Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

પોતાના ચૂંટણી ઢંઢેરામાં ભાજપ ખેડૂતોને આપ્યું 23 વચન, પ્રાકૃતિક ખેતી પર મુકવામાં આવ્યું ભાર

લોકસભાની ચૂંટણી માટે આજે પહેલા તબક્કાના ચૂંટણી પ્રચાર પતી જશે. કેમ કે 19 એપ્રિલના રોજ પહેલા તબક્કા માટે મતદાન થશે. તેથી પહેલા દરેક રાજનીતિક દળ પોત-પોતાના ચૂંટણી ઢંઢેરા જાહેર કરી દીધું છે. કોંગ્રેસ પછી હવે ભાજપ પણ પોતાના ચૂંટણી ઢંઢેરા જાહેર કર્યો છે. જ

Amansinh Jadeja
Amansinh Jadeja
ખેડૂતોને ભાજપે આપ્યું 23 વચન
ખેડૂતોને ભાજપે આપ્યું 23 વચન

લોકસભાની ચૂંટણી માટે આજે પહેલા તબક્કાના ચૂંટણી પ્રચાર પતી જશે. કેમ કે 19 એપ્રિલના રોજ પહેલા તબક્કા માટે મતદાન થશે. તેથી પહેલા દરેક રાજનીતિક દળ પોત-પોતાના ચૂંટણી ઢંઢેરા જાહેર કરી દીધું છે. કોંગ્રેસ પછી હવે ભાજપ પણ પોતાના ચૂંટણી ઢંઢેરા જાહેર કર્યો છે. જેમાં ખેડૂતોને 23 વચન આપવામાં આવ્યા છે. ભાજપના મેનિફેસ્ટો મુજબ જો કેન્દ્ર નરેંદ્રભાઈ મોદીના નેતૃત્વમાં ફરીથી ભાજપની સરકાર રિપીટ થાય છે તો ખેડૂતો માટે આ 23 કાર્ય કરવામાં આવશે.. તો ચાલો અમે તમને જણાવીએ કે ભાજપ અને પીએમ મોદી ખેડૂતોને કયા 23 વચન આપ્યા છે.

ભાજપના ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોને આપવામાં આવ્યા 23 વચન

  • જો કેન્દ્રમાં ભાજપની સરકાર ફરીથી રિપિટ થશે તો શાકભાજીના ઉત્પાદન અને સંગ્રહ માટે નવા ક્લસ્ટર બનાવામાં આવશે.આ ઉપરાંત, ડુંગળી, ટામેટા, બટાકા વગેરે જેવી આવશ્યક શાકભાજીના ઉત્પાદન માટે નવા ક્લસ્ટરની સ્થાપના કરવામાં આવશે. આ ક્લસ્ટરોમાં સંગ્રહ અને વિતરણની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે.
  • બાજરીને વિશ્વમાં ઓળખ અપાવા માટે અમે બાજરીને સુપરફૂડ તરીકે સ્થાપિત કરીશું. તેમ જ નાના ખેડૂતોને બાજરીની ખેતી કરવા પ્રોત્સાહિત કરવામાં આવશે.
  • ભારતને વિશ્વના ન્યુટ્રી-હબ તરીકે સ્થાપિત કરવામાં આવશે. અમે બાજરીના આંતરરાષ્ટ્રીય વર્ષની સફળતાના આધારે ખાદ્ય સુરક્ષા, પોષણ સુરક્ષા અને પર્યાવરણ સુરક્ષા માટે બાજરીને પ્રોત્સાહન આપીશું.
  • પ્રાકૃતિક ખેતી પર એક રાષ્ટ્રીય મિશન શરૂ કરાવામાં આવશે, જે હેઠળ અમે નફાકારક ખેતી, પર્યાવરણ સુરક્ષા વગેરે સુનિશ્ચિત કરીશું. જંતુનાશકોનો ઉપયોગ, સિંચાઈ, જમીનની તંદુરસ્તી, હવામાનની આગાહી જેવી કૃષિ સંબંધિત પ્રવૃત્તિઓ માટે સ્વદેશી ભારતીય કૃષિ ઉપગ્રહ લોન્ચ કરવામાં આવશે
  • આપણે પાક વૈવિધ્યકરણ તેમજ વાજબી ભાવ સપોર્ટને પ્રોત્સાહન આ સાથે કૃષિ પર્યાવરણને અનુકૂળ અને નફાકારક બનાવવા માટે પાક વૈવિધ્યકરણને વધુ વિસ્તૃત કરીએ.
  • કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સંકલિત યોજનાઓ જેમ કે સંગ્રહ સુવિધાઓ, સિંચાઈ, ગ્રેડિંગ અને વર્ગીકરણ એકમો, કોલ્ડ સ્ટોરેજ સુવિધાઓ અને ફૂડ પ્રોસેસિંગના સંકલિત અમલીકરણ માટે કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન શરૂ કરવામાં આવશે.
  • પીએમ કૃષિ સિંચાઈ યોજના હેઠળ સિંચાઈ ક્ષમતામાં 25.5 લાખ હેક્ટરનો વધારો કરીને.કાર્યક્ષમમાં જળ વ્યવસ્થાપન માટે ટેક્નોલોજીના યોગ્ય ઉપયોગ સાથે સિંચાઈ ક્ષમતાઓને વિસ્તૃત કરવામાં આવશે.
  • ગ્રામીણ વિસ્તારોમાં વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના હેઠળ PACS માં પર્યાપ્ત સંગ્રહ ક્ષમતા વિકસાવવામાં આવશે, તેમ જ ગ્રાઇન્ડીંગ, સોર્ટિંગ, પ્રોસેસિંગ અને પેકિંગ જેવી સુવિધાઓથી પૂર્ણ કરવામાં આવશે.
  • કૃષિમાં માહિતીની અસમપ્રમાણતાને દૂર કરવા અને ખેડૂત કેન્દ્રિત સોલ્યુશન્સ અને સેવાઓ પ્રદાન કરવા માટે ડિજિટલ જાહેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકસવવામાં આવશે. તેમ જ 25,000 કસ્ટમ હાયરિંગ સેન્ટર્સની સ્થાપના કરવામાં આવશે. કૃષિ મશીનરી અને સાધનોના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરતા કસ્ટમ હાયરિંગ સેન્ટરની સંખ્યા બમણી કરશે
  • કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK)નું વિસ્તરણ કરીને. ખેડૂતોને ડિજિટલ સોલ્યુશન્સ આપવા માટે અમે KVK ને અપગ્રેડ કરીશું. અમે કૌશલ્ય વિકાસ માટે તમામ કૃષિ વિજ્ઞાન કેન્દ્રોને વન-સ્ટોપ કેન્દ્રોમાં અપગ્રેડ પણ કરીશું.
  • પીએમ કિસાન સમૃદ્ધિ કેન્દ્રોનું વિસ્તરણ કરવા વન સ્ટોપ કેન્દ્રો તરીકે સ્થાપિત કરવાના સાથે.પીએમ કિસાન સમૃદ્ધિ કેન્દ્રોના નેટવર્કને વધુ વિસ્તૃત કરવામાં આવશે.ખેડૂતોને સારી ક્ષમતા ધરાવતા કુદરતી બિયારણનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરીશું.

આ પણ વાંચો: ખેડૂતો માટે મોટા-મોટા આગેવાનો સામે મહિલા ખેડૂતની ગર્જન, ગમી રહ્યું છે લોકોને પ્રચારનું સ્ટાઈલ

  • ખેતીની જમીનને ફળદ્રુપ રાખવામાં નેનો યુરિયા ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. અમે તેના ઉપયોગને વધુ વિસ્તૃત કરીશું, ડેરી સહકારી મંડળીઓનું વિસ્તરણ કરીને આગામી પાંચ વર્ષમાં ચારા બેંકો, દૂધ પરીક્ષણ પ્રયોગશાળાઓ, બલ્ક મિલ્ક કૂલર અને દૂધ પ્રોસેસિંગ સુવિધાઓ સાથે ગામડાઓમાં ડેરી સહકારી મંડળીઓનું નેટવર્ક વિસ્તારમાં આવશે.
  • ઉત્પાદકતા વધારવા અને તેમની આનુવંશિક વિવિધતાને જાળવવા માટે મૂળ પ્રાણીઓની પ્રજાતિઓ અને સ્થળાંતરનું સંરક્ષણ કરવામાં આવશે. ફુટ એન્ડ માઉથ ડિસીઝ (FMD) ને અટકાવવા અને રસીકરણ અભિયાન દ્વારા બ્રુસેલોસિસને પણ નિયંત્રિત કરીને સહકારી સંસ્થાઓને મજબૂત, કાર્યક્ષમ, પારદર્શક, તકનીકી રીતે સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશ્ય સાથે રાષ્ટ્રીય સહકારી નીતિનો અમલ કરવામાં આવશે.
  • પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને 6,000 રૂપિયાની વાર્ષિક નાણાકીય સહાય મળવાનું ચાલૂ રહશે. પીએમ પાક વીમા યોજનાને મજબૂત બનાવવી પાકના નુકસાનનું ઝડપી અને સચોટ મૂલ્યાંકન, સમયસર ચૂકવણી અને ખેડૂતોની સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ સુનિશ્ચિત કરવામાં આવશે.
  • આપણે મુખ્ય પાકો માટે MSPમાં અભૂતપૂર્વ વધારો કર્યો છે અને આગળ પણ કરીશું. સમયમર્યાદામાં MSP વધારવાનું ચાલુ રાખીશું.તેમ જ કઠોળમાં તૂવેરની દાળ, અડદ, મસૂર, મગ અને ચણા અને ખાદ્ય તેલ જેમ કે સરસવ, સોયાબીન, તલ અને મગફળીના ઉત્પાદનમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે અન્નદાતાને  ભાજપની સરકાર આવનારા પાંચ વર્ષોમાં સમૃદ્ધ બનાવશે.

Share your comments

Subscribe Magazine

More on News

More