Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

MFOI, VVIF ખેડૂત ભારત યાત્રાનું થયું મોરબીમાં ભવ્ય સ્વાગત, ખેડૂતોએ ગણાવ્યું ઓર્ગિનિક ખેતીને નફાકારક

કૃષિ જાગરણ તેની નવીન પહેલ દ્વારા ભારતીય કૃષિમાં ક્રાંતિ કરવાનું ચાલુ રાખે છે. મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત તેના 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ'ની શાનદાર સફળતા બાદ, સંસ્થાએ 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા' શરૂ કરી છે, જે સમગ્ર દેશમાં ખેડૂતોને સશક્તિકરણ કરવાના હેતુથી પરિવર્તનકારી રોડ શો છે. હવે તે યાત્રા આપણા ગુજરાત પહોંચી ગઈ છે.

Amansinh Jadeja
Amansinh Jadeja

કૃષિ જાગરણ તેની નવીન પહેલ દ્વારા ભારતીય કૃષિમાં ક્રાંતિ કરવાનું ચાલુ રાખે છે. મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત તેના 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ'ની શાનદાર સફળતા બાદ, સંસ્થાએ 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા' શરૂ કરી છે, જે સમગ્ર દેશમાં ખેડૂતોને સશક્તિકરણ કરવાના હેતુથી પરિવર્તનકારી રોડ શો છે. હવે તે યાત્રા આપણા ગુજરાત પહોંચી ગઈ છે.

ખેડૂત ભારત યાત્રા ગુજરાતમાં પોતાની યાત્રા ગુરૂવારે 11 એપ્રિલથી શરૂ કરી હતી. જો કે 29 મે સુધી સમગ્ર ગુજરાતમાં ફરીને રાજ્યના કૃષિ વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરશે અને ખેતીમાં આપણે કેવી રીતે પરિવર્તન કરીને તેને એક સારા રોજગારની તક તરીકે ઉભા કરી શકીએ છીએ તેના વિશે પર ચર્ચા કરશે. તેના સાથે જ રાજ્યના ખેડૂતો સાથે પણ વાતચીત કરીને તેઓની સમસ્યાઓના ઉકેળ કાઢશે. તેમ જ આ યાત્રા દરમિયાન ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત પણ કરવામાં આવશે

ઓર્ગેનિક ખેતીમાં છે રાસાયણિક કરતા વધુ નફો

કૃષિ જાગરણ દ્વારા આયોજિત એમએફઓઆઈ, વીવીઆઈએફ ખેડૂત ભારત યાત્રા ગુજરાતના ખેડૂતોની સમસ્યા જાણવા અને પ્રગતિશીલ ખેડૂતોને મળીને ગુજરાતના બીજા ખેડૂતો સુધી તેમણી વાત પહોંચાડવા માટે સતત રાજ્યના ખુણે-ખુણે ફરી રહી છે. એજ સંદર્ભમાં ખેડૂત ભારત યાત્રા આવી પહોંચી મોરબી જિલ્લાના હળવદ તાલુકા ખાતે આવેલ કડિયાણા ગામે, જ્યા પ્રગતિશીલ ખેડૂત અશોકસિંહ જાડેજા દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત હતા. અમારા રિપોર્ટર હર્ષભાઈ જીતેન્દ્રભાઈ રાઠોડ સાથે વાત કરતા પ્રગતિશીલ ખેડૂત અશોકભાઈ જાડેજાએ પ્રાકૃતિક ખેતીના વખાણ કરતા જણાવ્યું કે ખેડૂતોએ ઓર્ગેનિક ખેતી થકી રાસાયણિક ખેતી કરતા વધુ નફો મેળવી શકે છે. ઓર્ગેનિક ખેતી તેમને સારો નફો આપે છે. વધુ માહિતી માટે તમે આ લિંક ઉપર ક્લિક કરીને તેમનું આખુ સાક્ષતકાર જોઈ શકો છો. https://fb.watch/rH04Jr58G2/  આ દરમિયાન તે અમને પોતાના ખેતરમાં પણ લઈ ગયા હતા, જ્યા તેમને દેખાડ્યો કે તેઓ કેવી રીતે ઓર્ગેનિક ખેતી કરીને નફો મેળવી રહ્યા છે. વધુ માહિતી માટે તમને જણાવી દઈએ કે અશોકભાઈ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતોને #MFOI, #VVIF મિલેનીયોર ફાર્મર ઓફ ઇન્ડિયા વિશે સંપૂર્ણ માહિતી પણ આપવામાં આવી હતી.

ખેડૂતોની ફરિયાદ પર વધારવામાં આવ્યું યાત્રાનું સમય

તમને જણાવી દઈએ કે ખેડૂતોની માંગણીને જોતા એમએફઓઆઈ, વીવઆઈએફ ખેડૂત ભારત યાત્રાના સમયને ગુજરાતમાં વધારી દેવામાં આવ્યું છે. હવે ખેડૂત ભારત યાત્રા ગુજરાતમાં 25 અપ્રિલ સુધી નથી પણ 29 મે સુધી રોકાશે અને ગુજરાતના દરેક જિલ્લામાં જઈને ત્યાંના પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરશે અને તેમની અને બીજા ખેડૂતોને થઈ રહેલી કોઈ પણ પ્રકારની સમસ્યા ઉપર ચર્ચા કરશે તેમનું ઉકેલ શોધવાનું પ્રયાસ કરશે. જો તમે પણ તમારા ગામડાના પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન કરવાનું ઇચ્છો છો અને એક ખેડૂત તરીકે થઈ રહેલી કોઈ સમસ્યાનું ઉકેલ મેળવવા માંગો છો આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો (+91 93542 19049)

આ પણ વાંચો: 7000 થી વધુ રાસાયણિક ખાતર બનાવતી કંપનીઓનું પત્તું કપાયું, ખેડૂતોની ફરિયાદ પર સરકાર લાધ્યો પ્રતિબંધ

Share your comments

Subscribe Magazine

More on News

More