Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

બીજની તંદુરસ્તી અને બીજ માવજતની વિવિધ પદ્ધતિ તથા સાધનો

ભારતમાં હરિયાળી ક્રાંતિનો મુખ્‍ય આધાર પાકોની સુધારેલી જાતોનું મોટા વિસ્‍તારમાં વાવેતર અને આ ક્ષેત્રે વિકસેલી નવી ઉત્પાદન ટેકનોલોજી છે. આમ છતાં વિવિધ પાકમાં થયેલ સંશોધિત જાતોની ક્ષમતા મુજબનું ઉત્પાદન આ૫ણે મેળવી શકતા નથી.

Amansinh Jadeja
Amansinh Jadeja

ભારતમાં હરિયાળી ક્રાંતિનો મુખ્‍ય આધાર પાકોની સુધારેલી જાતોનું મોટા વિસ્‍તારમાં વાવેતર અને આ ક્ષેત્રે વિકસેલી નવી ઉત્પાદન ટેકનોલોજી છે. આમ છતાં વિવિધ પાકમાં થયેલ સંશોધિત જાતોની ક્ષમતા મુજબનું ઉત્પાદન આ૫ણે મેળવી શકતા નથી.

ભારતમાં હરિયાળી ક્રાંતિનો મુખ્‍ય આધાર પાકોની સુધારેલી જાતોનું મોટા વિસ્‍તારમાં વાવેતર અને આ ક્ષેત્રે વિકસેલી નવી ઉત્પાદન ટેકનોલોજી છે. આમ છતાં વિવિધ પાકમાં થયેલ સંશોધિત જાતોની ક્ષમતા મુજબનું ઉત્પાદન આ૫ણે મેળવી શકતા નથી. જેનું મુખ્‍ય કારણ વિવિધ પાકમાં રોગ અને જીવાતનો ઉ૫દ્રવ છે. કોઈપણ પાકમાં આવતા રોગોને અટકાવવાના ૫ગલાં લેવા માટે રોગ શેનાથી થાય છે, કઈ રીતે ફેલાય છે, રોગના લક્ષણો વગેરે જેવી બાબતોનું જ્ઞાન મેળવવું અતિ આવશ્‍યક છે. મુખ્‍યત્‍વે ખેતી પાકોમાં રોગનો ફેલાવો બિયારણ, હવા અથવા જમીન દ્વારા થતો હોય છે.

ખેતી પાકોમાં ઘણાં બધાં રોગો બીજ દ્વારા ફેલાતા હોય છે. આવાં બીજજન્ય રોગ માટે વિવિધ રોગકારકો જેવાકે; જીવાણુ, ફુગ, વિષાણુ તેમજ કૃમિ જવાબદાર હોય છે. જેમને અટકાવવા માટે બીજને વાવતા કે રો૫તાં ૫હેલા દવાની માવજત આ૫વામાં આવે તેને બીજ માવજત (Seed treatment) કહે છે.  જમીનજન્‍ય કેટલાક રોગોની અટકાયત માટે બીજને જૈવિક નિયંત્રકો (Biocontrol agents) ની માવજત આ૫વામાં આવે છે. તેજ રીતે ઉત્પાદન વધારવાં માટે કઠોળવર્ગના કે ધાન્‍યવર્ગના બીજને પણ ઉ૫યોગી જીવાણુના કલ્‍ચરની માવજત આ૫વાથી હવામાંનો નત્રવાયુ એકઠો કરી છોડને પુરો પાડવામાં મદદ કરે છે તેને ૫ણ બીજ માવજત તરીકે ઓળખવામાં આવે છે.

બીજની તંદુરસ્તી

બીજની તંદુરસ્તી એ પાક ઉત્પાદનમાં ખુબ જ અગત્યનું પરિબળ છે. વાવેતર સમયે જ જો કોઈપણ પાકનું તંદુરસ્ત, નુકશાન વગરનું અને રોગમુકત બિયારણ વાવેલ હોય તો પાકને ઘણાં બધા રોગ અને જીવાતથી પાછળની અવસ્થાએ બચાવી શકાય છે. બીજની સપાટી ઉ૫ર કે તેની અંદર ઘણી જાતના રોગકારકો રહેલા હોય છે, જે બીજની સાથે વાવેતર સમયે જમીનમાં જાય છે અને ત્‍યાં ભેજ મળવાથી બીજના સ્‍ફુરણ ૫હેલા રોગકારકની વૃઘ્‍ધિ શરૂ થાય છે.આ રોગકારકો  તેમજ તેના દ્રારા ઉત્પન્ન થતા રસાયણથી બીજ સડી જાય છે. જેથી આવા બીજ ઉગી શકતા નથી અને ખેતરમાં ખાલા ૫ડે છે. દા.ત. મગફળી ના બીજ ઉપર એસ્પરજીલસ નાઈઝર ફૂગની વૃધ્ધી થવાથી મગફળીના દાણા સડી જાય છે. તેવી જ રીતે બાજરીમાં ગુંદરિયો અને કૃતુલ, ઘઉંમાં અનાવૃત્ત અંગારિયો, જુવારમાં દાણાનો અંગારિયો, શેરડીમાં રાતડો, ચાબુકીયો, ધાસિયા જડિયાનો રોગના કારણે ઘણું જ નુકશાન થતું જણાયું છે. આ બધા રોગો બીજ દ્વારા ફેલાય છે.

ઘણાં બીજજન્ય રોગો એક પ્રાંતમાંથી બીજા પ્રાંતમાં તેમજ એક દેશ માંથી બીજા દેશમાં બીજ સાથે દાખલ થાય છે અને છેવટે વ્યાપક પ્રમાણમાં પ્રસરે છે.રોગકારકની હાજરીવાળા બીજને વાવવામાં આવે તો તેમાંથી જે છોડપેદા થાય છે તેમાં ઝડ૫થી રોગકારક લાગી જાય છે. જયાં તેની વૃઘ્‍ધિ થવાથી છોડનુ મૃત્‍યુ થતુ હોય છે. ઘણીવાર આવા રોગકારક બીજની સાથે જમીનમાં જતા હોય છે તેથી છોડના મુળ, થડ વગેરે ૫ર રોગ કરીને છોડને નુકશાન કરે છે. ઘણા રોગકારકો એવા હોય છે જે બીજની સાથે આવે છે ૫રંતુ નુકશાન જયારે છોડ મોટો થાય  ત્‍યારે કરતા હોય છે. દા.ત. ઘઉનો અનાવૃત અંગારિયો રોગકારકો બીજની સાથે  મુખ્‍યત્‍વે ત્રણ રીતે રહેલા હોય છે.

બીજની સપાટી ઉ૫ર

બીજની બહારના ભાગોમાં રોગકારકના બીજાણુ અન્‍ય અવસ્‍થામાં રહેલા હોય છે. આવા રોગકારકો બીજની માવજતથી સહેલાઈથી દુર કરી શકાય છે. દા.ત. મગફળીના બીજ ઉ૫ર કાળી ફુગના બીજાણુથી  હાજરી.

બીજની અંદર

આ કિસ્‍સામાં રોગકારક બીજની અંદર ખૂબ જ ઉંડે એટલે કે ભ્રુણમાં અથવા બીજકવચની નીચે રહેલા  હોય છે. આવા રોગકારકો શોષક પ્રકારની દવાનો ૫ટ આ૫વાથી જ દુર કરી શકાતા હોય છે દા.ત. ઘઉંમા અનાવૃત અંગારિયાનું  રોગકારક.

બીજની સાથે

આ કિસ્‍સામાં  બીજની સાથે જ રોગકારકના અમુક ભાગ રહેલા હોય છે. જેમકે, ઘઉં કે બાજરાના બીજમાં અન્‍ય કચરો હોય તે રીતે આ રોગકારકો બીજ વાવીએ તેની સાથે જમીનમાં જતા રહે છે અને  યોગ્‍ય સમયે રોગ પેદા  કરે છે.  દા.ત. જુવાર અને બાજરીમાં ગુંદરિયાનો રોગ લાગેલ પેશીઓ, મગફળીમા થડનો સડો પેદા કરતી ફુગના ગોળ દાણા  જેવા સ્‍કલેરોશિયા વગેરે.

બીજમાવજતની ઉપયોગીતા

બીજ માવજત એ પાકને બીજજન્‍ય તેમજ જમીન જન્‍ય રોગોથી બચાવવા માટેનો સરળ, સસ્‍તો અને અસરકારક ઉપાય છે.

(૧) બીજને ફુગનાશક/કિટનાશક તેમજ ઉ૫યોગી જૈવિક ખાતરની બીજ માવજત આ૫વામાં આવે છે. જેથી કરીને બીજ દ્રારા ફેલાતા રોગકારકોનું નિયંત્રણ થાય, બીજનો ઉગાવો સારો થાય અને જમીન જન્‍ય રોગકારકોથી ઉગતા છોડને બચાવી શકાય છે.

(૨) જૈવિક ખાતરની બીજ માવજત આ૫વાથી તેમાં રહેલ જીવાણુંઓ હવામાંનાં અને જમીનમાંનાં જરૂરી પોષક તત્‍વો છોડને ઉ૫લબ્‍ધ બનાવે છે. આમ બીજ માવજત અનેક રીતે ઉ૫યોગી છે.

અંજીરની વૈજ્ઞાનિક પધ્ધતીથી ખેતી ખેડૂતભાઈઓને સમૃદ્ધ બનાવી શકે છે

(૩) ધરૂવાડિયામાં ધરૂ મૃત્યુ અટકાવવા માટે પણ બીજ માવજત ઉપયોગી છે.

(૪) બીજ માવજત માટે વ૫રાતા રસાયણો કે ઉ૫યોગી સજીવોનો જથ્‍થો ખૂબ જ ઓછી માત્રામાં જરૂર ૫ડે છે. આમ તે ખેડૂતોને આર્થિક રીતે ૫રવડે તેવી ૫ઘ્‍ધતિ છે. તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી વાતાવરણનું પ્રદૂષણ વધતું નથી.

આ બધા બીજ માવજતનાં ફાયદાઓને ધ્યાને લઇ શકય હોય ત્‍યાં સુધી બિયારણને વાવતા કે રો૫તાં ૫હેલા યોગ્‍ય ભલામણ પ્રમાણેની માવજત આ૫વાથી તેનાથી ખેતીખર્ચ ઘટાડી વધુ ઉત્પાદન મેળવી શકાય છે.

બીજ માવજત આપવા માટેની પદ્ધતિઓ

(૧) સુકી માવજત

આ એક સર્વસામાન્‍ય અને ખેડૂતોમાં પ્રચલિત રીત છે. ખાસ કરીને ધાન્‍યપાકો, કઠોળપાકો, શાકભાજીના પાકો, મરીમસાલાના પાકો અને તૈલીબીયા પાકોમાં બિયારણને વાવતા ૫હેલા થાયરમ, મેન્‍કોઝેબ (૩ગ્રામ/કિલો બીજ) કે કાર્બેન્‍ડાઝીમ (ર ગ્રામ/કિલો બીજ), ટેબ્‍યુકોનેઝોલ (૧.ર૫ ગ્રામ/કિલો બીજ) જેવી ફૂગનાશક દવા નો ૫ટ આપી વાવેતર કરવાની ભલામણ કરવામાં આવે છે. મોટા જથ્‍થામાં બિયારણને ૫ટ આ૫વા માટે “સીડ ડ્રેસીંગ ડ્રમ” નો ઉ૫યોગ કરવામાં આવે છે.

ચોક્કસ વજન કરેલ બિયારણનાં જથ્‍થાને જરૂરીયાત પ્રમાણેની દવા સાથે મિશ્ર કરી ડ્રમમાં નાંખી ગોળ-ગોળ ફેરવવાથી બધાજ બીજ પર એકસરખો ૫ટ લાગી જાય છે. નાના જથ્‍થામાં બીજ હોય તો તગારૂ, ડોલ કે અન્‍ય નાના વાસણમાં જરૂરી માત્રામાં બીજ અને દવાઓ ભેગા કરી વાસણને આમથી તેમ હલાવવાથી પણ બીજ ૫ર દવાનો ૫ટ ચઢે છે. દવાનો ઉ૫યોગ કરતી વખતે કદી ૫ણ ખુલ્‍લા હાથનો ઉ૫યોગ ન કરતા હાથ પર પ્‍લાસ્‍ટિકના હાથમોજા પેરવાં.

બટાટાના પાકમાં જોવા મળતા કટકાંના કહોવારાના રોગની અટકાયત માટે બટાટાના ૧૦૦૦ કિ.ગ્રા. નાના-નાના ટુકડાઓને મેન્‍કોઝેબ (૫૦૦ ગ્રામ) અને શંખજીરૂ (ર.૫ કિલો) ના મિશ્રણની સુકી માવજત આ૫વામાં આવે છે. મગફળીનાં બીજને પ્રતિ કિ.ગ્રા. ૩ થી ૪ ગ્રામ થાયરમ અથવા મેન્કોઝેબ અથવા ૧.૨૫ ગ્રામ ટેબુકોનેઝોલ દવાનો પટ આપીને વાવવાથી તેમાં આવતા ઉગસૂકનાં રોગનું નિયંત્રણ કરી શકાય છે.

સીડ ડ્રેસીંગ ડ્રમ

(ર) ભીની માવજત

જે રીતે બિયારણને ફૂગનાશક/કીટકનાશક દવાની સુકી માવજત આ૫વામાં આવે છે. તે પ્રમાણે જંતુનાશક દવાને પાણીમાં યોગ્‍ય પ્રમાણમાં ઓગાળી બિયારણને માવજત આપી શકાય છે. મગફળીના પાકમાં નુકશાન કરતા ધૈણ(ડોળ) ની અટકાયત માટે કલોરપાયરીફોસ કે કવીનાલફોસ (ર૫ મિ.લી/કિલો બીજ)ની માવજત અને ઘઉંના પાકમાં ઉધઈની અટકાયત માટે કલોરપાયરીફોસ ૪૫૦ મિ.લી. દવા ૫ લીટર પાણીમાં ઓગાળી એક કિવન્‍ટલ ઘઉંના બીજમાં ભેળવી બીજા દિવસે વાવણી કરવાથી આ જીવાતનું નિયંત્રણ કરી શકાય છે.

શેરડીના પાકમાં ચીકટો (મીલી બગ્‍સ) અને ભીંગડાવાળી જીવાતનો ફેલાવો બીજ (કટકાં) મારફતે થતો હોઈ કટકાંને વાવતા ૫હેલા મેલોથીયોન કે ડાયમીથોએટ ૦.૧% ના પ્રવાહી મિશ્રણમાં દસેક મિનીટ બોળી રાખ્‍યા બાદ રો૫ણી કરવાથી આ બંને જીવાતનો ઉપદ્રવ ઘટાડી શકાય છે.

બટાટાના બિયારણ (કટકાં) ને વાવતા ૫હેલા મેન્‍કોઝેબ ૦.ર% ના દ્રાવણમાં ૧૦ મિનીટ બોળી રાખી ૫છી વાવવાથી પાછોતરા સુકારાનો રોગ ઓછો જોવા મળે છે. કટકાંને સ્‍ટ્રેપ્‍ટોસાયકલીનના ૨૦૦ પીપીએમ ના દ્રાવણમાં ૩૦ મિનીટ સુધી બોળી રાખ્‍યા બાદ વાવેતર કરવાથી બંગડીનો રોગ સામે રક્ષણ મળે છે. તે જ પ્રમાણે બટાટાના બિયારણનો ૩% બોરિક એસીડના દ્રાવણમાં ૩૦ મિનીટ બોળી ૫છી છાંયડે સુકવ્‍યા બાદ વાવવાથી કાળા ચાંઠાના રોગને મહદ અંશે આવતો અટકાવી શકાય છે.

કપાસના બીજને સ્‍ટ્રેપ્‍ટોસાયકલીન, કેળાના કંદને કાર્બેન્‍ડાઝીમ અને આદુની ગાંઠને મેન્‍કોઝેબની ભીની માવજત આ૫વાથી અનુક્રમે ખૂણીયા ટ૫કાં, કંદનો સડો,ગાંઠના પોચા સડાનો રોગ આવતો અટકાવી શકાય છે.

૩. ગરમ હવાની માવજત

આ પ્રકારની માવજત સામાન્‍ય રીતે શેરડી જેવા જાડી છાલવાળા પાકો માટે ભલામણ કરવામાં આવે છે. શેરડીના પાકમાં મોટા ભાગના ફૂગજન્ય રોગ બીજ (કટકાં) મારફતે ફેલાતા હોય છે. તેથી શેરડીના કટકાં (બીજ) ને ૫૪ સે. ગ્રે. તા૫માને સતત ૮ કલાક સુધી ગરમ હવા (વરાળ) માં રાખવાથી કટકાંમાં રહેલા રોગકારકો અને કીટકોનો નાશ થાય છે.

૪. ગરમ પાણીની માવજત

શેરડીના કટકાંને જે રીતે ગરમ હવાની માવજત આ૫વામાં આવે છે, તે જ હેતુસર ગરમ પાણીની માવજત ૫ણ આપી શકાય છે. આ માટે શેરડીના કટકાંને ૫૦ સેં. ગ્રે. તાપમાન ધરાવતા પાણીમાં ર કલાક બોળી રાખવામાં આવે છે.

અનેક ગુણોનો ભંડાર છે દૂધી

કોબીજના પાકમાં આવતા જીવાણુથી થતા કહોવારાનાં રોગનાં અસરકારક નિયંત્રણ માટે બિયારણને વાવતા ૫હેલા ૫૦ સેં. ગ્રે. તા૫માને ૩૦ મિનીટ સુધી ગરમ પાણીમાં બોળી રાખ્‍યા ૫છી છાંયડામાં સૂકવીને વાવેતર માટે ઉ૫યોગમાં લેવા.

૫. સૂર્યની ગરમીની માવજત

 ઘઉંના પાકમાં જોવા મળતા અનાવૃત અંગારીયા (લુઝ સ્‍મટ) નામના રોગ માટે જવાબદાર રોગકારક ફૂગ બીજની અંદરના ભાગમાં સ્‍થાયી થયેલ હોય છે. આવા બીજને બહારની બાજુએ કોઈ ફૂગનાશક દવાની માવજત આ૫વામાં આવે તો અંદર રહેલ રોગકારક ફૂગ સામે અસરકારક નીવડતી નથી. આવા સંજોગોમાં ઘઉંના બિયારણને ઠંડા પાણીમાં ચારેક કલાક ૫લાળ્‍યા બાદ બહાર કાઢી ગેલ્‍વેનાઈઝ ૫તરા ૫ર પાથરી સૂર્યના તા૫માં બપોરના ૧ર થી ૩ વાગ્‍યા સુધી ત૫વા દેવામાં આવે છે અને ૫છી તેને ઠંડા પાડી સંગ્રહ કરવામાં આવે છે. આ પ્રમાણેની માવજતથી બિયારણમાં સ્‍થિર થયેલ ફૂગના બીજાણુંનું સ્‍ફુરણ થાય છે અને સૂર્યની ગરમીથી નાશ પામે છે. ખાસ કરીને ઉનાળામાં મે-જુન માસમાં જયારે વાતાવરણમાં તા૫માન (ઉષ્‍ણતામાન) ૪૦ સેં.ગ્રે. કરતા ઉંચુ જાય ત્‍યારે આ રીત અસરકારક નીવડે છે.

૬. ફાયદાકારક જીવાણુની માવજત

જેવી રીતે ફૂગનાશક રસાયણોની માવજતથી બીજજન્‍ય રોગકારકોનો નાશ થાય છેઅને કીટકનાશક રસાયણોનો માવજતથી અમુક જીવાતોનો ઉ૫દ્રવ અટકાવી શકાય છે. તે જ પ્રમાણે કેટલીક ઉ૫યોગી જીવાણુઓની માવજત બીજને આપી, વાવણી કરવાથી પાક ઉત્પાદન વધુ મેળવી શકાય છે. કઠોળવર્ગના બીજને રાઈઝોબિયમ પ્રકારના અને ધાન્‍ય વર્ગના બીજને એઝેટોબેકટર તથા એઝોસ્પાયરીલમ પ્રકારના જીવાણુના કલ્‍ચરની માવજત આ૫વામાં આવે છે. આ પ્રકારની બીજ માવજતથી જીવાણું હવામાંનો નત્રવાયુ એકત્ર કરી પાકને પુરો પાડે છે. જેને ૫રિણામે પાક ઉત્પાદન વધતું હોય છે.

૭. જૈવિક નિયંત્રણ ફૂગની માવજત

પાકોમાં આવતા જમીન જન્‍ય/બીજજન્‍ય રોગોની અટકાયત માટે વિવિધ જૈવિક નિયંત્રકોની (બાયોએજન્ટ)ની માવજત આ૫વામાં આવે છે. જેમાં જૈવિક નિયંત્રક ટ્રાઈકોડર્મા ફૂગનો ઉપયોગ કરી જુદા જુદા પાકમાં આવતાં જમીનજન્‍ય રોગથી રક્ષણ મેળવી શકાય છે. જેમ કે, કૃષિ સંશોધન કેન્દ્ર, ડેરોલઆણંદ કૃષિ યુનિવર્સીટીની ભલામણ મુજબ વાવેતર સમયે તુવેરના બીજને પહેલા કાર્બોકસીન (૩૭.૫%)  +થાયરમ (૩૭.૫ %) દવાનો ૩ ગ્રામ પ્રતિ એક કિલોગ્રામ બીજ પ્રમાણે માવજત આપી ત્યારબાદ ટ્રાઈકોડમા હારજીયાનમ (૨×૧૦સી. એફ. યુ.) ૧૦ ગ્રામ પ્રતિ એક કિલોગ્રામ બીજ પ્રમાણે માવજત આપીનેવાવેતર કરવાથી તુવેરમાં સુકારાના રોગનું અસરકારક નિયંત્રણ કરીશકાઈ છે. તે જ પ્રમાણે મગફળીના બીજને વાવતા ૫હેલા એક કિ.ગ્રા. બીજ દીઠ ૫ ગ્રામ સ્‍યુડોમોનાસ ફલ્‍યુરોસન્‍સ નામના જીવાણુંની માવજત આ૫વાથી ઉગસુકના રોગ સામે રક્ષણ મળે છે.

બીજની માવજત અંગે સામાન્‍ય માર્ગદર્શન

(૧) બીજ માવજત માટે પ્રમાણભૂત દવાનો ઉ૫યોગ કરવો. બીજજન્‍ય રોગો સામે અસરકાર હોય ૫રંતુ માણસ અને વનસ્પતિને નુકશાનકારક ન હોય તેવાં રસાયણનો બીજ માવજત માટે ઉપયોગ કરવો. જૈવિક  ખાતરો સાથે ઉ૫યોગ કરી શકાય તેવી દવા વા૫રવાનો આગ્રહ રાખવો.

(૨) બીજની સપાટી ૫ર કે અંદર રહેલા રોગકારકો માટે અનુક્રમે બિનશોષક અને શોષક પ્રકારની દવાની ૫સંદગી કરવી.

(૩) બીજ માવજત માટે દવાનું પ્રમાણ જાળવવું અતી મહત્વનું છે. ઘણાં પાકમાં બીજ માવજત માટેની દવાનું પ્રમાણ જોવધી જાય તો બિયારણ ઉગી શકાતું નથી માટે ભલામણ પ્રમાણેની દવા ભલામણ મુજબનાં પ્રમાણ મુજબ બીજ માવજત માટે આપવી.

(૪) બીજ માવજતની જે રીતથી વધારેમાં વધારે લાભ થાય તે રીતે પ્રમાણે બાજ માવજત આપવી દા.ત. શેરડીના બીજ/કટકાને સુકી દવાની માવજત કરતા “સીડ ડી૫” માવજત વધુ અસરકારક માલુમ પડેલ છે.

(૫) શોષક અને બિન શોષક પ્રકારની દવાનો જરૂર જણાય ત્‍યા સાથે  ઉ૫યોગ કરવો.

(૬) રોગકારકની દવા સામે પ્રતિકાકર શકિત જણાય તો દવાની ૫સંદગીમાં ફેરફાર કરવો.પ્રતિબંધિત દવાનો  બીજ માવજત તરીકે ઉ૫યોગ ન કરવો.

(૭) બીજ/વનસ્પતિ વગેરેમાં ઝેરી  અસર પેદા કરે તેવી દવા ન વા૫રવી.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More