Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

રીંગણની ખેતીથી જોઈએ છે બમણી કમાણી,તો આ વાતોનું રાખો ધ્યાન

ખેડુતો હાલમાં ખરીફ પાકની ખેતી કરી રહ્યા છે. દેશના મોટાભાગમાં ડાંગરનું પ્રત્યારોપણ પૂર્ણ થયું છે અને કેટલાક વિસ્તારોમાં તે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. આ દરમિયાન જો ખેડૂત ભાઈઓ શાકભાજીની ખેતી કરીને થોડીક વધારે કમાણી કરવા માંગતા હોય તો તેઓ રીંગણની ખેતી કરી શકે છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
eggplants
eggplants

ખેડુતો હાલમાં ખરીફ પાકની ખેતી કરી રહ્યા છે. દેશના મોટાભાગમાં ડાંગરનું પ્રત્યારોપણ પૂર્ણ થયું છે અને કેટલાક વિસ્તારોમાં તે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. આ દરમિયાન જો ખેડૂત ભાઈઓ શાકભાજીની ખેતી કરીને થોડીક વધારે કમાણી કરવા માંગતા હોય તો તેઓ રીંગણની ખેતી કરી શકે છે.

ખેડુતો હાલમાં ખરીફ પાકની ખેતી કરી રહ્યા છે. દેશના મોટાભાગમાં ડાંગરનું પ્રત્યારોપણ પૂર્ણ થયું છે અને કેટલાક વિસ્તારોમાં તે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. આ દરમિયાન જો ખેડૂત ભાઈઓ શાકભાજીની ખેતી કરીને થોડીક વધારે કમાણી કરવા માંગતા હોય તો તેઓ રીંગણની ખેતી કરી શકે છે.

ખેડુતો હાલમાં ખરીફ પાકની ખેતી કરી રહ્યા છે. દેશના મોટાભાગમાં ડાંગરનું પ્રત્યારોપણ પૂર્ણ થયું છે અને કેટલાક વિસ્તારોમાં તે અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. આ દરમિયાન જો ખેડૂત ભાઈઓ શાકભાજીની ખેતી કરીને થોડીક વધારે કમાણી કરવા માંગતા હોય તો તેઓ રીંગણની ખેતી કરી શકે છે. રીંગણની સફળ ખેતી કરીને ખેડૂતો નાનો રોકાણમાં ઘણો વધારે નફો મેળવી શકે છે.

આ પણ વાંચો, અંજીરની વૈજ્ઞાનિક પધ્ધતીથી ખેતી ખેડૂતભાઈઓને સમૃદ્ધ બનાવી શકે છે

હાલમાં જુલાઇ મહિનો ચાલી રહ્યો છે અને આ મહિનામાં ખેડુત રીંગણની ખેતી કરી શકે છે, કેમ કે રીંગણના પાક 2 મહિનામાં તૈયાર થઈ જશે. જો તમે રીંગનની ખેતી કરવા જઇ રહ્યા છો અને તેથી વધુ ઉત્પાદન માંગતા હો, તો તમારે બે છોડ વચ્ચેના અંતરની વિશેષ કાળજી લેવી પડશે. બે છોડ અને બે પંક્તિઓ વચ્ચે 60 સેન્ટિમીટરનું અંતર હોવું જોઈએ..

આ બાબતોની રાખો કાળજી

ખાતર અને ફર્ટિલાઈઝરનો ઉપયોગ જમીનના પરીક્ષણ મુજબ કરવો જોઇએ. જો તમે તમારા ખેતરની જમીનનું પરીક્ષણ કરાવ્યું નથી, તો પછી ખેતર તૈયાર કરતી વખતે 25થી 30 ટન ગોબરની સડેલું ખાતર જમીનમાં સારી રીતે ભેળવી દેવું જોઈએ. આમ કરવાથી ખેતરમાં સારી ઉપજ આવશે.આ ઉપરાંત ઉત્પાદનનો રંગ અને આકાર પણ યોગ્ય રહશે. જો રંગ અને કદ યોગ્ય ન હોય તો, બજારમાં ખેડૂતોને યોગ્ય ભાવ મળતા નથી. આથી ઉપરોક્ત વિધીને ખાસ ધ્યાનમાં રાખીને રીંગણની ખેતી કરવી જોઈએ.

રીંગણની ખેતીમાં તમે રાસાયણિક ખાતરનો ઉપયોગ પણ કરી શકો છો. રીંગણની ખેતીમાં ખેડૂત ભાઈઓ 200 કિલો યુરિયા, 370 કિલો સુપર ફોસ્ફેટ અને 100 કિલો પોટેશિયમ સલ્ફેટનો ઉપયોગ કરી શકે છે. યુરીયાની ત્રીજી માત્રા અને સુપર ફોસ્ફેટની સંપૂર્ણ માત્રાનો ઉપયોગ અંતિમ ક્ષેત્રની તૈયારી સમયે થવો જોઈએ. રોપણી કર્યાના બે અઠવાડિયા પછી, ખેડુતોને સલાહ આપવામાં આવે છે કે મોનોક્રોટોફોસ લિટર દીઠ પાણીમાં 0.04 મિલી સાથે ભેળવીને સાવચેતી પૂર્વક છંટકાવ કરી દેવાનું.

રીંગણની વૈજ્ઞાનિક ખેતી

રીંગણની ખેતી આખા વર્ષ દરમ્યાન કરી શકાય છે પરંતુ ઓક્ટોબર અને નવેમ્બર મહિનાઓ સૌથી યોગ્ય માનવામાં આવે છે. પ્રથમ પાક માટે ખેડુતો ઓક્ટોબરમાં રીંગણની વાવણી કરી શકે છે જેથી નવેમ્બર સુધીમાં રીગણ ખેતરમાં વાવેતર માટે તૈયાર થઈ જશે. બીજા પાક માટે રીંગણનું વાવેતર નવેમ્બરમાં કરવું જોઈએ જેથી ફેબ્રુઆરીના પહેલા પખવાડિયા સુધીમાં રીંગણ ખેતરમાં વાવેતર માટે તૈયાર થઈ જાય.ત્રીજા પાક માટે રીંગણની વાવણી ફેબ્રુઆરીના છેલ્લા પખવાડિયામાં અને માર્ચના પહેલા પખવાડિયામાં કરવી જોઈએ જેથી રીંગણ એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં ખેતરમાં વાવેતર માટે તૈયાર થઈ જાય.ચોથા પાક માટે રીંગણની વાવણી જુલાઈમાં થવી જોઈએ જેથી ઓગસ્ટ સુધીમાં રિંગણ ખેતરમાં વાવેતર માટે તૈયાર થઈ જાય.

ક્યારે રિંગણ તોડવા

રીંગણના ખેતમાં નીંદણ નિયંત્રણ પણ અત્યંત જરૂરી છે.સમયસર નીંદણ કરવાથી પાકની વૃદ્ધિ સારી થાય છે અને તેની ઉપજ ઉપર પણ સારી અસર પડે છે. જોકે જુલાઇ માસમાં સારો વરસાદ પડે છે, પરંતુ વરસાદ ન પડે તો ખેડૂત ભાઈઓ જરૂરિયાત મુજબ સિંચાઈ કરી શકે છે. જુલાઈ મહિનામાં વરિયાળીનું વાવેતર કર્યા પછી સપ્ટેમ્બરની શરૂઆતમાં ફળ આવવાનું શરૂ થાય છે.


ખેડુતોને ખાસ સલાહ આપવામાં આવે છે કે, જ્યારે રીંગણના ફળ નરમ હોય અને બીજ ઉત્પન્ન ન હોય ત્યારેજ રીંગણના ફળને ઉતારી લેવાના. જ્યારે રીંગણના ફળ ખૂબ મોટા થાય છે, ત્યારે વધુ બીજ બનવા લાગે છે અને પછી તે સ્વાદિષ્ટ રહેતા નથી. રીંગણને તોડ્યા બાદ ખેડૂત ભાઈઓ તેને સ્થાનિક બજારમાં સરળતાથી વેચી શકે છે. આ ખેતીની સીઝનમાં આવક પણ ખૂબ થાય છે. જેના પરિણામે ખેડૂતોને આર્થીક લાભ મળે છે

રીંગણનું સ્ટોરેજ

રીંગણને લાંબા સમય સુધી સંગ્રહિત કરી શકાતા નથી. રીંગણને ઓરડાના તાપમાનમાં પણ વધુ સમય સુધી રાખી શકાતા નથી કારણ કે આમ કરવાથી તે તેનો ભેજ ગુમાવે છે. જો કે રીંગણ 2થી 3 અઠવાડિયા 10-10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને 92 ટકા ભેજ પર સંગ્રહિત કરી શકાય છે.ખેડૂતો રીંગણની લણણી કરી લે પછી તેને સુપર, ફેન્સી અને વેપારી કદ પ્રમાણે સ્ટોરિંગ અને પેકિંગ માટે કોથરા અથવા ટોપલીનો ઉપયોગ કરવું જોઈએ. .

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More