Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ગૌ ભક્ત ભરતભાઇ પરસાણાએ કર્યો MFOI, VVIF ખેડૂત ભારત યાત્રાનું ભવ્ય સ્વાગત

કૃષિ જાગરણ તેની નવીન પહેલ દ્વારા ભારતીય કૃષિમાં ક્રાંતિ કરવાનું ચાલુ રાખે છે. મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત તેના 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ'ની શાનદાર સફળતા બાદ, સંસ્થાએ 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા' શરૂ કરી છે, જે સમગ્ર દેશમાં ખેડૂતોને સશક્તિકરણ કરવાના હેતુથી પરિવર્તનકારી રોડ શો છે. હવે તે યાત્રા આપણા ગુજરાત પહોંચી ગઈ છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ભરતભાઇ પરસાણાએ ખેડૂત ભારત યાત્રાને આવકાર્યો
ભરતભાઇ પરસાણાએ ખેડૂત ભારત યાત્રાને આવકાર્યો

કૃષિ જાગરણ તેની નવીન પહેલ દ્વારા ભારતીય કૃષિમાં ક્રાંતિ કરવાનું ચાલુ રાખે છે. મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત તેના 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ'ની શાનદાર સફળતા બાદ, સંસ્થાએ 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા' શરૂ કરી છે, જે સમગ્ર દેશમાં ખેડૂતોને સશક્તિકરણ કરવાના હેતુથી પરિવર્તનકારી રોડ શો છે. હવે તે યાત્રા આપણા ગુજરાત પહોંચી ગઈ છે.

ખેડૂત ભારત યાત્રા ગુજરાતમાં પોતાની યાત્રા ગુરૂવારે 11 એપ્રિલથી શરૂ કરી હતી. જો કે આગામી 15 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં ફરીને રાજ્યના કૃષિ વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરશે અને ખેતીમાં આપણે કેવી રીતે પરિવર્તન કરીને તેને એક સારા રોજગારની તક તરીકે ઉભા કરી શકીએ છીએ તેના વિશે પર ચર્ચા કરશે. તેના સાથે જ રાજ્યના ખેડૂતો સાથે પણ વાતચીત કરીને તેઓની સમસ્યાઓના ઉકેળ કાઢશે. તેમ જ આ યાત્રા દરમિયાન ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત પણ કરવામાં આવશે.

રાજકોટના માવડી ગામે ખેડૂત ભારત યાત્રાનું થયું ભવ્ય સ્વાગત

કૃષિ જાગરણ દ્વારા આયોજિત એમએફઓઆઈ, વીવીઆઈએફ ખેડૂત ભારત યાત્રા સતત ગુજરાતના પ્રવાસ પર આગળ વધી રહી છે અને ખેડૂતો માટે કામ કરનાર લોકો અને પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન કરી રહી છે. એજ સંદર્ભમાં રવિવારે 21 એપ્રિલના રોજ ખેડૂત ભારત યાત્રા રાજકોટના માવડી ગામે પહોંચી. જ્યાં ગુજરાતના પનોતા પુત્ર અને ગુજરાતના ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધારવા માટે સતત કામ કરી રહેલા પુષ્પવાટિકા ફાર્મ અને પ્રશાંત કાસ્ટિંગ કંપનીના ફાઉંન્ડર તથા ગૌ ભક્ત ભરતભાઇ પરસાણાએ ખેડૂત ભારત યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યો.ત્યાં ખેડૂતોની સમસ્યાનું ઉકેલ શું છે અને ગુજરાતના ખેડૂતોએ ગાય આધારિત ખેતી કરીને કેવી રીતે પોતાની આવકમાં વધારો કરી શકે છે, તેના વિષય પર ગૌ ભક્ત ભરતભાઇ પરસાણા સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, ખેડૂતોને #MFOI, #VVIF મિલેનીયોર ફાર્મર ઓફ ઇન્ડિયા વિશે સંપૂર્ણ માહિતી પણ આપવામાં આવી હતી.

25 એપ્રિલ સુધી ગુજરાતમાં ફરશે ખેડૂત ભારત યાત્રા

તમને જણાવી દઈએ કે એમએફઓઆઈ, વીવઆઈએફ ખેડૂત ભારત યાત્રા 25 અપ્રિલ સુધી ગુજરાતના દરેક જિલ્લામાં જઈને ત્યાંના પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરશે અને તેમની અને બીજા ખેડૂતોને થઈ રહેલી કોઈ પણ પ્રકારની સમસ્યા ઉપર ચર્ચા કરશે તેમનું ઉકેલ શોધવાનું પ્રયાસ કરશે. જો તમે પણ તમારા ગામડાના પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન કરવાનું ઇચ્છો છો અને એક ખેડૂત તરીકે થઈ રહેલી કોઈ સમસ્યાનું ઉકેલ મેળવવા માંગો છો આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો (+91 93542 19049)

Share your comments

Subscribe Magazine

More on News

More