Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા: વિજાપુર ફાર્મર પ્રોડ્યૂસર કંપની દ્વારા કરવામાં આવ્યો ભવ્ય સ્વાગત

કૃષિ જાગરણ તેની નવીન પહેલ દ્વારા ભારતીય કૃષિમાં ક્રાંતિ કરવાનું ચાલુ રાખે છે. મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત તેના 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ'ની શાનદાર સફળતા બાદ, સંસ્થાએ 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા' શરૂ કરી છે,

Amansinh Jadeja
Amansinh Jadeja
વિજાાપુર ફાર્મંર પ્રોડ્યૂસર કંપની
વિજાાપુર ફાર્મંર પ્રોડ્યૂસર કંપની

કૃષિ જાગરણ તેની નવીન પહેલ દ્વારા ભારતીય કૃષિમાં ક્રાંતિ કરવાનું ચાલુ રાખે છે. મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત તેના 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ'ની શાનદાર સફળતા બાદ, સંસ્થાએ 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા' શરૂ કરી છે, જે સમગ્ર દેશમાં ખેડૂતોને સશક્તિકરણ કરવાના હેતુથી પરિવર્તનકારી રોડ શો છે. હવે તે યાત્રા આપણા ગુજરાત પહોંચી ગઈ છે.

ખેડૂત ભારત યાત્રા ગુજરાતમાં પોતાની યાત્રા ગુરૂવારે 11 એપ્રિલથી શરૂ કરી હતી. જો કે 29 મે સુધી સમગ્ર ગુજરાતમાં ફરીને રાજ્યના કૃષિ વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરશે અને ખેતીમાં આપણે કેવી રીતે પરિવર્તન કરીને તેને એક સારા રોજગારની તક તરીકે ઉભા કરી શકીએ છીએ તેના વિશે પર ચર્ચા કરશે. તેના સાથે જ રાજ્યના ખેડૂતો સાથે પણ વાતચીત કરીને તેઓની સમસ્યાઓના ઉકેળ કાઢશે. તેમ જ આ યાત્રા દરમિયાન ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત પણ કરવામાં આવશે.

વિજાપુર ઉત્પાદન કંપની દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત

કૃષિ જાગરણ અને મહિન્દ્રા ટ્રેક્ટર્સ દ્વારા આયોજિત એમએફઓઆઈ,વીવીઆઈએફ ખેડૂત ભારત યાત્રા સતત ગુજરાતના ખુણે-ખુણે ફરીને રાજ્યના દરેક ગામમાં જઈને ત્યાનાં પ્રગતિશીલ ખેડૂતો સાથે ભેટ કરી રહી છે અને તેમને તેમના કાર્ય બદલ સન્માનિત પણ કરી રહી છે. એજ સંદર્ભમાં ખેડૂત ભારત યાત્રા શુક્રવારે 3 મેના રોજ આવી પહોંચીલ હતી મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકા હેઠળ આવેલ ગામ મોતીપુરામાં. જ્યાં વિજાપુર ખેડૂત ઉત્પાદક કંપની લિમિટેડ નામથી સંચાલિત એફપીઓના વડા પ્રગતિશીલ ખેડૂત નિર્મલભાઈ પટેલ તેમ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ત્યાં ભેગા થયેલ દરેક ખેડૂતને મહિન્દ્રા ટ્રેક્ટર્સ દ્વારા દિલ્લીમાં એકથી ત્રણ ડિસેમ્બર સુધી યોજનાર એમએફઓઆઈ, વીવીઆઈએફ મિલેનીયોર ફાર્મર ઑફ ઇન્ડિયાને લઈને સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. https://fb.watch/rRw6CnTkAP/ 

ખેડૂતોએ જણાવી પોતાની સમસ્યા  

મોતીપુરા ગામમાં આવેલ વિજાપુર ફાર્મર પ્રોડ્યૂસર કંપની લિમિટેડ (એફપીઓ) માં ઘણા ખેડૂતોએ પોતાની સમસ્યાઓને લઈને આમારી ટીમ સાથે વાત કરી હતી. જો કે તમે આ લિંક ઉપર ક્લિક કરીને જોઈ શકો છો. બીજી બાજુ આમારા રિપોર્ટ હર્ષભાઈ જીતેન્દ્રભાઈ રાઠોડે વિજાપુર તાલુકાના મોતીપુરા ખાતે આવેલ એફપીઓની મુલકાત લઈને ત્યાં કેવી રીતે કામ થાય છે તેના વિશે ઉપર ગ્રાઉંડ રિપોર્ટિંગ કરી હતી, જો કે તમે આ લિંક થકી જોઈ શકો છો. https://fb.watch/rRw8AbM9M-/ 

ખેડૂતોની ફરિયાદ પર વધારવામાં આવ્યું યાત્રાનું સમય

તમને જણાવી દઈએ કે ખેડૂતોની માંગણીને જોતા એમએફઓઆઈ, વીવઆઈએફ ખેડૂત ભારત યાત્રાના સમયને ગુજરાતમાં વધારી દેવામાં આવ્યું છે. હવે ખેડૂત ભારત યાત્રા ગુજરાતમાં 25 અપ્રિલ સુધી નથી પણ 29 મે સુધી રોકાશે અને ગુજરાતના દરેક જિલ્લામાં જઈને ત્યાંના પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરશે અને તેમની અને બીજા ખેડૂતોને થઈ રહેલી કોઈ પણ પ્રકારની સમસ્યા ઉપર ચર્ચા કરશે તેમનું ઉકેલ શોધવાનું પ્રયાસ કરશે. જો તમે પણ તમારા ગામડાના પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન કરવાનું ઇચ્છો છો અને એક ખેડૂત તરીકે થઈ રહેલી કોઈ સમસ્યાનું ઉકેલ મેળવવા માંગો છો આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો (+91 93542 19049).

Share your comments

Subscribe Magazine

More on News

More