Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

MFOI VVIF ખેડૂત ભારત યાત્રા: પાટનગર ગાંધીનગરના પ્રગતિશીલ ખેડૂત પ્રકાશભાઈ સાથે ખાસ મુલાકાત

કૃષિ જાગરણ તેની નવીન પહેલ દ્વારા ભારતીય કૃષિમાં ક્રાંતિ કરવાનું ચાલુ રાખે છે. મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત તેના 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ'ની શાનદાર સફળતા બાદ, સંસ્થાએ 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા' શરૂ કરી છે

Amansinh Jadeja
Amansinh Jadeja
જોગમાયા ફાર્મર પ્રોડ્યૂસર કંપની
જોગમાયા ફાર્મર પ્રોડ્યૂસર કંપની

કૃષિ જાગરણ તેની નવીન પહેલ દ્વારા ભારતીય કૃષિમાં ક્રાંતિ કરવાનું ચાલુ રાખે છે. મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત તેના 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ'ની શાનદાર સફળતા બાદ, સંસ્થાએ 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા' શરૂ કરી છે, જે સમગ્ર દેશમાં ખેડૂતોને સશક્તિકરણ કરવાના હેતુથી પરિવર્તનકારી રોડ શો છે. હવે તે યાત્રા આપણા ગુજરાત પહોંચી ગઈ છે.

ખેડૂત ભારત યાત્રા ગુજરાતમાં પોતાની યાત્રા ગુરૂવારે 11 એપ્રિલથી શરૂ કરી હતી. જો કે 29 મે સુધી સમગ્ર ગુજરાતમાં ફરીને રાજ્યના કૃષિ વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરશે અને ખેતીમાં આપણે કેવી રીતે પરિવર્તન કરીને તેને એક સારા રોજગારની તક તરીકે ઉભા કરી શકીએ છીએ તેના વિશે પર ચર્ચા કરશે. તેના સાથે જ રાજ્યના ખેડૂતો સાથે પણ વાતચીત કરીને તેઓની સમસ્યાઓના ઉકેળ કાઢશે. તેમ જ આ યાત્રા દરમિયાન ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત પણ કરવામાં આવશે

કૃષિ જાગરણ અને મહિન્દ્રા ટ્રેક્ટર્સ દ્વારા આયોજિત એમએફઓઆઈ,વીવીઆઈએફ ખેડૂત ભારત યાત્રા સતત ગુજરાતના ખુણે-ખુણે ફરીને રાજ્યના દરેક ગામમાં જઈને ત્યાનાં પ્રગતિશીલ ખેડૂતો સાથે ભેટ કરી રહી છે અને તેમને તેમના કાર્ય બદલ સન્માનિત પણ કરી રહી છે.એજ સંદર્ભમાં ખેડૂત ભારત યાત્રા રાજ્યના પાટનગર તેમ જ જિલ્લા ગાંધીનગર ખાતે આવેલ માણસા ગામ ખાતે આજે એટલે કે ગુરૂવારે 02 મેના રોજ પહોંચી હતી. જ્યાં યાત્રાનું ભવ્ય સ્વાગત પ્રગતિશીલ ખેડૂત પ્રકાશભાઈ પટેલ તેમજ તેમના દ્વારા ઘડવામાં આવેલ જોગમાયા ફાર્મર પ્રોડ્યૂસર કંપની (એફપીઓ) ના કર્મચારિઓ તેમ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા હતા. આ દરમિયાન અમારી ટીમે પ્રકાશભાઈ પટેલ સાથે ખાસ વાતચીત પણ કરી હતી અને તેમના એફપીઓની કામગીરી વિશે માહિતી મેળવવાનું પ્રયાસ કર્યો હતો. જો કે તમે આ લિંક ઉપર ક્લિક કરીને જોઈ શકો છો. https://fb.watch/rO_cDUZq7f/

આ ઉપરાંત ત્યાં ભેગા થયેલ દરેક ખેડૂતને દિલ્લીમાં 1 થી 3 ડિસેમ્બર 2024 સુધી મહિન્દ્રા ટ્રેકટર્સ દ્વારા યોજનાર #MFOI, #VVIF મિલેનીયોર ફાર્મર ઓફ ઇન્ડિયા વિશે પર પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. વધુ માહિતી માટે જણાવી દઈએ આ દરમિયાન માણસાની એપીએમસી માર્કેટમાં ગ્રાંઉડ રિપોર્ટીંગ દરમિયાન એપીએમસીના સરપંચ ગીરીશભાઈ તેમ જ એપીએમસી પ્રમુખ સોમાભાઈ પણ વાતચીત કરવામાં આવી હતી, જો કે તમે આ લિંક ઉફર ક્લિક કરીને જોઈ શકો છો. https://fb.watch/rO_qUXhTAv/

ખેડૂતોની ફરિયાદ પર વધારવામાં આવ્યું યાત્રાનું સમય

તમને જણાવી દઈએ કે ખેડૂતોની માંગણીને જોતા એમએફઓઆઈ, વીવઆઈએફ ખેડૂત ભારત યાત્રાના સમયને ગુજરાતમાં વધારી દેવામાં આવ્યું છે. હવે ખેડૂત ભારત યાત્રા ગુજરાતમાં 25 અપ્રિલ સુધી નથી પણ 29 મે સુધી રોકાશે અને ગુજરાતના દરેક જિલ્લામાં જઈને ત્યાંના પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરશે અને તેમની અને બીજા ખેડૂતોને થઈ રહેલી કોઈ પણ પ્રકારની સમસ્યા ઉપર ચર્ચા કરશે તેમનું ઉકેલ શોધવાનું પ્રયાસ કરશે. જો તમે પણ તમારા ગામડાના પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન કરવાનું ઇચ્છો છો અને એક ખેડૂત તરીકે થઈ રહેલી કોઈ સમસ્યાનું ઉકેલ મેળવવા માંગો છો આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો (+91 93542 19049).

Share your comments

Subscribe Magazine

More on News

More