Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

જમીન સ્વાસ્થ્ય પત્રક ભાગ-2

જમીન સ્વાસ્થ્ય પત્રક કાર્યક્રમ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા વ્યકતિગત ખેડુત માટેના આદર્શ ખેત ઉત્પાદન કાર્યક્રમની સાથે સાથે ગામ તેમજ તાલુકાના આદર્શ ખેત ઉત્પાદન કાર્યક્રમનો સમાવેશ કરી મોડેલ એકશન પ્લાન તૈયાર કરવામાં આવેલ છે.

જમીન સ્વાસ્થ્ય પત્રક કાર્યક્રમ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા વ્યકતિગત ખેડુત માટેના આદર્શ ખેત ઉત્પાદન કાર્યક્રમની સાથે સાથે ગામ તેમજ તાલુકાના આદર્શ ખેત ઉત્પાદન કાર્યક્રમનો સમાવેશ કરી મોડેલ એકશન પ્લાન તૈયાર કરવામાં આવેલ છે.

જમીન સ્વાસ્થય પત્રકની ઉપયોગીતા:-

જમીન સ્વાસ્થ્ય પત્રક કાર્યક્રમ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા વ્યકતિગત ખેડુત માટેના આદર્શ ખેત ઉત્પાદન કાર્યક્રમની સાથે સાથે ગામ તેમજ તાલુકાના આદર્શ ખેત ઉત્પાદન કાર્યક્રમનો સમાવેશ કરી મોડેલ એકશન પ્લાન તૈયાર કરવામાં આવેલ છે. આ એકશન પ્લાનમાં રાજયના તમામ ગામોની ખેતીની જમીનની ચકાસણીની વિગતોનો સમાવેશ કરવામાં આવેલ છે. જેના આધારે જમીનમાં કયા પોષકતત્વો કેટલા પ્રમાણમાં આવેલા છે અને લેવામાં આવનાર પાકો માટે કયા પોષક તત્વો કેટલા પ્રમાણમાં આપવા જરૂરી છે તે નક્કી કરી તે મુજબ ખાતરના વપરાશ અંગે ખેડુતોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે. જેને પરિણામે ખાતરનો બિનજરૂરી વપરાશ ઘટાડી શકાય છે અને ખેતી ખર્ચ ઘટતાં એકમ વિસ્તારમાંથી વધારે નફો થાય છે, સાથે સાથે જમીનનું સ્વાસ્થ્ય તથા ફળદ્રુપતા જળવાઈ રહે છે.

જમીનની ફળદ્રુપતના ઘટાડો એવી રીતે કરો દૂર, નિષ્ણાતોની રાય

જમીનના પૃથ્થકરણની જરૂરીયાત શા માટે?

૧. જમીનનું બંધારણ, નિતારશક્તિ, ભેજ સંગ્રહશક્તિ જેવા જમીનના ભૌતિક ગુણધર્મોની માહિતી મેળવવા.

૨. જમીનની ફળદ્રુપતા કક્ષા એટલે કે જમીનની પાકને આવશ્યક પોષકતત્વો પુરા પાડવાની શક્તિ જાણવા.

૩. જમીનમાં આપવામાં આવતાં ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ જાણવા.

૪. પાક પ્રમાણે ખાતરની જરૂરીયાત નક્કી કરી ભલામણનો દર નક્કી કરવા.

૫. જમીનનો પ્રકાર, જમીનના પ્રશ્નો જેવા કે ખારી, ભાસ્મિક કે અમ્લીય હોયતો તે જાણીને તેની સુધારણાના ઉપાય કરવા.

૬. જમીન ધોવાણનું પ્રમાણ જાણીને તેને અટકાવાના ઉપાયો કરવા.

૭. ગ્રામ્ય, તાલુકા, જિલ્લા કે રાજય કક્ષાએ જમીનની ફળદ્રુપતાના નકશા કરવા.

જમીન સ્વાસ્થ્ય પત્રક યોજનાની રૂપરેખા -ભાગ 1

જમીનના નમુના અંગે ધ્યાનમાં રાખવાની બાબતો:-

૧. જમીનનો નમુનો પાકની કાપણી બાદ અથવા પાકની વાવણી પહેલાં લેવો.

૨. ખાતરનો ખાડો, વાડ, ઝાડ, શેઢો કે પાણીના ઢાળિયા નજીકથી જમીનનો નમુનો લેવો નહી.

૩. ખાતર આપ્યા પછી કે પાણી આપ્યા પછી તરત જ નમુનો લેવો નહી.

૪. બાગાયતી કે ઊંડા મુળવાળા પાકો માટે એકજ જગ્યાએથી ૩ અથવા વધારે ઊંડાઈના અલગ-અલગ નમુના લેવા. ઝાડની ઉપરની ડાળીનો ઘેરાવો પુરો થાય તે જગ્યાએથી નમુનો લેવો.

૫. નમુનો સુકવવા ખાતરવાળી થેલીનો ઉપયોગ કરવો નહી.

૬. નમુનો હંમેશા ખાતરની થેલી, ટ્રેકટરની બેટરી, રાખ કે છાણ વગેરેથી દુર રાખવો.

જમીનનું પૃથ્થકરણ કરવાથી મળતી માહિતી:

સામાન્ય રીતે જમીન ચકાસણીને પ્રયોગશાળામાં જમીનનું રાસાયણિક પૃથ્થકરણ કરતાં જમીનનો પ્રતિક્રિયા આંક (pH), કુલ દ્રાવ્ય ક્ષારોના ટકા, સેંદ્રિય કાર્બનના ટકા, લભ્ય ફોસ્ફોરસ અને પોટાશની માહિતી મળે છે. જેની વિગત નીચે કોઠામાં જણાવેલ છે.

અ.નં.

વિગત

પોષક તત્વોની માત્રા

અલ્પ

મધ્યમ

પુરતી

પી.એચ.આંક

૬.૫ થી ઓછો અમ્લીય

૬.૫ થી ૭.૫ સામાન્ય

૭.૫ થી વધુ ભાસ્મિક

કુલ દ્રાવ્ય ક્ષારો (%)

૦.૨ થી ઓછો

૦.૨ થી ૦.૪

૦.૪ થી વધારે

સેન્દ્રિય કાર્બન (%)

૦.૫ થી ઓછો

૦.૫ થી ૦.૭૫

૦.૭૫ થી વધારે

લભ્ય નાઈટ્રોજન (કિ.ગ્રા.હે.)

૨૫૦ થી ઓછો

૨૫૦ થી ૫૦૦

૫૦૦ થી વધારે

લભ્ય ફોસ્ફરસ (કિ.ગ્રા. હે. )

૨૮ થી ઓછો

૨૮ થી ૫૬

૫૬ થી વધારે

લભ્ય પોટાશ (કિ.ગ્રા.હે.)

૧૪૦ થી ઓછો

૧૪૦ થી ૨૮૦

૨૮૦ થી વધારે

 

જમીનનો નમુનો લેવાની સાચી રીત:

જમીનના પૃથ્થકરણ માટે મેળવેલ નમુનો આખા ખેતરની જમીનનું પ્રતિનિધિત્વ ધરાવતો હોવો જરૂરી છે. જો જમીનનો નમુનો ખેતરની જમીનનું સાચુ પ્રતિનિધિત્વ ધરાવતો ન હોય તો પૃથ્થકરણ કરેલ નમુનાને આધારે જે તે જમીન માટે ખાતરો તેમજ જમીન સુધારકો માટેની સાચી ભલામણ કરી શકાતી નથી. તેથી જમીનનું પૃથ્થકરણ કરવા જમીનનું સાચુ પ્રતિનિધિત્વ ધરાવતો નમુનો નીચે પ્રમાણે લેવો.

૧) જમીનના યોગ્ય એકમોની પસંદગી :- ખેતરદીઠ અલગ અલગ નમુનો લેવો. ખેતરની જમીન સરખી હોય તો એક હેક્ટરે પાંચ જગ્યાનો નમુનો પૃથ્થકરણ માટે લો. જો ખેતર પાંચ હેક્ટર કરતાં મોટુ હોય તો નમુનાની સંખ્યા એ પ્રમાણે વધારો. ખેતરનો રંગ, ઢાળ, બંધારણ, પાણીનો નિતાર તથા અગાઉની માવજતની દ્રષ્ટિ તફાવત માલુમ પડતો હોય તો ચિત્ર ૧ મુજબ ખેતરના ભાગ પાડી દરેક ભાગ માટે ૧ નમુનો લેવો. પરંતુ જો ખેતર સમતલ અને સરખું હોય તો ચિત્ર ૧ માં દર્શાવ્યા પ્રમાણે નમુનો લેતા ખેતરમાં ૧૨ થી ૧૪, જગ્યા નક્કી કરી દરેક સ્થળે નિશાનિ કરો પ્રતિનિધિત્વ ધરાવતા ન હોય તેવા સ્થળો જેવા કે જુનો પાળો, ચોમાસામાં પાણી ભરાતું હોય તેવા ખાબોચીયા, રસ્તાથી ૫૦ ફુટ અંદરની જગ્યા, નિંદણનો અથવા ખાતરનો ઢગલો વગેરે જેવા સ્થળો નમુનો લેવા પસંદ કરવા નહિ કારણ કે, આવી જગ્યાએથી જમીનનો નમુનો લઈ મિશ્રણમાં ભેળવવાથી ખેતરની જમીન અને પોષક તત્વોનું સાચું માર્ગદર્શક મળતું નથી તદ્દઉપરાંત જમીનમાં ખાતર આપ્યા બાદ તુરંત નમુનો ન લેવો એનાથી જમીનની ફળદ્રુપતાનો સાચો ખ્યાલ આવી શકશે નહી.

૨) યોગ્ય ઉડાઈએથી નમુનો લેવો :- જમીનની ફળદ્રુપતા અથવા સ્થિતિની સામાન્ય ચકાસણી અથવા સલાહ સુચન માટે જે ઉંડાઇ સુધી છોડના મુળીયા પ્રવેશતા હોય ત્યાં સુધીનો નમુનો લેવો જોઇએ. સામાન્ય રીતે જમીનની સપાટીથી ૩૦ સે.મી. ઉંડાઇ સુધીનો નમુનો લેવો જોઇએ. બાગાયતી પાકોનું વાવેતર કરવાનું હોય તે ખેતરમાંથી જુદી- જુદી ઉંડાઇના એટલે કે ૩૦, ૬૦ અને ૯૦ સે. મી .ના ૩(ત્રણ) અલગ અલગ નમુના લેવા.

૩) સુસંગત પધ્ધતિ દ્રારા નમુના મેળવો :- પ્રતિનિધિત્વ ધરાવતો જમીનનો નમુનોલેવા માટે ચિત્ર -૧ માં દર્શાવેલ મુદ્દા ધ્યાનમાં રાખી નમુનો લેવા માટે યોગ્ય સ્થળની પસંદગી કરવી. સ્થળની પસંદગી કર્યા બાદ નમુનો લેતા પહેલાં જમીન ઉપર ઉગેલા ઘાસ તથા કચરો સાફ કરીને નમુનો લેવો. નમુનો લેવા માટે જમીન માં ૩૦ સે.મી ઉડો ખાડો અથવા ચિત્ર -૨ માં દર્શાવ્યા પ્રમાણે ‘વી’ આકારની નીક ખોદી, નીકની બાજુથી એક થી બે ઇંચ જાડુ ચકતુ લો. આમ ૩૦ સે.મી. સુધીની ઉંડાઇએથી ખેતરમાં નિશાની કરેલા સ્થાનોએથી નમુનો મેળવી વાસણમાં અથવા જાડા કાગળમાં કે સારા કપડા પર ભેગા કરો. ખેડેલી જમીનમાંથી નમુનો લેવા સહેલા પડે છે.

પ્રોટીનથી ભરપૂર અને સ્વાદમા મીઠો છે ગુજરાતના આ GI ભાલીયા ઘઉં

૪) પૃથકકરણ માટે યોગ્ય કાળજીની જરુર :- જમીનમાં ઢેંફા વગેરે હોય તો ભાંગી ચિત્ર - ૪ પ્રમાણે માટીનું બરાબર મિશ્રણ કરો. ચિત્ર-૪ માં દર્શાવ્યા પ્રમાણે ચતુર્થ પધ્ધતિથી નમુનાને બરાબર મિશ્રણ કરી તેના ચાર ભાગ પાડો અને બે સામસામા ભાગોને છોડી દઈ બાકીના બે ભાગ લઇ લો. આશરે ૫૦૦ ગ્રામ જેટલી માટીનો નમુનો રહે ત્યાં સુધી આ પ્રમાણે કરતા રહી જરુરી માત્રામાં માટીનો નમુનો કોથળીમાં ભરો. પૃથકકરણ માટે માટીનો નમુનો ભીનો હોય તો છાંયામાં સુકવી તૈયાર કરવો.

૫) નમુનાનું યોગ્ય પેકીંગ: નમુનોપ્રથમકાગળની અથવા પ્લાસ્ટીકની થેલીમાં ભરી, પછી તેને કાપડની થેલીમાં પેક કરો. જો નમુનો ફકત કાપડની થેલીમાં પેક કરવાનો હોય તો, થેલી માટે ઘટ્ટ કાપડનો ઉપયોગ કરો. નહીતર કાપડના સુક્ષ્મ છિદ્રોમાંથી માટીના સુક્ષ્મ રજકણો બહાર નીકળી જશે. જમીનના નમુના ભરવા માટે ખાતરની થેલીઓ વાપરવી નહી.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More