Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Success Story

પશુઓને મળે પૌષ્ટિક ઘાસચારો, અમેરિકાની જોબ છોડીને આવી ગયો ગામડું

જો તમારે તમારા દેશ અને સમાજ માટે કંઇક કરવું હોય તો પૈસા અવરોધ બની શકતા નથી. બિહારના બેગુસરાયના 27 વર્ષીય સોમ્યા શ્રીએ દિલ્હીથી બીટેક કર્યું હતું. ત્યારબાદ તે એમટેક કરવા અમેરિકા ગયા. ત્યાં તેમણે 6 મહિના કામ કર્યું.

ધાસચારો
ધાસચારો

જો તમારે તમારા દેશ અને સમાજ માટે કંઇક કરવું હોય તો પૈસા અવરોધ બની શકતા નથી. બિહારના બેગુસરાયના 27 વર્ષીય સોમ્યા શ્રીએ દિલ્હીથી બીટેક કર્યું હતું. ત્યારબાદ તે એમટેક કરવા અમેરિકા ગયા.  ત્યાં તેમણે 6 મહિના કામ કર્યું.

જો તમારે તમારા દેશ અને સમાજ માટે કંઇક કરવું હોય તો પૈસા અવરોધ બની શકતા નથી. બિહારના બેગુસરાયના 27 વર્ષીય સોમ્યા શ્રીએ દિલ્હીથી બીટેક કર્યું હતું. ત્યારબાદ તે એમટેક કરવા અમેરિકા ગયા.  ત્યાં તેમણે 6 મહિના કામ કર્યું.પણ તેમને તે ગમ્યું નહીં. તેથી જ તેમણે ઘરે પાછા આવવાનું નક્કી કર્યું. તે બિહારના બેગુસરાય જિલ્લામાં પરત ફર્યા હતા. તેમના પરિવારમાં દૂધનો વ્યવસાય ચાલે છે. સોમ્યાને સંશોધન બાદ જાણવા મળ્યું કે, અહીં પશુઓના ખોરાકની સમસ્યા ખૂબ મોટી છે. આથી તેમણે ઘાસચારો બનાવવા માટે એક નવી ફેકટરી ખોલી હતી

સોમ્યા શ્રી વ્યવસાયેથી એન્જિનિયર છે, પરંતુ તેમણે જણાવ્યું હતું કે દેશના અન્ય ભાગોમાં ખેડુતો તેમના પશુઓ માટે ઘાસચારો અંગે ઘણું સંશોધન કરી રહ્યા છે. આ મામલે હરિયાણા અને પંજાબમાં ઘણું કામ ચાલી રહ્યું છે, ત્યાં પશુઓને પૌષ્ટિક ઘાસચારો આપવામાં આવી રહ્યો છે, પરંતુ બિહારમાં પરંપરાગત રીતે પશુઓને ચારો આપવામાં આવે છે. આવી સ્થિતિમાં ખેડુતોને નફા કરતા વધારે નુકસાન વેઠવું પડે છે. કારણ કે ગાય ભેંસ દૂધ ઓછું આપે છે.

સોમ્ય શ્રી
સોમ્ય શ્રી

ઘાસચારો બનાવવાનો વ્યવસાય શરૂ કર્યો

મકાઈના લીલા છોડમાંથી તૈયાર થતા આ ઘાસચારોના નોર્વેથી ઓર્કેલ એમસી 850 કોમ્પેક્ટર મશીનથી બેલિંગ અને પેકિંગ થાય છે. બ્રાઝિલની મશીન વડે મકાઈને કાપી તેમજ તેના દાણા સહિત મકાઈની કુટ્ટી બનાવવામાં આવે છે. સાઈલેજ બેલનું સૌથી મહત્વનું કામ કોમ્પેશન રેટીઓમાં કરવાનું છે. તેનાથી કુટ્ટીની ગુણવત્તામાં વધારો થાય છે.

તેને ચાર લેવલ પર યુવી કિરણોથી બચાવવા માટે મજબૂત તેમજબૂત પોલિપ્રોપીલિનથી તેની પેકિંગ કરવામાં આવે છે. ત્યારબાદ તે ઘાસને એક વર્ષ સુધી કોઈ પણ ખરાબી વગર પશુઓને ખવરાવવામાં આવે છે. સોમ્યા કહે છે કે પહેલા વર્ષે અમે 2000 ટન ઘાસ બનાવ્યું, જે ખેડૂતોને સાડા પાંચ રૂપિયાના કિલ્લોનાં દરે વેચવામાં આવ્યું હતું.

તેને બનાવવા માટે, અમે ખેતરેથી મકાઈના છોડ સહિત ઘાસચારો ખેડૂતો પાસેથી 2 રૂપિયા 50 પૈસાના કિલ્લોનાં ખરીદ્યો હતો અને તેની પૈંકિંગ કરીએ પછી તેને પશુપાલકોને વેચવામાં આવે છે. એક સર્વે અનુસાર બેગુસરાય જિલ્લામાં 5 લાખ પશુઓ છે, જેને લાખો ટન ઘાસચારો આપવામાં આવે છે, એક સમયે ભૂંસાની કિંમત 12 રૂપિયા પ્રતિ કિલો સુધી હતી, પરંતુ ખેડુતોએ ના છૂટકે તેમના પશુઓને આવા ઘાસચારો ખવડાવવો પડે છે જેમાં કોઈ જાતની તાકાત નથી.

અત્યાર સુધી નવગંગા ફૂડ પ્રોડક્ટ્સે આશરે 10 કરોડના ખર્ચે સાઇલેજ ફેક્ટરી સ્થાપિત કરી છે.આવતા વર્ષ સુધીમાં કંપનીના પ્રયત્નોથી તેમા 10 ગણો વધારો કરવામાં આવશે. હવે માત્ર અઢીસો બીજમાં ખેડુતો મકાઈનું વાવેતર કરે છે, આ વખતે 10 ગણો વધારો કરવા ખેડૂતો સાથે વાતચીત કરવામાં આવી છે. આ કામ માટે ખેડુતોનો ઉત્સાહ સરાહનીય હતો.

ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક

ડો.રાજેન્દ્ર પ્રસાદ કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટીના ડો.મૃત્યુંજય કુમાર લાંબા સમયથી મકાઇ અને તેની જાતો પર સંશોધન કરી રહ્યા છે. ડો.કુમારે જણાવ્યું કે આ સાઇલેજનો ઉપયોગ કરવાથી પશુઓમાં શક્તિ અને દૂધ બંને વધે છે. સાઇલેજમાં રહેલી ઉર્જા પ્રોટીન અને ફાઈબરથી ભરપુર હોય છે. તેને ઘાસચારામાં ભેળવીને પશુઓને ખવડાવમાં આવે છે.સાઇલેજ તેની સરળ પાચકતા અને સ્વાદિષ્ટતાને લીધે પશુઓનું પ્રિય ખોરાક બની ગયું છે.

Share your comments

Subscribe Magazine

More on Success Story

More