Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

મશરૂમ બીજ ઉત્પાદનનો ઇતિહસ

૧૬૫૨મા કલ્પેપરએ સ્પાનને મશરૂમનું માયસેલિયમ છે એવુ વર્ણવેલ.ત્યાર્ પછી ૧૬૫૨ થી ૧૮૯૪ સુધી સ્પાનને બનાવવાને બદલે જંગલીમાંથી એકત્રિત કરવામાં આવતા હતા. અનાજના દાણ ઉપર સ્પાન ઉત્પાદનના આગમન પહેલાં વિવિધ પ્રકારના સ્પોન કુદરતી અથવા વર્જિન સ્પોન હતા.

KJ Staff
KJ Staff
mushroom seed production
mushroom seed production

મશરૂમના સ્પૉન નુ બીજકણો અથવા પેશીઓનું પ્રથમ ઉત્પાદન કરનારા હેમ્લિન અને કો (યુ.કે.) હતા અને યુકેમાં બ્રિકના સ્પોન તરીકે વેચાતુ  અને તેને ઓસ્ટ્રેલિયા, જર્મની અને યુએસએમાં નિકાસ કરતા. પ્રથમ શુદ્ધ સ્પોનનું ઉત્પાદન ઘોડાના ખાતર પર ફ્રાન્સમાં કોન્સ્ટન્ટઇન (૧૮૯૪) દ્વારા કરવામાં આવ્યું હતું. ૧૯૦૫ માં ડગરે મશરૂમ પેશીઓમાંથી શુદ્ધ કલ્ચર તૈયાર કરાયુ હતુ. ત્યારપછી માયસેલિયલ કલ્ચરનો ઉપયોગ ઘોડાના જીવાણૂ રહીત કરેલા ખાતરમા  ઇનોક્યુલેટ કરવામાં આવતો હતા. પેનસિલ્વેનીયા સ્ટેટ યુનિવર્સિટી દ્વારા અનાજ પર સ્પોન બનાવવાની પ્રક્રિયા રજૂ કરવામાં આવી હતી. જેણે તેના પર બે પેટન્ટ રાખી હતી. ૧૯૬૨ માં સ્ટોલર દ્વારા અનાજના સ્પોનને વધુ પૂર્ણ કરવામાં આવ્યું હતું.

        કુદરતમાં, મશરૂમના બીજકણ એક પેઢીથી બીજી પેઢી સુધી પ્રજાતિના અસ્તિત્વમાં મદદ કરે છે. આ બીજકણ અત્યંત નાના માઇક્રોસ્કોપિક પ્રોપેગ્યુલ્સ છે અને તેથી બીજ તરીકે હેન્ડલ કરવું મુશ્કેલ છે. બીજકણને અંકુરિત થવા માટે સમય અને ચોક્કસ પરિસ્થિતિઓની જરૂર પડે છે અને આ સમય દરમિયાન પ્રતિસ્પર્ધી ફૂગ અંકુરિત થઈ શકે છે અને ઉપલબ્ધ સબસ્ટ્રેટને ખતમ કરવા માટે ઝડપથી વૃદ્ધિ પામે છે. તેથી, ઇચ્છિત મશરૂમ માયસેલિયમની શુદ્ધ સંસ્કૃતિ સૌપ્રથમ અનુકૂળ કૃત્રિમ સંસ્કૃતિ માધ્યમ પર ઉછેરવામાં આવે છે અને પછી તેનો ફાયદો આપવા માટે સબસ્ટ્રેટમાં ઉમેરવામાં આવે છે.

સ્પૉન શબ્દને અનુકૂળ માધ્યમ પર ઉગાડવામાં આવેલા પસંદ કરેલા મશરૂમમાંથી વનસ્પતિના માયસેલિયમ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે (ક્લિંગમેન, 1950). સ્પાનમાં મશરૂમનું માયસેલિયમ અને સહાયક માધ્યમનો સમાવેશ થાય છે, જે તેની વૃદ્ધિ દરમિયાન ફૂગને પોષણ પૂરું પાડે છે. સ્પાનનો ઉપયોગ ઇનોક્યુલમ અથવા "બીજ" તરીકે થાય છે.

આ પણ વાંચો:આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ: વિશ્વનું 3% તમાકુ વાવેતર અને સમગ્ર ગુજરાતમાં નોંધાતાં કેન્સરના કુલ દર્દીઓમાંથી 25% કેસ એકલા ચરોતરમાં!

        મશરૂમની ખેતી માટે સ્પૉનની યોગ્ય જાત અને ગુણવત્તા ખૂબ જ મહત્વપૂર્ણ છે. સાદા શબ્દોમાં કહીએ તો ઘઉં, ચોખા કે જુવાર જેવા અનાજના દાણા જેના ઉપર મશરૂમની ફૂગ  ઉગાડવામાં આવે છે  તે અનાજના દાણા જેના પર મશરૂમની ફૂગ હાજર હોય છે તેને સ્પાન કહેવામાં આવે છે. ફૂગએ જીવાત પછીનો બીજો મોટા સમૂહનો સુક્ષ્મતત્વ છે. એક આંકડા પ્રમાણે દુનિયામાં ૧૫ લાખ જેટલી ફૂગ છે જેમાંથી આપણે માત્ર ૧.૧ લાખ ફૂગનો અભ્યાસ હજી સુધી કરી શક્યા છીએ. જેમાંથી ૧૪૦૦૦ મશરૂમ તરીકે જાણીતી છે. જેમાંથી બધીજ મશરૂમ ખાઈ શકાતી નથી  અને  ઘણી બધી મશરૂમ ઝેરી હોય છે. આ બધી મશરૂમને ઉગાડવી શક્ય નથી. અને આપણા પ્રયત્નો છતા માત્ર ૨૦૦ જાતિ જ આપણે ઉગાડી શક્યા છીએ. જેમાંથી ૧૦ જ એવી છે જે આપણે ઔદ્યોગિક સ્કેલ ઉછેરી શકીએ છીએ.

       અનાજના દાણા ઉપર મશરૂમનું બીજ ઉગાડવાની પ્રક્રિયા પેહલા ઇ.સ.૧૬૫૨ થી ૧૮૯૪ સુધી સ્પાન જંગલી વિસ્તાર અથવા ખુલ્લા ખેતરો માંથી ભેગું કરવામાં આવતું હતું. ત્યારબાદ અનાજના દાણા ઉપર મશરૂમનું બીજ ઉગાડવાની પ્રક્રિયા ઇ.સ. ૧૯૩૨ માં પેનિસ્લ્વેનીયા ઢ્રારા વિકાસિત કરવામાં આવી હતી. આ પ્રક્રિયાને વધારે પૂણૅતા ઇ.સ.૧૯૬૨માં આપવામાં આવી હતી. આજે મશરૂમ બીજ ઉત્પાદન કરતી વિશ્વની મોટાભાગની પ્રયોગશાળાઓ ઘઉં, જુવાર અને મકાઈ અન્ય જાડા ધાન્યો દાણા ઉપર મશરૂમના બીજનું ઉત્પાદન કરે છે.

      સામાન્ય રીતે દુનિયામાં ઉગાડતી મશરૂમની જાતો પૈકી ભારતમાં મુખ્યત્વે ત્રણ જાતો બટન મશરૂમ (એગેરીક્સ જાતિ), ઢીંગરી મશરૂમ (પ્લુરોટસ જાતિ), ડાંગરના પરાળના મશરૂમ(વોલ્વેરિયા જાતિ) ની વેપારી ધોરણે ખેતી થાય છે. આ ત્રણેય જાતોના ઉગવા માટે વાતાવરણીય પરિબળ ખૂબ જ અગત્યનું છે. ગુજરાત રાજ્યના વાતાવરણમાં ત્રણેય જાતો પૈકી ઢીંગરી મશરૂમ ખૂબ જ માફક આવે તેમ છે. વધુમાં તેને ઉગાડવા માટે જરૂરી એવા ડાંગરનું પરાળ પણ વિપૂલ માત્રામાં ઉપલ્બ્ધ હોઇ ઉપરોક્ત જાતો ખેતીમાં ઉપયોગ કરવાથી મહતમ ઉત્પાદન મેળવી શકાય છે. અત્રે ઢીંગરી મશરૂમ(પ્લુરોટસ જાતિ) ના બીજ ઉત્પાદન માટેની માહિતી આપેલ છે જે ખેડૂતોને ઉપયોગી થશે.મશરૂમ એક પ્રકારની ફૂગ છે. જેમાંથી ફલીનીકરણ થઈ મશરૂમના રોપા તૈયાર થાય છે. મશરૂમનું ઉચ્ચ ગુણવતાવાળું ઉત્પાદન લેવા માટે શુધ્ધ માતૃકલ્ચર વાપરવું અતિ આવશ્યક છે. મશરૂમનું માતૃ ક્લ્ચર હંમેશાં માન્ય, જાણીતી અને અનુભવી સંસ્થા પાસેથી જ ખરીદવાનો આગ્રહ રાખવો.

આ પણ વાંચો:શાકભાજીના પાકમાં પ્રાકૃતિક જીવાત નિયંત્રણ

ડો.સ્નેહા જે. મિસ્ત્રી

વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ,બં..કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી

આણંદ -૩૮૮૧૧૦ 

 

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More