Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

થરાદ પહોંચી MFOI,VVIF ખેડૂત ભારત યાત્રા, વડેચી ખેડૂત ઉત્પાદક સંસ્થા(એફપીઓ) દ્વારા થયુ ભવ્ય સ્વાગત

કૃષિ જાગરણ તેની નવીન પહેલ દ્વારા ભારતીય કૃષિમાં ક્રાંતિ કરવાનું ચાલુ રાખે છે. મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત તેના 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ'ની શાનદાર સફળતા બાદ, સંસ્થાએ 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા' શરૂ કરી છે, જે સમગ્ર દેશમાં ખેડૂતોને સશક્તિકરણ કરવાના હેતુથી પરિવર્તનકારી રોડ શો છે. હવે તે યાત્રા આપણા ગુજરાત પહોંચી ગઈ છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
વડેચી ખેડૂત પ્રોડ્યૂસર સંસ્થા દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત
વડેચી ખેડૂત પ્રોડ્યૂસર સંસ્થા દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત

કૃષિ જાગરણ તેની નવીન પહેલ દ્વારા ભારતીય કૃષિમાં ક્રાંતિ કરવાનું ચાલુ રાખે છે. મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત તેના 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ'ની શાનદાર સફળતા બાદ, સંસ્થાએ 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા' શરૂ કરી છે, જે સમગ્ર દેશમાં ખેડૂતોને સશક્તિકરણ કરવાના હેતુથી પરિવર્તનકારી રોડ શો છે. હવે તે યાત્રા આપણા ગુજરાત પહોંચી ગઈ છે.

ખેડૂત ભારત યાત્રા ગુજરાતમાં પોતાની યાત્રા ગુરૂવારે 11 એપ્રિલથી શરૂ કરી હતી. જો કે 29 મે સુધી સમગ્ર ગુજરાતમાં ફરીને રાજ્યના કૃષિ વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરશે અને ખેતીમાં આપણે કેવી રીતે પરિવર્તન કરીને તેને એક સારા રોજગારની તક તરીકે ઉભા કરી શકીએ છીએ તેના વિશે પર ચર્ચા કરશે. તેના સાથે જ રાજ્યના ખેડૂતો સાથે પણ વાતચીત કરીને તેઓની સમસ્યાઓના ઉકેળ કાઢશે. તેમ જ આ યાત્રા દરમિયાન ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત પણ કરવામાં આવશે.

થરાદમાં પ્રગતિશીલ ખેડૂતોએ કર્યો યાત્રાનું ભવ્ય સ્વાગત

કૃષિ જાગરણ દ્વારા આયોજિત એમએફઓઆઈ,વીવીઆઈએફ ખેડૂત ભારત યાત્રા ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન કરવા અને બીજા નાના ખેડૂતોની સમસ્યા જાણવા માટે રાજ્યના ખુણે-ખુણે સતત ફરી રહી છે.એજ સંદર્ભમાં ખેડૂત ભારત યાત્રા અત્યારે બનાસકાંઠાના પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન કરવા તેમ જ જિલ્લાના બીજા ખેડૂતોની સમસ્યા જાણવા માટે લખાણી તાલુકા પછી જિલ્લાની થરાદ તાલુકા ખાતે આવેલ રામપુરા ગામે પહોંચી હતી. રવિવારે 28 એપ્રીલના રોજ ખેડૂત ભારત યાત્રાનું રામપુરા ગામમાં પ્રગતિશીલ ખેડૂતો અને વડેચી ખેડૂત ઉત્પાદક સંસ્થા નામથી ઓળખાતા એફપીઓના ડાયરેક્ટર ઉદેશીભાઈ પટેલ તેમ જ એફપીઓના કર્મચારિઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ગામના પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન કરવામાં આવ્યા હતા અને ગામની સમસ્યાને લઈને ઉદેશીભાઈ પટેલ અને બીજા ખેડૂતો સાથે અમારા રિપોર્ટર હર્ષભાઈ જીતેન્દ્રભાઈ પટેલ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી, જો કે તમે આ લિંક ઉપર ક્લિક કરીને જોઈ શકો છો. https://fb.watch/rK_Hltvw0V/ આ ઉપરાંત ખેડૂતોને #MFOI, #VVIF મિલેનીયોર ફાર્મર ઓફ ઇન્ડિયા વિશે પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.

ખેડૂતોની ફરિયાદ પર વધારવામાં આવ્યું યાત્રાનું સમય

તમને જણાવી દઈએ કે ખેડૂતોની માંગણીને જોતા એમએફઓઆઈ, વીવઆઈએફ ખેડૂત ભારત યાત્રાના સમયને ગુજરાતમાં વધારી દેવામાં આવ્યું છે. હવે ખેડૂત ભારત યાત્રા ગુજરાતમાં 25 અપ્રિલ સુધી નથી પણ 29 મે સુધી રોકાશે અને ગુજરાતના દરેક જિલ્લામાં જઈને ત્યાંના પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરશે અને તેમની અને બીજા ખેડૂતોને થઈ રહેલી કોઈ પણ પ્રકારની સમસ્યા ઉપર ચર્ચા કરશે તેમનું ઉકેલ શોધવાનું પ્રયાસ કરશે. જો તમે પણ તમારા ગામડાના પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન કરવાનું ઇચ્છો છો અને એક ખેડૂત તરીકે થઈ રહેલી કોઈ સમસ્યાનું ઉકેલ મેળવવા માંગો છો આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો (+91 93542 19049)

Share your comments

Subscribe Magazine

More on News

More