Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

સોયાબીન અને બાજરીના પાકની આવી રીતે વધારો ગુણવત્તા

ખરીફ પાકની વાવણીની શરૂઆત જૂન-જુલાઈમાં થઈ હતી. ખેડૂતો ત્યારે જે-જે પાકોના વાવેતર કર્યો હતો તેમના સમય જતા ખેતકામ કરવાના રહે છે. જેથી પાકોની ગુણવત્તામાં વધારો થાય અને વધુ ઉતારો મળે. આજે અમે આપણા ખેડૂત (Farmers) ભાઈઓને ખરીફ પાક સોયાબીન(Soybean) અને તલ (Sesame) બાજરી (Millet) સપ્ટેમ્બર માહમાં થવા વાળા ખેતકામની વિગતવાર માહિતી આપીશુ.

Amansinh Jadeja
Amansinh Jadeja
તલ (Sesame)
તલ (Sesame)

ખરીફ પાકની વાવણીની શરૂઆત જૂન-જુલાઈમાં થઈ હતી. ખેડૂતો ત્યારે જે-જે પાકોના વાવેતર કર્યો હતો તેમના સમય જતા ખેતકામ કરવાના રહે છે. જેથી પાકોની ગુણવત્તામાં વધારો થાય અને વધુ ઉતારો મળે. આજે અમે આપણા ખેડૂત (Farmers) ભાઈઓને ખરીફ પાક સોયાબીન(Soybean) અને તલ (Sesame) બાજરી (Millet) સપ્ટેમ્બર માહમાં થવા વાળા ખેતકામની વિગતવાર માહિતી આપીશુ.

ખરીફ પાકની વાવણીની શરૂઆત જૂન-જુલાઈમાં થઈ હતી. ખેડૂતો ત્યારે જે-જે પાકોના વાવેતર કર્યો હતો તેમના સમય જતા ખેતકામ કરવાના રહે છે. જેથી પાકોની ગુણવત્તામાં વધારો થાય અને વધુ ઉતારો મળે. આજે અમે આપણા ખેડૂત (Farmers) ભાઈઓને ખરીફ પાક સોયાબીન(Soybean) અને તલ (Sesame) બાજરી (Millet) સપ્ટેમ્બર માહમાં થવા વાળા ખેતકામની વિગતવાર માહિતી આપીશુ.

સોયાબીન (Soyabean)

સોયાબીનમાં મોલોમશીના નિયંત્રણ માટે ડાયમીથોએટ, ફોસ્ફામીડોન, મીથાઈલ ઓડીમેટોનનો છંટકાવ કરવો જોઈએ અને તેમા થતા ગર્ડલ બીટલનો રોકવા માટે ક્વીનાલફોસ 25 ઈસી 20 મિ.લી. અથવા ડાયમીથોએટ 30 ઇ.સી. 10 મિ.લી. અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ 18.5 એસ.સી. 3 મિ.લી. અથવા થાયોમીથોકઝામ 12.6 + લેમડા સાયહેલોથ્રીન 9.5 ઝેડ.સી. 4થી 5 મિ..લી. 10 લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.

લશ્કરી ઇયળના નિયંત્રણ માટે એન.પી.વી. નો છંટકાવ કરવો જોઈએ. અથવા બેસિલસ થુરેન્જીન્સીસ જીવાણુંનાં પાવડર 15 ગ્રામ અથવા બ્યુવેરીયા બાસિયાના 60 ગ્રામ 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરો.

કપાસ અને ડાંગર પાકમાં સપ્ટેમ્બરમાં થવા વાળા ખેતકામની માહિતી

તલ (Sesame)

તલમાં પાન કોકડાય જાય તે માટે પાન કથીરીના નિયંત્રણ માટે ગંધક 300 મેષ ભૂકી 5.00 કિ.લો. પ્રતિ હેક્ટરમાં છંટકાવ કરવો.

ગુચ્છપર્ણનો રોગ ચૂસિયાં પ્રકારની જીવાતથી ફેલાય છે, તેથી આ રોગના નિયંત્રણ માટે ડાયામીથોએટ 10 મિ.લી. અથવા ફોસ્ફામીડોન 10 મિ.લી. કીટક નાશક દવા 10 લીટરમાં ભેળવી 10 દિવસના અંતરે બે છંટકાવ કરવા.

પાન વળનારી અથવા માથા બાંધનારી ઇયળ માટે ક્વિનાલફોસ 20 મિ.લી. અથવા કલોપાયરીફોસ 10 મિ.લી. પૈકી કોઇ પણ એક દવા 10 લિટર પાણીમાં મેળવી પ્રથમ ફુલ બેસવાની અવસ્થાએ અને બીજો છંટકાવ 10થી 15 દિવસના અંતર છંટકાવ કરવું .

તલ પાકમાં બ્લુ કોપર હેક્ઝીક્લોરાઇડ 10 લીટરમાં 40 ગ્રામ અથવા મેન્કોઝેબ 26 ગ્રામ 10 લીટર પાણીમાં નાખી મૂળમાં ડ્રેન્ચીંગ કરવું.

બાજરી (Millet)

બાજરીમાં ડુંડા અવસ્થાએ ફુલ બેસવાના સમયે થાયરમ 20 ગ્રામ 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

સોર્સ- કૃષિ યુનિવર્સિટી

જૂનાગઢ, ગુજરાત

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More