Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા પહોંચી હળવદ ગામ, ત્યાં અમને મળ્યા બીજા ભરતભાઈ

કૃષિ જાગરણ તેની નવીન પહેલ દ્વારા ભારતીય કૃષિમાં ક્રાંતિ કરવાનું ચાલુ રાખે છે. મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત તેના 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ'ની શાનદાર સફળતા બાદ, સંસ્થાએ 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા' શરૂ કરી છે, જે સમગ્ર દેશમાં ખેડૂતોને સશક્તિકરણ કરવાના હેતુથી પરિવર્તનકારી રોડ શો છે. હવે તે યાત્રા આપણા ગુજરાત પહોંચી ગઈ છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
પ્રગતિશીલ ખેડૂત
પ્રગતિશીલ ખેડૂત

કૃષિ જાગરણ તેની નવીન પહેલ દ્વારા ભારતીય કૃષિમાં ક્રાંતિ કરવાનું ચાલુ રાખે છે. મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત તેના 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ'ની શાનદાર સફળતા બાદ, સંસ્થાએ 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા' શરૂ કરી છે, જે સમગ્ર દેશમાં ખેડૂતોને સશક્તિકરણ કરવાના હેતુથી પરિવર્તનકારી રોડ શો છે. હવે તે યાત્રા આપણા ગુજરાત પહોંચી ગઈ છે.

ખેડૂત ભારત યાત્રા ગુજરાતમાં પોતાની યાત્રા ગુરૂવારે 11 એપ્રિલથી શરૂ કરી હતી. જો કે 29 મે સુધી સમગ્ર ગુજરાતમાં ફરીને રાજ્યના કૃષિ વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરશે અને ખેતીમાં આપણે કેવી રીતે પરિવર્તન કરીને તેને એક સારા રોજગારની તક તરીકે ઉભા કરી શકીએ છીએ તેના વિશે પર ચર્ચા કરશે. તેના સાથે જ રાજ્યના ખેડૂતો સાથે પણ વાતચીત કરીને તેઓની સમસ્યાઓના ઉકેળ કાઢશે. તેમ જ આ યાત્રા દરમિયાન ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત પણ કરવામાં આવશે.

પ્રગતિશીલ ખેડૂતે જણવી વર્મી કંપોસ્ટ બનાવવાની પ્રક્રિયા

કૃષિ જાગરણ દ્વારા આયોજિત એમએફઓઆઈ, વીવીઆઈએફ ખેડૂત ભારત યાત્રા ગુજરાતના ખેડૂતોની સમસ્યા જાણવા અને પ્રગતિશીલ ખેડૂતોને મળીને ગુજરાતના બીજા ખેડૂતો સુધી તેમણી વાત પહોંચાડવા માટે સતત રાજ્યના ખુણે-ખુણે ફરી રહી છે. એજ સંદર્ભમાં ખેડૂત ભારત યાત્રા આવી પહોંચી મોરબી જિલ્લાના હળવદ તાલુકા હેઠળ આવેલ ગામ હળવદમાં. જ્યાં પ્રગતિશીલ ખેડૂત ચિનુભાઈ પટેલ સાથે ઉપસ્થિત મોટી સંખ્યામાં ખેડૂતોએ અમારી આ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યો. ત્યારે અમારા રિપોર્ટર હર્ષભાઈ જીતેન્દ્રભાઈ રાઠોડ સાથે વાત કરતા પ્રગતિશીલ ખેડૂત ચિનુભાઈ પટેલે જણાવ્યું કે મારા પ્રોગ્રેસિવ ખેડૂત બનાવાનું કારણ સજીવ ખેતી છે. તેમણે જણાવ્યું કે હું દરેક ખેડૂતને સજીવ ખેતી તરફ સંપૂર્ણ રીતે આગળ વળવા માટે વિનંતી કરું છું, જેથી તેઓ પણ મારી જેમ પ્રગતિશીલ ખેડૂત બની શકે. આ દરમિયાન તેમને વર્મી કંપોસ્ટ બનાવવાની વિધી પણ અમને જણાવી, જો કે તમે આ લિંક ઉપર ક્લિક કરીને જોઈ શકો છો. https://fb.watch/rHbySKkLnU/ આ ઉપરાંત ત્યાં ઉપસ્થિત દરેક ખેડૂતને #MFOI, #VVIF મિલેનીયોર ફાર્મર ઓફ ઇન્ડિયા વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.

ચિનુભાઈ અમારા સાથે વાત કરતા અમને જણાવ્યું કે ગુજરાતના મોરબી જિલ્લા દાડમના ઉત્પાદનમાં દેશનું સૌથી મોટું હબ છે. તેમણે જણાવ્યું, વર્ષ 2023 ના ડાટા મુજબ મોરબીના હળવદ તાલુકામાં 27 લાખ દાડમના છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું. એવું નહીં, અનંત અંબાણીના પ્રી-વેડિંગમાં મહેમાનોએ કેરી ખાવાની મજા પણ ત્યાંજ માણી હતી. જે તેમના ખેતરમાંથી આવી હતી.જણાવ દઈએ ચિનુભાઈ પટેલ જે વર્મીકમ્પોસ્ટ બનાવે છે તે રિલાયન્સ કંપનીને વેચવામાં આવે છે. 2005માં ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન નરેંદ્રભાઈ મોદી દ્વારા તેમના બહુમાન પણ કરવામાં આવ્યા હતા. 

ખેડૂતોની ફરિયાદ પર વધારવામાં આવ્યું યાત્રાનું સમય

તમને જણાવી દઈએ કે ખેડૂતોની માંગણીને જોતા એમએફઓઆઈ, વીવઆઈએફ ખેડૂત ભારત યાત્રાના સમયને ગુજરાતમાં વધારી દેવામાં આવ્યું છે. હવે ખેડૂત ભારત યાત્રા ગુજરાતમાં 25 અપ્રિલ સુધી નથી પણ 29 મે સુધી રોકાશે અને ગુજરાતના દરેક જિલ્લામાં જઈને ત્યાંના પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરશે અને તેમની અને બીજા ખેડૂતોને થઈ રહેલી કોઈ પણ પ્રકારની સમસ્યા ઉપર ચર્ચા કરશે તેમનું ઉકેલ શોધવાનું પ્રયાસ કરશે. જો તમે પણ તમારા ગામડાના પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન કરવાનું ઇચ્છો છો અને એક ખેડૂત તરીકે થઈ રહેલી કોઈ સમસ્યાનું ઉકેલ મેળવવા માંગો છો આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો (+91 93542 19049)

Share your comments

Subscribe Magazine

More on News

More