Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ખેડૂતોને મળશે 8500 પ્રતિ હેકટરની સહાય, સરકાર ની ખાસ યોજના ચાલુ !

સરગવાની સિંગોમાં કાર્બોહાઈડ્રેટસ ૩.૭ %, પ્રોટીન ૨.૫% તેમજ વિપુલ પ્રમાણમાં ખનીજ તત્વો રહેલા છેઃ ડો.એમ.એમ.વહોરા ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે I-KHEDUT પોર્ટલ ખુલ્લુ મુકાયું.

KJ Staff
KJ Staff
Sargwani Sing
Sargwani Sing


માનવ આહારમાં શાકભાજીની અગત્યતા શરીરની સૌમ્યતા જાળવવાની સાથે સાથે આયુવૈદીક દ્રષ્ટીએ પણ ખૂબ જ અગત્યની હોવાથી શાકભાજી પાકોનું મહત્વ વધી રહ્યું છે. બાગાયતી ખેતીની ઉજળી તકોને કારણે શાકભાજી પાકો અને ફળપાકોની ખેતી હેઠળ દિવસે દિવસે વિસ્તાર વધી છે. શાકભાજીમાં સરગવાની સિંગ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. સરગવાની સિંગોમાં વિટામીન “બી” અને “સી” ભરપુર પ્રમાણમાં હોય છે. સરગવાની સિંગોમાં કાર્બોહાઈડ્રેટસ 3.7%, પ્રોટીન 2.5% તેમજ વિપુલ પ્રમાણમાં ખનીજ તત્વો રહેલા છે. આ ઉપરાંત મૂળ, ફૂલ અને છાલમાં પણ ઔષધીય ગુણ સમાયેલા છે. વિશેષમાં સરગવાની સિંગના માવામાં દીપન ગુણને કારણે મંદાગ્નીમાં, સંધિવા, શરીરનું અકડાઈ જવુ, પક્ષાઘાત, અનામત, સોજા, પથરી તેમજ ચામડી રોગોમાં રાહત આપે છે. હેડકી અને શ્વાસની બિમારીમાં પણ સરગવાના પાનનો રસ રાહત આપે છે. આમ સરગવો એ શાક્ભાજી તરીકે ખૂબજ ઉપયોગી સાબિત થયો છે. સરગવાની સિગનું શાક તથા કઢી, પાન અને ફૂલની ભાજી રૂપે, મૂળ અથાણા રૂપે, રસમ, દાળ વગેરેમાં વપરાય છે એમ વલસાડ જિલ્લાના મદદનીશ બાગાયત નિયામક ડો.એ.એમ.વહોરાએ જણાવ્યું છે.

બાગાયત વિભાગ, ગુજરાત રાજય દ્વારા સરગવાની ખેતીને પ્રોત્સાહન આપવા માટે “સરગવાની ખેતીમાં સહાય” યોજના કાર્યરત છે. આ યોજનાના ધારાધોરણો મુજબ (1) પ્લાંન્ટીગ મટીરીયલ ખરીદીમાં રૂ.8 હજાર યુનીટ કોસ્ટ સામે સામાન્ય જાતિના ખેડુતને રૂ.4 હજાર હેકટર અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતને રૂ. 6 હજાર હેકટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે (2) સરગવાની ખેતી ખર્ચ માટે સહાય ઘટક મુજબ રૂ.17 હજાર યુનીટ કોસ્ટ સામે સામાન્ય જાતિના ખેડુતને રૂ.8500 હેકટર અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિ જનજાતિના ખેડૂતને રૂ.12,750 હેકટરની મર્યાદામાં સહાય આપવામા આવશે.

આ પણ વાંચો: વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી, ખેડૂતો અને APMCના વેપારીઓને તકેદારી રાખવા અનુરોધ

બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે વર્ષ 2023-24માં બાગાયત ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો માટે ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે I-KHEDUT પોર્ટલ તા.31 મેં 2023 સુધી સરકાર દ્વારા ખુલ્લુ મૂકવામાં આવેલ છે. આ યોજનાઓનો લાભ મેળવવા માટે ખેડૂતોએ આઈખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ઓન લાઈન કરેલ અરજીની પ્રિંટ નકલ જરૂરી સાધનીક કાગળો જેવા કે 8-અ ની નકલ, આધાર કાર્ડની નકલ, જાતિનો દાખલો, બેંક ખાતાની વિગતો સાથે સાથેની અરજી સાથે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, શ્રમજીવી વિદ્યામંડળ સંકુલ,પહેલો માળ, એચ.ડી.એફ.સી.વલસાડ બેંક શાખાની સામે, તિથલ રોડ,વલસાડ-૩૯૬૦૦ ટેલીફોન નંબર-૦૨૬૩૨-૨૪૩૧૮૩ ખાતે જમા કરાવવાની રહેશે એમ નાયબ બાગાયત નિયામકશ્રી, વલસાડ કચેરીની અખબાર યાદીમાં જણાવેલ છે.

Share your comments

Subscribe Magazine

More on News

More