Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Success Story

મલ્ટીનેશનલ કંપનીની નોકરી છોડીને કરી રહ્યા છે કુદરતી ખેતી

આરોગ્ય માટે ઓર્ગેનિક ખેતી ગુરુગ્રામની પ્રદુષિત હવાથી કંટાળીને કેટલાક યુવાનોએ પોતાના ગામે પરત ફરી કુદરતી ખેતીને જ તેમની આજીવિકાનુ સાધન બનાવ્યુ અને સાથે સાથે ગામના ખેડુતોને પણ આ તરફ પ્રેરીત કરી રહ્યા છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
natural farming
natural farming

આમાં ભોપાલના એન્જિનિયર શશિભૂષણ, પીએચડી ફાર્મા અનુજ, સુધાંશુ અને સુષ્મિતા અને IIT કાનપુર, IIM લખનૌ અને ઈન્ફોસિસમાંથી અભ્યાસ કરીને વિદેશમાં કામ કરનાર સંદીપ સક્સેનાના નામનો પણ સમાવેશ થાય છે. સંદીપની પ્રોફાઈલમા ઘણા પુરસ્કારોનો ઉલ્લેખ છે, જેમાં અટલ બિહારી બાજપાઈ દ્વારા સન્માનીત થયાનો પણ ઉલ્લેખ છે. એન્જિનિયર શશિભૂષણ ગુરુગ્રામ સિવાય બેંગલુરુ, હૈદરાબાદ જેવા શહેરોમાં મોટી મોટી કંપનીઓમાં કામ કરી ચુક્યા છે, પરંતુ સ્વાસ્થ્ય પ્રતિ સભાન હોવાને કારણે તેઓએ જલદી પોતાની નોકરી છોડી ગામ પરત ફરી 25 એકર જમીન પર ઓર્ગેનિક ખેતી કરવાનુ શરૂ કર્યુ.

શશીએ ખૂબ જ રસપ્રદ વાતો કહી કે તેની પેદાશોના ગ્રાહકો તેની આસપાસના ગામડાના લોકો છે. તેમણે જણાવ્યુ કે આસપાસના ગામના બધા ખેડુતો પોતાની જમીન પર ઘઉંની ખેતી કરે છે. પરંતુ શશી તેમની પાસેથી ઘઉં ખરીદે છે અને લઈ જાય છે કારણ કે તેઓ તેમના ખેતરોમાં ઝેર ઉગાડે છે. તેથી, શુદ્ધ ખાવા માટે, તેઓ શશી પાસેથી અનાજ ખરીદે છે અને તેમના રસાયણયુક્ત ઉત્પાદનો બજારમાં વેચે છે. સુધાંશુ અને સુષ્મિતાની જોડી થોડી અલગ છે, તેઓ પોતાના તેમજ બીજા લોકોના સ્વાસ્થ્ય માટે ઓર્ગેનિક ખેતી કરે છે. જોકે સુઘાંશુ અને સુષ્મિતા ઉચ્ચ શિક્ષણ મેળવ્યા બાદ ગુરુગ્રામમાં કરોડોના પેકેજમાં કામ કરવા ગયા હતા. લગભગ એક દાયકા સુધી કામ કર્યા પછી તેમની બગડતી તબિયતને ઘ્યાનમાં રાખી બંનેએ નક્કી કર્યું કે તેઓ તેમના વતન પાછા ફરી જૈવિક ખેતી કરશે. મલ્ટીનેશનલની નોકરી છોડીને, બંનેએ બે વર્ષમાં જ ઓર્ગેનિક ખેતીમાંથી પોતાના માટે શુદ્ધ ખોરાકની વ્યવસ્થા કરી અને સાથે સાથે ગામના અન્ય નાના ખેડૂતોને પણ સાથે જોડીને સજીવ ખેતી કરવાની પ્રેરણા આપી. આજે સુધાંશુની ઓર્ગેનિક જીવન બ્રાન્ડ એટલી લોકપ્રિય બની છે કે તેના ગ્રાહકોની લાંબી યાદી છે કે જેમને તે ઓર્ગેનિક સ્ટોર્સ, એમેઝોન અને વોટ્સએપ દ્વારા ઓર્ગેનિક ફૂડ આઈટમ્સ પ્રદાન કરે છે. સુઘાંશુ કહે છે કે કરોડોનુ પેકેજ ભલે ન મળે પણ પોતાને અને બીજાને સ્વસ્થ રાખવા માટે તેઓ જે પ્રયાસ કરી રહ્યા છે તેનાથી તેમને આત્મસંતોષ મળે છે. ત્યાંજ, સુષ્મિતા એક દાયકા કરતા વધુ સમયથી જાહેર આરોગ્યના ક્ષેત્રમાં કામ કરી રહી હતી. તેમને પાયાના સ્તરથી લઈને નીતિ નિર્માણ સુધીનો બહોળો અનુભવ થઈ ગયો હતો. સ્વાસ્થ્ય અંગેની તેમની સમજ વિશાળ છે. તેણી કહે છે કે 70 ટકા લોકો દૂષિત હવાના કારણે ફેફસાના કેન્સર સામે લડી રહ્યા છે. તેઓ પ્રમાણિત ન્યુટ્રિશનિસ્ટ, ફિટનેસ ટ્રેનર અને ક્રોસફિટર પણ છે જ્યારે સુધાંશુ યુકેની લીડ્ઝ યુનિવર્સિટી બિઝનેસ સ્કૂલમાંથી સ્નાતક થયા છે અને ભારતની અગ્રણી વીમા કંપની સાથે કામ કર્યું છે. સુધાંશુ પાસે સ્વાસ્થ્ય વીમા, શિક્ષણ અને તબીબી તકનીકમાં એક દાયકાથી વધુનો અનુભવ છે, એટલે કે સુધાંશુ અને સુષ્મિતા બંનેને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓની અગાઉથી જાણકારી હતી.

આ પણ વાંચો:35 વર્ષથી ફૂલોની ખેતી કરી, હવે દર મહિનાની આવક થઈ 1 લાખ

કુદરતી ખેતી

મધ્યપ્રદેશમાં ઉછરેલા સુધાંશુ અને સુષ્મિતાને જ્યારે મોટા શહેરોમાં જીવન કંટાળાજનક લાગવા લાગ્યુ, ત્યારે બંનેએ કંઈક નવું કરવાનું વિચાર્યું. નવામાં તેમને સૌથી પહેલા ખેતી કરવાનો વિચાર આવ્યો. સુષ્મિતા કહે છે કે મોટા શહેરોમાં કોઈ ભાવનાત્મક સબંધ નથી, કોઈ સ્થિરતા નથી, ફક્ત લોકો પૈસા પાછળ દિવસ-રાત દોડે છે, આનાથી તેમના સ્વાસ્થ્ય પર ખૂબ જ વિપરીત અસર થઈ રહી છે. તેણે એમ પણ કહ્યું કે, વાસ્તવમાં નોકરી મળતાં જ લોકો સૌથી પહેલા લોન લઈને કાર, બંગલો ખરીદી લે છે અને EMI ભરવા માટે આખી જીંદગી દોડતા રહે છે. અમારા માટે સારી વાત એ હતી કે અમે વૈભવી જીવન જીવવા માટે બેંક પાસેથી કોઈ લોન નથી લીધી. અમે વૈભવી જીવન જીવવા નહતા માંગતા, અમે સાદુ અને સરળ જીવન ઇચ્છતા હતા. ઈએમઆઈ ભરવાની કોઈ સમસ્યા ન હતી તેથી આસાનીથી નોકરી છોડવાનો નિર્ણય લઈ શક્યા.

હવે બંનેએ સાથે મળીને વિદિશા હેડક્વાર્ટરથી માત્ર 5 કિમી દૂર ધનૌરા હવેલી ગામમાં તેમના પૂર્વજોની 14 એકર જમીન પર 2018થી ઓર્ગેનિક ખેતીની સફર શરૂ કરી હતી. બંનેએ ઓર્ગેનિક ઔષધીથી શરૂઆત કરી હતી, પરંતુ ધીમે ધીમે ખેતર એક સંકલિત ઓર્ગેનિક ફાર્મમાં ફેરવાઈ ગયું. હાલમાં તેમના ખેતરમાં અનેક પ્રકારના શાકભાજી, હળદર, તુવેર, લીલા ચણા, જુવાર, મકાઈ, મગફળી, તલ, કાળા ચણા, ભૂરા ચણા, પ્રાચીન ખાપલી અને બંસી ઘઉં, જવ, સરસવ, ધાણા, બરસીમ ઘાસ, છોડ ઉગાડવામાં આવે છે. જામફળ, કેળા અને લીંબુનું ઉત્પાદન થઈ રહ્યું છે. ફાર્મમાં જ એક પ્રોસેસિંગ સેન્ટર છે, જ્યાં ઉત્પાદિત સામગ્રીને પ્રોસેસ કરીને પેક કરવામાં આવે છે. તેના તમામ અવશેષો ગૌશાળામાં ગાયોને જાય છે. જે ઝીરો વેસ્ટ ફાર્મના વિઝનને સાકાર કરવામાં મદદ કરે છે. સુધાંશુની ગૌશાળામાં અત્યારે દૂધ ન આપવાવાળી 15 ગાયો છે. જે ગાયોને લોકોએ રસ્તા પર છોડી દીધી હતી, તેણે તે ગાયોને દત્તક લીધી, જેથી તેને ઓર્ગેનિક ખેતી માટે જરૂરી ગૌમૂત્ર અને છાણ મળી શકે. સુધાંશુએ પોતાના ખેતરમાં જ એક મોટુ તળાવ બનાવ્યુ છે, જ્યા વરસાદનુ પાણી ભેગુ થાય છે, જે પુરા વર્ષ દરમિયાન સિંચાઈ માટે કામમાં આવે છે. હાલમાં તેમની પાસે ગ્રાહકોની લાંબી યાદી છે, જેમને તેઓ ઓર્ગેનિક ઉત્પાદનો વેચે છે. ગ્રાહકો એમેઝોન પરથી તેમની કંપની ઓર્ગેનિક લાઈફના ઉત્પાદનોનો ઓર્ડર આપે છે. હવે હાલત એવી છે કે તેના ગ્રાહકોની સંખ્યાને જોતા તેના માટે 14 એકર ખેતીની જમીન પણ ઓછી પડવા લાગી છે. સુધાંશુ કહે છે કે મારો ખેતીનો અનુભવ રોમાંચક અને પડકારજનક રહ્યો છે. પરંતુ હવે દુનિયાને સ્વસ્થ બનાવવાનો આ પ્રયાસ મને સારો લાગવા લાગ્યો છે. તેઓ ગામમાં નાના નાના ખેડુતોને પોતાની સાથે જોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને તેમને ઓર્ગેનિક ખેતી કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે શરૂઆતમાં ખેડુતોના મનમાં ડર હતો કે ઓર્ગેનિક ખેતીથી ઉત્પાદન ખુબ ઓછુ થઈ જશે પણ હવે આ ભ્રમ તુટી ગયો છે.

જૈવિક ખાતર

જૈવિક ખાતર અંગે તેમણે કહ્યું કે ઘણી ગાયો રોડ પર રખડતી હોય છે. અમે તે ગાયોને આશ્રય આપી શકીએ છીએ અને તેમના છાણ અને ગૌમૂત્રનો ખાતર તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. આ રીતે ઝીરો બજેટ ખેતી શક્ય બની શકે છે. શાકભાજીની ખેતી અંગે તેમણે કહ્યુ કે ફક્ત બે કે અઢી મહિનામાં શાકભાજી તૈયાર થઈ જતી હોય છે. ખેડૂત ખેતરોને ટુકડાઓમાં વહેંચીને અલગ-અલગ ઋતુના શાકભાજી ઉગાડીને સારો નફો કમાઈ શકે છે. અમે તેમને બજાર પ્રદાન કરવામાં મદદ કરી રહ્યા છીએ જેથી કરીને તેઓ ઓર્ગેનિક ખેતી કરવા માટે ઉત્સાહિત થાય.

હવે સુધાંશુ ઝીરો બજેટ ખેતીની પોતાની શીખને સેંકડો સીમાંત ખેડૂતો સુધી પહોંચાડવા માંગે છે જેથી તેઓ પણ આ અમૂલ્ય સાંકળનો એક ભાગ બનીને લાભ મેળવી શકે. આનાથી ના ફક્ત તેમને તેમની પેદાશો માટે બજાર મેળવવામાં મદદ મળશે પરંતુ તેમના ખેતરોને ટકાઉ બનાવવા અને જમીનની ગુણવત્તા સુધારવામાં પણ મદદ મળશે.

 

આ પણ વાંચો:જાણો કોણ છે કૃષિના ક્ષેત્રમાં પદ્મશ્રી મેળવનાર રાહીબાઈ સોમા પોપરે

Share your comments

Subscribe Magazine

More on Success Story

More