Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

MFOI VVIF ખેડૂત ભારત યાત્રા પહોંચી જામનગર, ખેડૂતોમાં જોવા મળી સરકાર પ્રત્યે નારજગી

કૃષિ જાગરણ તેની નવીન પહેલ દ્વારા ભારતીય કૃષિમાં ક્રાંતિ કરવાનું ચાલુ રાખે છે. મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત તેના 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ'ની શાનદાર સફળતા બાદ, સંસ્થાએ 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા' શરૂ કરી છે, જે સમગ્ર દેશમાં ખેડૂતોને સશક્તિકરણ કરવાના હેતુથી પરિવર્તનકારી રોડ શો છે. હવે તે યાત્રા આપણા ગુજરાત પહોંચી ગઈ છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ખેડૂત ભારત યાત્રા પહોંચી જામનગર
ખેડૂત ભારત યાત્રા પહોંચી જામનગર

કૃષિ જાગરણ તેની નવીન પહેલ દ્વારા ભારતીય કૃષિમાં ક્રાંતિ કરવાનું ચાલુ રાખે છે. મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત તેના 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ'ની શાનદાર સફળતા બાદ, સંસ્થાએ 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા' શરૂ કરી છે, જે સમગ્ર દેશમાં ખેડૂતોને સશક્તિકરણ કરવાના હેતુથી પરિવર્તનકારી રોડ શો છે. હવે તે યાત્રા આપણા ગુજરાત પહોંચી ગઈ છે.

ખેડૂત ભારત યાત્રા ગુજરાતમાં પોતાની યાત્રા ગુરૂવારે 11 એપ્રિલથી શરૂ કરી હતી. જો કે 29 મે સુધી સમગ્ર ગુજરાતમાં ફરીને રાજ્યના કૃષિ વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરશે અને ખેતીમાં આપણે કેવી રીતે પરિવર્તન કરીને તેને એક સારા રોજગારની તક તરીકે ઉભા કરી શકીએ છીએ તેના વિશે પર ચર્ચા કરશે. તેના સાથે જ રાજ્યના ખેડૂતો સાથે પણ વાતચીત કરીને તેઓની સમસ્યાઓના ઉકેળ કાઢશે. તેમ જ આ યાત્રા દરમિયાન ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત પણ કરવામાં આવશે

લીંબુડામાં કરવામાં આવી ઓર્ગેનિક ખેતી ઉપર ચર્ચા

કૃષિ જાગરણ દ્વારા આયોજિત એમએફઓઆઈ, વીવીઆઈએફ ખેડૂત ભારત યાત્રા ગુજરાતની પોતાની યાત્રા પર સતત આગાળ વળી રહી છે. એજ સંદર્ભમાં આજે એટલે કે ગુરુવારે 25 એપ્રિલના રોજ ખેડૂત ભારત યાત્રા જામનગર જિલ્લાના લીંબુડા તાલુકા ખાતે આવેલ જોડિયા ગામે પહોંચી હતી. જ્યાં જોડિયા ગામમાં સ્થિત એફપીઓના ડિરેક્ટર પ્રવીણ મરવાણીયા અને પ્રગતિશીલ ખેડૂત રમેશભાઈ દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં ખેડૂતો અને એફપીઓના કર્મચારિઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમના સાથે અમારા રિપોર્ટર હર્ષભાઈ જીતેન્દ્રભાઈ રાઠોડે ઓર્ગેનિક ખેતી અને ગાય આધારિત ખેતીથી થતા ફાયદા ઉપર ચર્ચા કરી હતી, તેમ જ પ્રગતિશીલ ખેડૂત રમેશભાઈના ખેતરની મુલાકાત પણ લેવામાં આવી હતી. જો કે તમે આ લિંક ઉપર ક્લિક કરીને જોઈ શકો છો. https://fb.watch/rFPoCLuvoV/ આ ઉપારાંત ખેડૂતો અને એફપીઓના કર્મચારિઓ અને ખેડૂતોને #MFOI, #VVIF મિલેનીયોર ફાર્મર ઓફ ઇન્ડિયા વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. વધુ માહિતી માટે જણાવી દઈએ કે ત્યાંના ખેડૂતોને પોતાના પાક વેચવા માટે સમસ્યા થઈ રહી છે, જેના કારણે લોકસભાની ચૂંટણી દરમિયાન ગુજરાત સરકાર સામે ત્યાંના ખેડૂતોમાં નારજગી જોવા મળી રહી છે. https://fb.watch/rFPuGYTcfn/

ખેડૂતોની ફરિયાદ પર વધારવામાં આવ્યું યાત્રાનું સમય

તમને જણાવી દઈએ કે ખેડૂતોની માંગણીને જોતા એમએફઓઆઈ, વીવઆઈએફ ખેડૂત ભારત યાત્રાના સમયને ગુજરાતમાં વધારી દેવામાં આવ્યું છે. હવે ખેડૂત ભારત યાત્રા ગુજરાતમાં 25 અપ્રિલ સુધી નથી પણ 29 મે સુધી રોકાશે અને ગુજરાતના દરેક જિલ્લામાં જઈને ત્યાંના પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરશે અને તેમની અને બીજા ખેડૂતોને થઈ રહેલી કોઈ પણ પ્રકારની સમસ્યા ઉપર ચર્ચા કરશે તેમનું ઉકેલ શોધવાનું પ્રયાસ કરશે. જો તમે પણ તમારા ગામડાના પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન કરવાનું ઇચ્છો છો અને એક ખેડૂત તરીકે થઈ રહેલી કોઈ સમસ્યાનું ઉકેલ મેળવવા માંગો છો આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો (+91 93542 19049)

 

Share your comments

Subscribe Magazine

More on News

More