Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

શતાવરી, સફેદ મુસલી અને ગિલોયની ખેતીમાં ખેડૂતોનો રસ વધ્યો, આયુર્વેદિક દવા બનાવતી કંપનીઓ કરે છે ખરીદી

બદલાતા સમયની સાથે દેશના ખેડુતો પણ બદલાઈ રહ્યા છે. આ જ કારણ છે કે હવે તેઓ પરંપરાગત પાકની વાવણી છોડીને ઔષધીય છોડની ખેતી કરી રહ્યા છે. જેના કારણે તેમની આવક વધી રહી છે અને મહેનત પણ ઓછી થઈ રહી છે. ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લાના ખેડૂત શતાવરી, સફેદ મુસલી અને ગિલોયની મોટી સંખ્યામાં ખેતી કરી રહ્યા છે. આ ઔષધીય છોડની બજારમાં ખૂબ જ માંગ છે.

KJ Staff
KJ Staff
Ayurvedic Medicine
Ayurvedic Medicine
બદલાતા સમયની સાથે દેશના ખેડુતો પણ બદલાઈ રહ્યા છે. આ જ કારણ છે કે હવે તેઓ પરંપરાગત પાકની વાવણી છોડીને ઔષધીય છોડની ખેતી કરી રહ્યા છે. જેના કારણે તેમની આવક વધી રહી છે અને મહેનત પણ ઓછી થઈ રહી છે. ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લાના ખેડૂત શતાવરી, સફેદ મુસલી અને ગિલોયની મોટી સંખ્યામાં ખેતી કરી રહ્યા છે.  આ  ઔષધીય છોડની બજારમાં ખૂબ જ માંગ છે.
દૈનિક સમાચાર પત્ર હિન્દુસ્તાનના એક અહેવાલ મુજબ અલીગઢ જિલ્લામાં ફળો અને ઔષધીય છોડની ખેતી હેઠળનો વિસ્તાર વધીને પાંચ હજાર હેક્ટરમાં થયો છે.  સરકાર આ છોડની ખેતી માટે પણ ખેડૂતોને પ્રોત્સાહિત કરી રહી છે.  રાષ્ટ્રીય ઔષધીય વનસ્પતિ મિશન અંતર્ગત સરકાર તરફથી પણ ખેડુતોને સહાય આપવામાં આવે છે.
ખેડૂતોનું કહેવું છે કે કેટલાક ખેડુતો પહેલાથી જ આ ઔષધીય છોડની ખેતી કરતા હતા. ઉપરાંત કોરોના સમયગાળા દરમિયાન  આ છોડ તરફ ખેડૂતોનું વલણ ઝડપથી વધી ગયું છે. હાલમાં ખરીફ સીઝન ચાલી રહી છે પરંતુ પરંપરાગત ખરીફ પાકને બદલે ખેડુતો ઔષધીય છોડની ખેતી કરી રહ્યા છે.

કંપનીઓનો સંપર્ક કરીને ખેતી કરતા ખેડુતો

દિલ્હી અને ગાઝિયાબાદમાં કંપનીઓનો સંપર્ક કરીને ખેડુતો રોપાઓનું વાવેતર કરી રહ્યા છે. આયુર્વેદિક દવાઓ બનાવતી કંપનીઓ ખેડૂતો પાસેથી ઉત્પાદનો ખરીદે છે. પરિણામે હવે ખેડૂતોને તેમની ઉપજો લઈને મંડીઓમાં ભટકવું નહીં પડે. આ ઉપરાંત ખેડૂતોને વાજબી ભાવ પણ મળી રહે છે. 
ખેડૂતો કહે છે કે જિલ્લામાં શતાવરી, સફેદ મુસલી, ગિલોય અને અશ્વગંધા જેવા ઔષધીય છોડની ખેતી કરવામાં આવી રહી છે.  મોટાભાગના ખેડુતો શતાવરી તરફ વળ્યા છે.  આ પાછળનું કારણ સમજાવતાં ખેડૂતો કહે છે કે શતાવરીને જીવાતથી કોઈ ભય હોતો નથી. આવી સ્થિતિમાં આપણે પેસ્ટિસાઇડનો ઉપયોગ કરવો નહીં પડે.  તેનાથી પૈસાની પણ બચત થશે.

કોરોના કાળ  દરમિયાન આયુર્વેદમાં વિશ્વાસ વધ્યો 

બીજું કારણ એ છે કે શતાવરીની ખેતીમાં જંગલી પ્રાણીઓ અને રખડતા પ્રાણીઓથી નુકસાન થવાનો ભય રહેતો નથી.  કાંટાવાળા છોડ હોવાને કારણે પ્રાણીઓ તેને નુકસાન પહોંચાડી શકતા નથી. આ સિવાય શતાવરીનો ઉપયોગ દવાઓના ઉત્પાદનમાં મોટા પ્રમાણમાં થાય છે.  આને કારણે તેની માંગબપણ વધુ  છે, પરંતુ ઉત્પાદનના અભાવે ખેતી કરતા ખેડુતોને સારો ભાવ મળે છે.
કૃષિ નિષ્ણાતો કહે છે કે આરોગ્ય પ્રત્યે લોકોની જાગૃતિ વધી છે. ઉપરાંત કોરોના સમયગાળા દરમિયાન લોકોનો આયુર્વેદ પર વિશ્વાસ પણ વધ્યો છે. આને કારણે બજારમાં તેની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે.  કંપનીઓને હવે અશ્વગંધા, ગિલોય, સફેદ મુસલી અને શતાવરી જેવી આયુર્વેદિક ગુણોથી સમૃદ્ધ પ્લાન્ટ ઉત્પાદનોની જરૂરિયાત વધી રહી છે. જે ખેડુતો આ છોડનું વાવેતર કરશે તેનો લાભ મળશે.
અહીં ઉલ્લેખનીય છે કે, ખેડૂતો ખેતીમાં જ નવા નવા વિકલ્પો તરફ વળી રહ્યા ચર. બદલાતા સમયની સાથે દેશના ખેડુતો પણ બદલાઈ રહ્યા છે. આ જ કારણ છે કે હવે તેઓ પરંપરાગત પાકની વાવણી છોડીને ઔષધીય છોડની ખેતી કરી રહ્યા છે. જેના કારણે તેમની આવક વધી રહી છે અને મહેનત પણ ઓછી થઈ રહી છે. ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લાના ખેડૂત શતાવરી, સફેદ મુસલી અને ગિલોયની મોટી સંખ્યામાં ખેતી કરી રહ્યા છે.  આ  ઔષધીય છોડની બજારમાં ખૂબ જ માંગ છે.

Related Topics

Farmers Ayurvedic Medicine

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More