Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

કેન્દ્ર સરકારના શિપીંગ-પોર્ટસ-વોટર વેઝ મંત્રાલય-ગુજરાત મેરિટાઇમ બોર્ડ-ફિક્કી દ્વારા સહઆયોજિત ઇન્ટરનેશનલ સેમિનાર ઓન શિપ રિસાયક્લિંગ એન્ડ વ્હીકલ સ્ક્રેપ પોલિસીનો ગાંધીનગરમાં પ્રારંભ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ભારતે વિશ્વમાં આગવી ઓળખ ઉભી કરી છે ત્યારે આપણે સૌ દેશવાસીઓ ટીમ ઈન્ડીયા બનીને સહિયારા પ્રયાસો કરશું તો ચોકકસ ભારત સર્વશ્રેષ્ઠ બનશેઃ કેન્દ્રીય મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલ

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
Seminar
Seminar

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ભારતે વિશ્વમાં આગવી ઓળખ ઉભી કરી છે ત્યારે આપણે સૌ દેશવાસીઓ ટીમ ઈન્ડીયા બનીને સહિયારા પ્રયાસો કરશું તો ચોકકસ ભારત સર્વશ્રેષ્ઠ બનશેઃ કેન્દ્રીય મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલ

ગ્રીન શિપ રિસાયક્લિંગનું હબ બનવા માટે ગુજરાત પાસે પૂરતું પોટેન્શીયલ છે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

ભારત સરકારના શિપીંગ, પોર્ટસ-વોટર વેઝ મંત્રાલય તેમજ ગુજરાત મેરિટાઇમ બોર્ડ અને ફેડરેશન ઓફ ઇન્ડીયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આ દ્વિદિવસીય ઇન્ટરનેશનલ સેમિનાર ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાઇ રહ્યો છે.

કેન્દ્રીય વહાણવટા મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલે આ ગ્રીન શિપ રીસાયકલીંગ એન્ડ વેહીકલ સ્ક્રેપીગ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સને સંબોધતા કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ભારતે વિશ્વમાં આગવી ઓળખ ઉભી કરી છે ત્યારે આપણે સૌ દેશવાસીઓ ટીમ ઈન્ડીયા બનીને સહિયારા પ્રયાસો કરશું તો ચોકકસ ભારત સર્વશ્રેષ્ઠ બનશે.

 કેન્દ્રીય વહાણવટા મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલે એ ગ્રીન શિપ રીસાયકલીંગ એન્ડ વેહીકલ સ્ક્રેપીગ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સના આયોજન માટે ટીમ ગુજરાતને અભિનંદન આપતા કહ્યું કે, ગુજરાત 1600 કિ.મી દરિયા કિનારા સાથે વ્યવસાયિક ક્ષેત્રે ભારતનો ગેટ-વે છે અને ગુજરાત હવે વિશ્વનું પસંદ કરેલ દરિયાઇ સ્થળોમાંનું એક છે. તે 40 ટકા ભારતના કાર્ગોથી વધુ સંભાળે છે અને પોર્ટ ક્ષેત્રના ખાનગીકરણ માટે ભારતમાં પ્રથમ સ્થાને છે. ગુજરાત બધા મુખ્ય પોર્ટ-આધારિત વેપાર માર્ગો અને વિશ્વના મુખ્ય વેપાર કેન્દ્રોને બહેતર રોડ, રેલ અને એર કનેક્ટિવિટી સાથે સારી રીતે જોડાયેલું છે, આમ વિશાળ આંતરરાષ્ટ્રીય વેપાર તકો પ્રદાન કરે છે.

તેમણે કહ્યું કે, ભારતના પશ્ચિમ કિનારે તેના વ્યૂહાત્મક ભૌગોલિક સ્થાનના આધારે, પ્રોએક્ટિવ પોલિસીઝ અને પહેલ તેમજ મજબૂત ઔદ્યોગિક અને સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે ગુજરાત ભારતની દરિયાઇ સફળતાની વાર્તાના ધ્વજ ધારક તરીકે ઉભરી આવ્યું છે.

તેમણે ઉમેર્યું કે, સાગરમાલા પ્રોજેકટ એ પોર્ટ્સ, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયનો ફ્લેગશિપ કાર્યક્રમ છે. છેલ્લા સાત વર્ષમાં સાગરમાલા પ્રોજેકટ હેઠળ અનેક નવીન પહેલ કેન્દ્ર સરકારે હાથ ધરી છે જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધુનિકીકરણ દ્વારા પોર્ટ્સની ક્ષમતા વધારવા અને પોર્ટ્સની કનેક્ટિવિટીમાં વધારો કરવા માટે બંદરોની એકંદર ઓપરેશનલ ખર્ચ ઘટાડવા, વાહનો માટે ટર્ન અરાઉન્ડ સમય ઘટાડવા, કાર્યક્ષમતા અને થ્રુપુટને ઘટાડવામાં મદદ મળી છે મોટા જહાજોને હેન્ડલ કરવાની ક્ષમતા, અને દક્ષિણ એશિયાના પ્રદેશમાં ભારતીય બંદરોના વ્યૂહાત્મક મહત્વ વિકસાવવાની ક્ષમતા જેવા પગલાંઓને પરિણામે વર્ષ 2021-22માં 400 અબજ ડોલરની માલ નિકાસ સાથે રેકોર્ડ પ્રાપ્ત કર્યો છે.

સાગરમાલા પ્રોજેકટ હેઠળ ગુજરાતમાં સમૃદ્ધ દરિયાઇ ક્ષેત્રના વિકાસ માટે અનેરૂ પ્રોત્સાહન આપ્યું છે જેમાં પોર્ટ આધુનિકીકરણ, રેલ, રોડ, ક્રુઝ ટુરિઝમ, રો-રો અને પેસેન્જર જેટીઝ, મત્સ્યઉદ્યોગ, તટવર્તી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કૌશલ્ય વિકાસ, વગેરે જેવી વિવિધ કેટેગરીઝ હેઠળ પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવી રહ્યા છે. રાજયમાં રૂ. 57000 કરોડના 74 પ્રોજેક્ટ્સ કાર્યરત છે જેમાંથી રૂ. 9000 કરોડના 15 પ્રોજેક્ટ્સ પૂર્ણ થઈ ગયા છે. રૂ. 25000 કરોડના 33 પ્રોજેકટ અમલીકરણ હેઠળ છે અને રૂ. 22700 કરોડના 26 પ્રોજેક્ટ્સ વિવિધ તબક્કે પ્રગતિ હેઠળ છે.

મંત્રીશ્રી સોનોવાલે કહ્યું હતું કે,દરિયાઇ ભારત વિઝન ૨૦૩૦ના વિઝનને સાકાર કરવા માટે ગુજરાતે ઘોઘા-હઝીરા વચ્ચેની રોપેક્ષ સર્વીસની સેવાઓ શરૂ કરી દીધી છે જેના પરિણામે પૂર્વ અને પશ્ચિમ બાજુના વચ્ચેનું અંતર ઘટ્યું છે. ખંભાત-પીપાવાવ અને દ્વારકા વચ્ચે રો પેક્સ સુવિધા માટેના કામ મંજૂર કરવામાં આવ્યું છે જેના પરિણામે નાગરિકોના સમયની સાથે ઈંધણની બચત થશે અને પર્યાવરણના જતન સાથે પરિવહનની ઉત્તમ સેવાઓ ઉપલબ્ધ બનશે તેમ  તેમણે ઉમેર્યું હતું.

તેમણે ઉમેર્યું કે, સાગરમાલા પ્રોગ્રામ હેઠળ, તટવર્તી પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે, નેશનલ મેરિટાઇમ હેરિટેજ મ્યુઝિયમ કૉમ્પ્લેક્સ લોથલ પર 5000 વર્ષીય મેરિટાઇમ હેરિટેજનું પ્રદર્શનનું નિર્માણ કરાશે. ગુજરાત રાજ્યમાં આઇકોનિક સ્થળોને કનેક્ટ કરવા માટે વધુ સીપ્લેન સેવાઓ પણ અમલમાં આવી રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું

મંત્રીશ્રીએ કહ્યું કે, ભારત શિપ બ્રેકીંગ અને રિસાયક્લિંગ માટે શ્રેષ્ઠ સ્થળ છે. ગુજરાતમાં શિપ રિસાયક્લિંગની કામગીરી 1983થી  એલાંગ-સોસિયામાં શરૂ થઈ છે. 10 કિ.મી. તટવર્તી દરિયા કિનારા પર 153 પ્લોટ પર દર વર્ષે 200થી વધુ જહાજોનું રિસાયક્લિંગ કરીને દર વર્ષે ૩.૫ મિલિયન ટન સ્ટીલનું ઉત્પાદન કુદરતી સંસાધનોને નુકસાન કર્યા વગર કરે છે. શિપ રિસાયક્લિંગ ઉદ્યોગ આશરે 15000 વ્યક્તિઓને સીધા અને લગભગ 1.5 લાખ વ્યક્તિઓને રોજગારી આપે છે. યાર્ડની ક્ષમતાને બમણી કરવાની સૂચિત વિસ્તરણ યોજના સાથે, રોજગારની તકો પણ બમણી થઈ જશે, જે સમગ્ર પ્રદેશમાં વધુ આર્થિક સમૃદ્ધિ લાવશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ગ્રીન શિપ રિસાયક્લિંગનું હબ બનવા માટે ગુજરાત પાસે પૂરતું પોટેન્શ્યિલ છે. ગ્રીન શિપ રિસાયક્લિંગ ક્ષેત્રે નવા સ્ટાર્ન્ડડ સેટ કરવાની ગુજરાતની નેમ છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવીને દેશ અમૃતકાળમાં પ્રવેશ્યો છે. આ અમૃતકાળ ભારતના શિપ રિસાયક્લિંગ અને વ્હીકલ સ્ક્રેપીંગ ઉદ્યોગોના વિકાસનો અમૃતકાળ બનશે અને આ ઇન્ટરનેશનલ સેમિનાર તેમાં ઉદ્દીપક બની રહેશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ દર્શાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીના સચિવ અને ગુજરાત મેરિટાઈમ બોર્ડના વાઈસ ચેરમેન એન્ડ CEO શ્રી અવંતિકા સિંઘ ઔલખે આભારવિધિ કરતાં જણાવ્યું હતું કે, ગ્રીન શિપ રીસાયક્લિંગ એન્ડ વ્હિકલ સ્ક્રેપિંગ અંગેની આ બેદિવસીય ઈન્ટરનેશનલ કોન્ફરન્સ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.  

આ કોન્ફરન્સમાં શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાશનાથન, મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, બંદરો, વહાણવટા અને જળમાર્ગ મંત્રાલયના અધિક સચિવ શ્રી રાજેશકુમાર સિંહા, સંયુક્ત સચિવ શ્રી વિક્રમસિંઘ, દૂતાવાસના અધિકારીશ્રીઓ, શિપબ્રેકિંગ સાથે જોડાયેલાં ઉદ્યોગ સાહસિકો, ગુજરાત-કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીશ્રીઓ, પર્યાવરણવિદો ઉપસ્થિત રહ્યાં હતા.

આ પણ વાંચો:વધતા ભાવો પર આવશે અંકુશ, સરકાર બફર સ્ટોકથી 50 હજાર ટન ડુંગળી બજારમાં ઉતારશે

Share your comments

Subscribe Magazine

More on News

More