Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

જંતુઓથી પાકને સાચવવા માટે વડીલોની આ રીતનો કરો ઉપયોગ

વૈજ્ઞાનિકો બિચારણનો સ્વદેશી સંગ્રહ કર્યો છે. જેથી પાક ખરાબ નહીં થાય. આ શોઘમાં વૈજ્ઞાનિકોએ હળદરનું રક્ષણ આપીને તુવેરનાં બિચારણનો સંગ્રહ કરીને સફળતા મેળવી છે. ગુજરાતમાં હળધરના વાવેતરની વાત કરીએ તો અહીંયા હળદરનો 80 હજાર ટનંમાં ઉત્પાદન થાય છે

Amanbhai Krishanbhai Kumar Verma
Amanbhai Krishanbhai Kumar Verma
હળદર (Turmeric)
હળદર (Turmeric)

વૈજ્ઞાનિકો બિચારણનો સ્વદેશી સંગ્રહ કર્યો છે. જેથી પાક ખરાબ નહીં થાય. આ શોઘમાં વૈજ્ઞાનિકોએ હળદરનું રક્ષણ આપીને તુવેરનાં બિચારણનો સંગ્રહ કરીને સફળતા મેળવી છે. ગુજરાતમાં હળધરના વાવેતરની વાત કરીએ તો અહીંયા હળદરનો 80 હજાર ટનંમાં ઉત્પાદન થાય છે 

ખેડૂત આપણા માટે પાક ઉગાડે છે એટલે તેને જગતના તાત કહવામાં આવે છે. પરંતુ જ્યારે ખેડૂત પાકની લણણી કરે છે અને તેને સાચવે છે, તો તે મુંઝાવણમાં મુકાઈ જાય છે. કેમ કે, લણણી પછી બિચારણને સાચવુ ખેડૂતો માટે સૌથી મુશકેલ કામ છે. બીમાં જંતુ પડવા અને  ફૂગ લાગી જવાથી પાક ખરાબ થઈ જાય છે. આને સાચવીને રાખવા માટે ખેડૂતો અનેક પ્રકારના રાસાયણિક દવાઓનો ઉપયોગ કરે છે. જેથી બી તો સુરક્ષિત થઈ જાય છે પણ રસાયણના કારણે આપણ સ્વાસ્થ પર માઠો અસર પડે છે. આને રોકવા માટે વૈજ્ઞાનિકોએ નવી અને સસ્તી રીત શોધી છે.જેને આપણા વડીલો પહેલાના સમયમાં કરતા હતા.  

શુ શોધ કર્યુ વૈજ્ઞાનિક

વૈજ્ઞાનિકો બિચારણનો સ્વદેશી સંગ્રહ કર્યો છે. જેથી પાક ખરાબ નહીં થાય. આ શોઘમાં વૈજ્ઞાનિકોએ હળદરનું રક્ષણ આપીને તુવેરનાં બિચારણનો સંગ્રહ કરીને સફળતા મેળવી છે. ગુજરાતમાં હળધરના વાવેતરની વાત કરીએ તો અહીંયા હળદરનો 80 હજાર ટનંમાં ઉત્પાદન થાય છે અને 19,70 લાખ ટન હેકટરમાં હળદર બને છે. જેના પાનમાંથી તેલ નિકાળવા પછી અનાજને સુરક્ષિત રાખવા માટે વાપરી શકાય છે.

અનાજને પ્રાકૃતિક રીતે સુરક્ષિત રાખવા માટે હળદર પાવડર, લીમડો, નીલગિરી, લીંબુ ઘાસ, અને તુલસીના છોડના રસનો પ્રયોગ કરવામાં આવ્યુ હતા આ બધામાં સૌથી વધારે અસરકારક હળદરના રસને માનવામાં આવ્યું હતા. પોતાની શોધમાં વૈજ્ઞાનિકોએ તુવેરના બીને હળદરના પાવડરમાં એક વર્ષ સુધી સાચવીને રાખ્યા જેથી વિશ્ન વિદ્યાલયના ખેતરમાં બી રોપવાથી સારા પરિણામ મળ્યા હતા

થાઈલેંડમાં રજુ થયુ હતુ સંશોધન

વૈજ્ઞાનિકોએ આ સંશોઘનને 28 જાન્યુઆરી 2020ના દિવસે થાઈલેન્ડમાં થઈ એક અંતરરાષ્ટ્રીય પરિષદમાં રજુ કર્યુ હતુ.જેમા આ સંશોધનના લીધે ભારતીય શોધકર્તાઓને આવાર્ડ આપવામાં આવ્યું હતું સાથે સંશોધનને આસીએઆરની મંજૂરી પણ આપલવામાં આવી હતી.

હળદરમાં એવું તો શુ છે

હળદરમાં કર્ક્યુમિન જોવા મળે છે, તેથી તે કડવું છે, જેના કારણે બેક્ટેરિયા, ફૂગ, કૃમિ વધતા નથી. લગભગ એક વર્ષ સુધી બીજને સુરક્ષિત રાખી શકે છે. ખેડૂતો પોતાના ખોરાક માટે અનાજ, કઠોળ, મગફળીને આખું વર્ષ તેથી સુરક્ષિત રાખી શકાય છે. હળદર પાવડરમાં સંગ્રહ કરવાથી તે સંપૂર્ણપણે રાસાયણિક મુક્ત રહે છે.

હળદરમાં એન્ટી ઓક્સિડેન્ટ અને એન્ટી માઇક્રોબાયલ ગુણ પણ હોય છે. આ કારણોસર, ઘરમાં રાખવામાં આવેલી હળદરને પણ જંતુ લાગતાં નથી. આગામી સમયમાં કર્ક્યુમિનના નેનોપાર્ટિકલ્સથી બીજને તે બચાવી શકાશે. સાથે જ આ ટેકનોલોજીની મદદથી નેનોપાર્ટિકલ્સ દ્વારા બીજને સાચવવાનું પણ સરળ બનાવશે.

Turmeric
Turmeric

હળદરનો ઉપયોગ

હાલ ગુજરાતમાં પરંપરાગત રીતે હળદરનો ઉપયોગ ચોખા સાચવવામાં થાય છે. મોટે ભાગે દિવેલ, લીમડો, રાખ, બોરીક પાવડર, પારાની ગોળી વડે પરંપરાગત રીતે અનાજ સાચવવામાં આવે છે.ઘરમાં વર્ષ ભરનું અનાજ ભરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. મોંઘા અનાજ ખરાબ ન થાય તે માટે આવું કરવામાં આવે છે.ઘઉંમાં લીમડાના પાન, દિવેલ, ડુંગળી, સૂવાદાણાની પોટલી, દીવાસળીની સળીઓને દોરા વડે બાંધીને તોરણ કરી રાખે છે.

બોડુથરાના ફળ, કુવળનો થર ઘઉં સાચવવા ઉપયોગ કરે છે.ચોખા સાચવવા માટે ચૂનો, નગોડના પાન, વડના પાન, કીડામારી પાન, કુબાના પાન, કોપરાની છીણ, હળદરની પોટલી, તુલસી, ફૂદીનો, કપૂર વગેરેનો ઉપયોગ થાય છે. મકાઈ સાચવવા માટે લીમડો, રાખ, મીઠું અને  રૂઝડાના પાનનો ઉપયોગ થાય છે.

બાજરી, નાગલી-રાગીને સાચવવા માટે લીંબુડી, લીમડો, કુબાના ડુંડાનો ઉપયોગ થાય છે. જુવાર સાચવવા માટે આખા મરચાં રાખી શકાય છે. તેલના ડબ્બામાં ચણા નાખવાથી તેલ ખોરું થતું નથી. વળી કારેલાની છાલ લોટમાં રાખવાથી જીવાત પડતી નથી. લવિંગ અને મરચાંને પોટલીમાં કબાટમાં રાખવાથી કપડામાં જીવાત પડતી નથી. આપણે જેટલા બધા પ્રયોગોની ઉપર વાત કરી છે તે બધા આપણા વડીલો વર્ષોથી કરતા આવી રહ્યા છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More