Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ખેડૂતો માટે ખુશખબર : હવે ફક્ત 12 સેકંડમાં જ જાણી શકાશે માટીનું આરોગ્ય, જાણો શું છે આ નવી ટેક્નોલૉજી ?

મોટા ભાગના ખેડૂતો માટીનું પરીક્ષણ (Soil Test) એટલા માટે કરાવવા ઇચ્છતા નથી, કારણ કે આ માટે સમય વધારે લાગે છે, પણ હવે આ સમસ્યામાંથી મુક્તિ મળવા જઈ રહી છે.

KJ Staff
KJ Staff
New technology developed by Indian Soil Institute
New technology developed by Indian Soil Institute

મોટા ભાગના ખેડૂતો માટીનું પરીક્ષણ (Soil Test) એટલા માટે કરાવવા ઇચ્છતા નથી, કારણ કે આ માટે સમય વધારે લાગે છે, પણ હવે આ સમસ્યામાંથી મુક્તિ મળવા જઈ રહી છે. હવે ગણતરીની સેકંડોમાં જ જાણી શકાશે કે તમારી માટીનું આરોગ્ય કેવું છે અને તેને કેવા પોષક તત્વોની જરૂર છે અથવા તો કયા તત્વો વધારે પ્રમાણમાં રહેલા છે ? હકીકતમાં મધ્ય પ્રદેશની ભોપાલ સ્થિત ઇંડિયન સૉઇલ ઇંસ્ટીટ્યૂટે એક એવી ટેક્નિક તૈયાર કરી છે કે જે ગણતરીની સેકંડોમાં માટીના આરોગ્ય અંગે માહિતી આપી દેશે. આ ટેક્નિકને સંસ્થાએ ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કૉપી નામ આપ્યું છે કે જેમાં માંડ 12 સેકંડમાં જ જાણી શકાશે કે માટીમાં કયા પોષક તત્વોની ઉપસ્થિતિ વધારે છે અને કયા પોષક તત્વોની ઉણપ છે ? અત્રે ઉલ્લેખનીય છે કે પરંપરાગત રીતે માટીના પરીક્ષણમાં 3થી 4 કલાકનો સમય લાગશે.

આ ટેક્નિકને સંસ્થાના વૈજ્ઞાનિકોએ કેન્યાના નૅરૉબી સ્થિત વિશ્વ કૃષિ વાનિકી કેન્દ્રના વૈજ્ઞાનિકો સાથે મળીને તૈયાર કરી છે કે જેમાં આશરે 5 વર્ષનો સમય લાગ્યો છે. આ દરમિયાન આશરે 2 હજારથી વધારે સૅમ્પલની તપાસ કરવામાં આવી છે. બીજી બાજુ આ ટેક્નિકની ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR)એ પ્રશંસા કરી છે.

પોતાના નિવેદનમાં ICARએ કહ્યું છે કે વર્તમાન સમયમાં ખાતરનો મોટા પ્રમાણમાં ઉપયોગ થવાને લીધે માટીમાં નાઇટ્રોજન, ફૉસ્ફરસ, ઝિંક, આયર્ન, કાર્બન, મૅંગેનીઝ જેવા તત્વોની ઉણપ આવી રહી છે. આ સંજોગોમાં માટીના આરોગ્યને ધ્યાનમાં રાખી આ ટેક્નિક મદદરૂપ બનશે.

 કેવી રીતે કામ કરે છે ટેક્નિક

 આ માટે સંસ્થાએ કેન્યાથી વિશેષ પ્રકારની મશીન મંગાવી છે, જેમા માટીના કણ રાખવામાં આવે છે. ત્યાર બાદ રેડિએશનની મદદથી માટીને સ્કૅન કરવામાં આવે છે. માટીના સ્કૅન થયા બાદ એક ખાસ સૉફ્ટવૅરની મદદથી એક ગ્રાફ તૈયાર થઈ જાય છે. આ સંપૂર્ણ પ્રક્રિયા થવામાં ફક્ત 20થી 30 સેકંડનો સમય લાગે છે. આટલા સમયમાં માટીમાં રહેલા 12 તત્વોની તપાસ કરવામાં આવે છે. ભારતીય સૉઇલ ઇંસ્ટીટ્યૂટના નિયામક ડો. અશોક કે.પાત્રાએ જણાવ્યું હતું કે આ ટેક્નિકથી ખેડૂતોને તાત્કાલિક માટીના આરોગ્ય અંગે જાણકારી મળી શકશે અને યોગ્ય પોષક તત્વ નાંખવામાં મદદ મળશે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More