Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

રીંગણની જીવાતો અને તેનુ સંકલિત નિયંત્રણ ભાગ-1

ગ્રાહક હંમેશા તંદુરસ્ત અને સારી ગુણવત્તા ધરાવતા શાકભાજીની પસંદગી કરે છે અને હાલના વિકસિત બજારોમાં વ્યાજબી ભાવ પણ આપે છે. ખેડૂતો સારા બિયારણની સમયસર વાવણી કરીને યોગ્ય ખેતીકાર્ય કરીને સારુ ઉત્પાદન મેળવતા થયા છે. પરંતુ, જીવાતોના ઉપદ્રવથી ઉત્પાદન, ગુણવત્તા અને બજારભાવ પર વિપરીત અસર થતા ખેડૂતોને ખુબ જ આર્થિક નુકસાન વેઠવું પડે છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
રીંગણ
રીંગણ

ગ્રાહક હંમેશા તંદુરસ્ત અને સારી ગુણવત્તા ધરાવતા શાકભાજીની પસંદગી કરે છે અને હાલના વિકસિત બજારોમાં વ્યાજબી ભાવ પણ આપે છે. ખેડૂતો સારા બિયારણની સમયસર વાવણી કરીને યોગ્ય ખેતીકાર્ય કરીને સારુ ઉત્પાદન મેળવતા થયા છે. પરંતુ, જીવાતોના ઉપદ્રવથી ઉત્પાદન, ગુણવત્તા અને બજારભાવ પર વિપરીત અસર થતા ખેડૂતોને ખુબ જ આર્થિક નુકસાન વેઠવું પડે છે.

ગ્રાહક હંમેશા તંદુરસ્ત અને સારી ગુણવત્તા ધરાવતા શાકભાજીની પસંદગી કરે છે અને હાલના વિકસિત બજારોમાં વ્યાજબી ભાવ પણ આપે છે. ખેડૂતો સારા બિયારણની સમયસર વાવણી કરીને યોગ્ય ખેતીકાર્ય કરીને સારુ ઉત્પાદન મેળવતા થયા છે. પરંતુ, જીવાતોના ઉપદ્રવથી ઉત્પાદન, ગુણવત્તા અને બજારભાવ પર વિપરીત અસર થતા ખેડૂતોને ખુબ જ આર્થિક નુકસાન વેઠવું પડે છે.

ડૂંખ અને ફળ કોરી ખાનારી ઈયળ,તડતડિયા, સફેદમાખી, પાનકથીરી, મોલો, લેઈસ વિંગ બગ, એપીલેકના બીટલ અને થડ કોરી ખાનાર ઈયળ આ પાકની મુખ્ય જીવતો ગણાવી શકાય. જયારે પણ ખેતરમાં જીવાતરૂપી સમસ્યા હોય ત્યારે તેના નિરાકરણ માટે તજજ્ઞો અને વિસ્તરણ કાર્યકરોનો સંપર્ક કરી પછી જ તેના પગલા લેવા જોઈએ, પરંતુ ખેડૂતો દેખાદેખીથી ઉત્પાદન વધારવા માટે આડેધડ પગલા ભરતા હોય છે. તેથી જ જીવાતોના ઉપદ્રવની શરૂઆત હોય કે ન પણ હોય તો પણ ખેડૂતો દેખાદેખીથી આડેધડ રાસાયણિક જંતુનાશકોનો બેફામ વપરાશ કરતા હોય છે. ખાસ કરીને શાકભાજીના પાકોમાં આડેધડ રાસાયણિક જંતુનાશકોનો વપરાશ કરવાથી શાકભાજીમાં તેના અવશેષ રહી જાય છે જે માનવ સ્વાસ્થ્યને હાનિકારક નીવડે છે. રસાયણિક દવાઓનો નહિવત્ ઉપયોગ કરી આ જીવાતોનું સંકલિત નિયંત્રણ કઈ રીતે કરી શકાય તે અંગેની માહિતી આ લેખમાં આપવામાં આવી છે જે ખેડૂતમિત્રોને ઉપયોગી પુરવાર થશે.

 ડૂંખ અને ફળ કોરી ખાનારી ઈયળ

ઓળખ

આ જીવાતનું ફૂદું મધ્યમ કદનું, સફેદ પાંખોવાળુ અને આગળની પાંખોમાં ભૂખરા રંગના અનિયમિત આકારના ટપકાઓ ધરાવતું હોય છે. માદા ડાળી, ફૂલ અને કયારેક નવવિકસિત ફળ પર છુટાંછવાયા ઈંડા મૂકે છે. શરૂઆતની અવસ્થામાં ઈયળ ઝાંખા સફેદ રંગની હોય છે જે મોટી થતા આછા ગુલાબી રંગની થાય છે.

નુકશાન

ઈયળ પાકની શરૂઆતની અવસ્થાએ મધ્યડૂંખમાં દાખલ થઈ પર્ણદંડ કોરી ખાય છે જેથી ઉપદ્રવીત ડૂંખ ચીમળાયને સુકાય જાય છે. ફૂલ અવસ્થાએ ઈયળ કળી તેમજ ફળને કોરીને નુકશાન કરે છે,પરીણામે કળીઓ ખરી પડે છે. ઈયળ ફળમાં ડીંટાના નીચેના ભાગેથી દાખલ થઈ ફળને અંદરથી કોરીને નુકશાન કરે છે. પડેલા કાણામાં તેની હગાર હોય છે જેથી રીંગણ ખાવાલાયક રહેતા નથી. ઇયળનો વિકાસ પુર્ણ થતા ફળમાં કાણું પાડી બહાર નીકળી આવે છે જેના લીધે ઉપદ્રવ લાગેલા ફળ પર ગોળ કાણું દેખાય છે.

રીંગણ
રીંગણ

જીવાત વ્યવસ્થાપન

૧. આ જીવાતનો ઉપદ્રવ ગોળ રીંગણની જાત (મોરબી-૪-૨) કરતા લંબગોળ જાતમાં (ડોલી ૫) ઓછો જોવા મળે છે. ગુજરાત સંકર રીંગણ-૨ મધ્યમ પ્રતિકારકશક્તિ ધરાવતી જાત છે તેથી શક્ય હોય ત્યાં આવી જાતની પસંદગી કરવી.  

૨. રીંગણની ડૂંખ અને ફળ કોરી ખાનાર ઈયળના ભારે અસરગ્રસ્ત વિસ્તારમાં સામૂહિક ધોરણે પાક ફેરબદલી કરવી.

  1. પાક પૂરો થયા બાદ ઉખેડી નાંખવામાં આવેલા છોડનો વહેલી તકે બાળીને નાશ કરવો.

૪. ઉનાળામાં ગરમીના સમયે બે વખત ઊંડી ખેડ કરવાથી જીવાતના સુષુપ્ત રહેલા કોશેટાનો નાશ થાય છે.

૫.રીંગણીની ફેરરોપણી જાન્યુઆરીના બીજા પખવાડિયામાં અને સપ્ટેમ્બરનીશરૂઆતમાં કરવી જોઈએ જેથી જીવાતનો ઉપદ્રવ ઓછો થાય છે.

૬. રીંગણની ડૂંખ અને ફળ કોરી ખાનારી ઈયળના નર ફૂદાને આકર્ષવા ફેરરોપણીના ૨૦ થી ૨૫ દિવસ બાદ ખેતરમાં હેક્ટરદીઠ ૪૦ ફેરોમોન ટ્રેપ સામુહિક ધોરણે મુકવાથી આ જીવાતનો ઉપદ્રવ કાબૂમાં રાખી શકાય છે. લ્યુર દર ત્રણ અઠવાડિયા બાદ બદલવી.

૭. રીંગણના પાકમાં દરેક વીણી સમયે સડેલાં રીંગણ પણ ઉતારી લેવા અને આવા સડેલાં રીંગણના ફળ ઉપર ઓછોમાં ઓછું એક ફુટનું આવરણ રહે તેટલી ઊંડાઈએ જમીનમાં દાટી દેવાથી જીવાતના ઉપદ્રવનો ફેલાવો આગળ વધતો અટકાવી શકાય છે.

૮. રાસાયણિક નિયંત્રણ માટે રીંગણ ઉતાર્યા બાદ ડેલ્ટામેથ્રીન ૧% + ટ્રાયઝોફોસ ૩૫% ઇસી ૧૦ મિ.લી. દવા ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છોડ સારી રીતે ભીંજાય તેમ છંટકાવ કરવો. જરૂર જણાયે ૧૫ દિવસ બાદ બીજો છંટકાવ કરવો.

તડતડિયા

ઓળખ

આ જીવાતના બચ્ચાં પાંખો વગરના, આછા લીલા રંગના અને પાન પર ત્રાંસા ચાલતા હોય છે. જયારે પુખ્ત પાંખોવાળા લીલા રંગના અને ફાચર આકારના હોય છે.

નુકશાન

બચ્ચાં અને પુખ્ત પાનની નીચેની બાજુએ રહી પાનમાંથી રસ ચૂસે છે. જેથી પાન ધારેથી પીળા પડી જાય છે. વધુ ઉપદ્રવમાં પાન કોડિયા જેવા થઇ ઉપરની તરફ કોકડાય છે. આ જીવાત ગટ્ટિયા પાનના રોગનો ફેલાવો કરે છે.

રીંગણ પાક
રીંગણ પાક

જીવાત વ્યવસ્થાપન

૧. આ જીવાતનો ઉપદ્રવ શરૂ થાય ત્યારે લીંબોળીના મીંજમાંથી બનાવેલ ૫% અર્ક અથવા લીમડા આધારિત દવા ૨૦ મિલી (૧ઈસી) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

૨. ફેરરોપણીના ૧૫ દિવસ બાદ છોડના મૂળ પાસે કાર્બોફ્યુરાન ૩% દાણાદાર દવા ૧૦ કી.ગ્રા. પ્રતિ હેકટર મુજબ આપવાથી ૩૦ થી ૩૫ દિવસ સુધી પાકને જીવાત સામે રક્ષણ મળે છે.

૩. ગટ્ટિયા પાનવાળા રોગિષ્ટ છોડ અથવા છોડનો રોગિષ્ટ ભાગ તાત્કાલિક ખેતરમાં દુર કરવો અને તેનો બાળીને નાશ કરવો.

૪. રાસાયણિક નિયંત્રણ માટે રીંગણ ઉતાર્યા બાદ થાયમેથોક્ઝામ ૨૫ ડબલ્યુજી ૪ ગ્રામ અથવા ડેલ્ટામેથ્રિન ૧% + ટ્રાયઝોફોસ ૩૫% ઇસી ૧૦ મિ.લી. ૧૦ લિટર પાણીમાં ઉમેરી જરૂરિયાત મુજબ છંટકાવ કરવો.

સફેદમાખી

ઓળખ

આ જીવાત કદમાં નાની, શરીર પીળા રંગનું અને પાંખો સફેદ રંગના મીણના પાવડરથી ઢંકાયેલ હોય છે.

નુકશાન

આ કીટકની બંન્ને અવસ્થા બચ્ચાં અને પુખ્ત પાનમાંથી રસ ચૂસે છે જેને કારણે પર્ણ ફિક્કાં પડે છે. વધુ ઉપદ્રવે છેવટે પાન સુકાય જાયછે. બચ્ચાં ચીકણો મધ જેવો પ્રવાહીનો સ્ત્રાવ કરે છે જે પાનની સપાટી અને ફુલો પર પ્રસરે છે. તેથી પ્રકાશસંશ્ર્લેષણની ક્રિયામાં વિક્ષેપ કરે છે. છોડની વૃદ્ધિ ઉપર અસર થાય છે.

Related Topics

Eggplants Pest Compost Farmers

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More