદ, સંસ્થાએ 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા' શરૂ કરી છે, જે સમગ્ર દેશમાં ખેડૂતોને સશક્તિકરણ કરવાના હેતુથી પરિવર્તનકારી રોડ શો છે. હવે તે યાત્રા આપણા ગુજરાત પહોંચી ગઈ છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
રાજકોટના ગોંડલમાં ખેડૂત ભારત યાત્રા
રાજકોટના ગોંડલમાં ખેડૂત ભારત યાત્રા

કૃષિ જાગરણ તેની નવીન પહેલ દ્વારા ભારતીય કૃષિમાં ક્રાંતિ કરવાનું ચાલુ રાખે છે. મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત તેના 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ'ની શાનદાર સફળતા બાદ, સંસ્થાએ 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા' શરૂ કરી છે, જે સમગ્ર દેશમાં ખેડૂતોને સશક્તિકરણ કરવાના હેતુથી પરિવર્તનકારી રોડ શો છે. હવે તે યાત્રા આપણા ગુજરાત પહોંચી ગઈ છે.

ખેડૂત ભારત યાત્રા ગુજરાતમાં પોતાની યાત્રા ગુરૂવારે 11 એપ્રિલથી શરૂ કરી હતી. જો કે આગામી 15 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં ફરીને રાજ્યના કૃષિ વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરશે અને ખેતીમાં આપણે કેવી રીતે પરિવર્તન કરીને તેને એક સારા રોજગારની તક તરીકે ઉભા કરી શકીએ છીએ તેના વિશે પર ચર્ચા કરશે. તેના સાથે જ રાજ્યના ખેડૂતો સાથે પણ વાતચીત કરીને તેઓની સમસ્યાઓના ઉકેળ કાઢશે. તેમ જ આ યાત્રા દરમિયાન ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત પણ કરવામાં આવશે.

ખેડૂત ભારત યાત્રાનું રાજકોટના ગોંડલમાં થયું આગમન

કૃષિ જાગરણ દ્વારા આયોજિત એમએફઓઆઈ, વીવીઆઈએફ ખેડૂત ભારત યાત્રા ગુજરાતની યાત્રા પર સતત આગળ વધી રહી છે અને ખેડૂતોની સમસ્યાઓનું ઉકેલ શોધવાનું પ્રયાસ કરી રહી છે. એજ સંદર્ભમાં ખેડૂત ભારત યાત્રા આજે એટલે કે સોમવારે 22 એપ્રિલના રોજ આવી પહોંચી છે રાજકોટના ગોંડલ તાલુકા ખાતે આવેલ ગીર ગૌ જતન સંસ્થાનમાં. જ્યા યાત્રાનું સ્વાગત ગીર ગૌ જતન સંસ્થાનના સંસ્થાપક રમેશભાઇ તેમ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું હતું. યાત્રાના ઉદ્દેશ્ય મુજબ ખેડૂતોને થઈ રહેલી સમસ્યાઓના ઉકેલ શું થઈ શકે છે, તે વિષય ઉપર રમેશભાઇ તેમ જ બીજા પ્રગતિશીલ ખેડૂતો સાથે વાત કરીને અમારા રિપોર્ટર હર્ષભાઇ રાઠોડે વાત કરીને જાણવાનું પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત ગીર ગૌ જતન સંસ્થાનના સંસ્થાપક તેમ જ ત્યાના કર્મચારીઓ અને ખેડૂતોને #MFOI, #VVIF મિલેનીયોર ફાર્મર ઓફ ઇન્ડિયા વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.

25 એપ્રિલ સુધી ગુજરાતમાં ફરશે ખેડૂત ભારત યાત્રા

તમને જણાવી દઈએ કે એમએફઓઆઈ, વીવઆઈએફ ખેડૂત ભારત યાત્રા 25 અપ્રિલ સુધી ગુજરાતના દરેક જિલ્લામાં જઈને ત્યાંના પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરશે અને તેમની અને બીજા ખેડૂતોને થઈ રહેલી કોઈ પણ પ્રકારની સમસ્યા ઉપર ચર્ચા કરશે તેમનું ઉકેલ શોધવાનું પ્રયાસ કરશે. જો તમે પણ તમારા ગામડાના પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન કરવાનું ઇચ્છો છો અને એક ખેડૂત તરીકે થઈ રહેલી કોઈ સમસ્યાનું ઉકેલ મેળવવા માંગો છો આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો (+91 93542 19049)

Share your comments

Subscribe Magazine

More on News

More