Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

સીતાફળમાં આવતા ચીકટો (મિલીબગ) ના રોગને નિવારવાના ઉપાય

સીતાફળનું ઉત્પત્તિસ્થાન ઉતર અમેરિકા છે. તેમ છતાં વેદો પુરાણોના આધારે ભારતના જંગલોમાં સીતાફળ જોવા મળેલ અને ધીરે ધીરે લોકો તેનો ઉપયોગ જાણતા થયા ત્યારબાદ સુકા વિસ્તારમાં કે જયાં પડતર જમીનો હોય અને પિયતની બિલકુલ સગવડ ન હોય તેવી જમીનોમાં વાવેતર થવા લાગ્યુ. હાલ ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તાર જેવા કે ભાવનગર, જુનાગઢ, બનાસકાંઠા,સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં જોવા મળેલ છે. આજે આપણે વાત કરીશુ કે સીતાફળના પાકમાં આવતા ચીકટો (મિલીબગ)ના રોગને કઈ રીતે કંટ્રોલમાં લાવવો.

Sukhadev Thakor
Sukhadev Thakor
સીતાફળ
સીતાફળ

સીતાફળનું ઉત્પત્તિસ્થાન ઉતર અમેરિકા છે. તેમ છતાં વેદો પુરાણોના આધારે ભારતના જંગલોમાં સીતાફળ જોવા મળેલ અને ધીરે ધીરે લોકો તેનો ઉપયોગ જાણતા થયા ત્યારબાદ સુકા વિસ્તારમાં કે જયાં પડતર જમીનો હોય અને પિયતની બિલકુલ સગવડ ન હોય તેવી જમીનોમાં વાવેતર થવા લાગ્યુ. હાલ ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તાર જેવા કે ભાવનગર, જુનાગઢ, બનાસકાંઠા,સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં જોવા મળેલ છે. આજે આપણે વાત કરીશુ કે સીતાફળના પાકમાં આવતા ચીકટો (મિલીબગ)ના રોગને કઈ રીતે કંટ્રોલમાં લાવવો.

સીતાફળમાં રોગનું સંકલિત વ્યવસ્થાપન

  • ખરી ગયેલ પાન તથા ફળો વીણી તેનો નાશ કરવો તેમજ સુકાઈ ગયેલ ડાળીઓ કાપીને બાળી દઈ બગીચાની ચોખ્ખાઈ જાળવવી.
  • આ જીવાત શરૂઆતની પેઢીમાં જમીનમાં રહેલ માદા પોતાના શરીર સાથે ચોટેલ કોથળીમાં ઈંડા મુકતી હોય છે. તેથી ખામણાંમાં ઉંડો ગોડ કરી ઝાડની ફરતે કિવનાલફોસ 1.5% ભૂકી ખામણાના માપ પ્રમાણે 100 થી 200 ગ્રામ મુજબ ભેળવવી તેથી જમીનમાં રહેલાં ઈંડાંમાંથી બહાર આવતાં મિલીબગના બચ્ચાંઓ જંતુનાશક દવાના સંપર્કમાં આવતા નાશ પામે છે.
  • બાકીની જમીનમાં આ દવા 25 કિ.ગ્રા./હે પ્રમાણે જમીનમાં ભેળવવી. ઝાડની ફરતે તથા લાકડાના ટેકા ઉપર જમીનથી એક ફુટની ઉંચાઈએ પોલીથીલીન સીટનો એક ફૂટ પહોળો પટ્ટો લગાવી તેના ઉપર ગ્રીસ લગાડવું અને છાણ માટીના મિશ્રણની પટ્ટાની નીચેની કિનારી બંધ કરવી, જેથી આ જીવાતના બચ્ચાંઓ ઝાડ પર ચડતા અટકાવી શકાય છે.
  • ચોમાસામાં વરસાદ બાદ ઉગી નીકળેલ ઘાસ તથા સીતાફળના રોપાઓમાં શરૂઆતમાં આ જીવાતનો ઉપદ્રવ જોવા મળે છે. તેથી ઉગી નીકળેલ ધાંસ તથા રોપાઓને ઉપાડીને નાશ કરવો.
  • આ જીવાતનો ઉપદ્રવ ઝાડ પર શરૂ થઈ ગયેલ હોય તો કલોરપાયરીફોસ 20 ઈસી 25 મિ.લિ. અથવા કિવનાલફોસ 25 ઈસી 20 મિ.લિ. 10 લિટર પાણીમાં ભેળવી છોડના બધા ભાગો બરાબર ભીંજાય તે રીતે છંટકાવ કરવો. આ દવાઓ વારાફરતી વાપરવી. દવાનો છંટકાવ ઉપદ્રવ શરૂ થયે તુરત જ કરવો જોઈએ.
  • જીવાત મોટી થયા પછી તેના શરીર મીણયુકત આવરણ હોવાથી ઠવાની અસરકારકતા ઓછી રહે છે

 માહિતી સ્ત્રોત - ખોડિફાડ શૈલેષ બી. M.Sc. (Agri.) Plant Pathology ગ્રામ નિર્માણ સમાજ - દેવળીય

આ પણ વાંચો - સીતાફળમાં આવતા ચીકટો (મિલીબગ) ના રોગની ઓળખ

આ પણ વાંચો - ગુજરાતના ખેડૂતોએ કર્યુ કમાલ, કેળાના થડમાંથી બનાવે છે કાગળ

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More