Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ફૂલોની કાપણી પછી આવી રીતે કરો તેની માવજત

જ્યારથી આયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠાના ક્યારે તેની માહિતી બાહેર આવી છે ત્યારથી જ દેશ-વિદેશમાં તાજાં ફૂલની માંગ ઝડપથી વધી રહી છે. જેના કારણે ફૂલોની ખેતીનું બાજાર ઊજળું દેખાઈ રહ્યો છે. પરંતુ ફૂલ અત્યંત નાશવંત હોય છે જેના કારણે તે કાપણી પછી 2- 3 દિવસથી વધું તાજું રહેતો નથી, જલ્દી કરમાઈ જાય છે. તેથી તેનું વેચાણ ખૂબ જ જલ્દીથી કરવું જરૂરી છે. આથી તેનો વેપાર મોટાભાગે સ્થાનિક બજાર અને તેની આસપાસનાં શહેરોમાં જ કરવામાં આવે છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ફૂલોની કાપણી પછી આવી રીતે કરો તેની માવજત (સૌજન્ય: લિંકડિન)
ફૂલોની કાપણી પછી આવી રીતે કરો તેની માવજત (સૌજન્ય: લિંકડિન)

જ્યારથી આયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠાના ક્યારે તેની માહિતી બાહેર આવી છે ત્યારથી જ દેશ-વિદેશમાં તાજાં ફૂલની માંગ ઝડપથી વધી રહી છે. જેના કારણે ફૂલોની ખેતીનું બાજાર ઊજળું દેખાઈ રહ્યો છે. પરંતુ ફૂલ અત્યંત નાશવંત હોય છે જેના કારણે તે કાપણી પછી 2-

3 દિવસથી વધું તાજું રહેતો નથી, જલ્દી કરમાઈ જાય છે. તેથી તેનું વેચાણ ખૂબ જ જલ્દીથી કરવું જરૂરી છે. આથી તેનો વેપાર મોટાભાગે સ્થાનિક બજાર અને તેની આસપાસનાં શહેરોમાં જ કરવામાં આવે છે. જો તમે પણ ફૂલની ખેતીમાંથી સારું આર્થિક વળતર મેળવવા ઇચ્છો છો તો હું તમને જણાવી દઉં કે તમારે ગુલાબ, સેવંતી, કાર્નેશન, ઓર્કિડ, એન્થુરિયમ અને જર્બેરા જેવા અગત્યના ફૂલનું વેચાણ દૂરના બજારમાં અને તેના નિકાસ કરવાથી મળી શકે તેમ છે. પરંતુ તેના માટે તમારે તેની ટકાઉ શક્તિમાં વધારો કરવું પડશે. આ માટે ફૂલનું તાજાપણું, રંગ, સુગંધ, આકાર, દેખાવ, ગુણવત્તા વગેરે લાંબો સમય સુધી જળવાઈ રહેવું જોઈએ. એટલા માટે ફૂલની જાળવણી અને ટકાઉ શક્તિ અંગે વૈજ્ઞાનિક જાણકારી મેળવવી જરૂરી છે, જે નીચે મુજબ છે:

ફૂલનું કરમાવું : ફૂલ કરમાઈને જલ્દી નાશ પામે છે આથી ફૂલોની ટકાઉ શક્તિને અસર કરતાં પરિબળોને જાણવું ખૂબજ જરૂરી છે, જે નીચે મુજબ છે.

  • વાતાવરણમાં વધુ ગરમી
  • હવામાનમાં ઓછો ભેજ
  • રોગ-જીવાતની અસર
  • ફૂલની દાંડીને પાણી/પ્રવાહી કે ખોરાક મળવો બંધ થવાના
  • ઇથિલીન,એસ્કોર્બિક એસિડ, જેવાં ઉત્સેચક રસાયણોની પ્રક્રિયા વધવી

ફૂલની જાળવણી :

        ફૂલની ખેતીમાંથી સારું વળતર મેળવવા તેની ટકાઉ શક્તિ વધારવી ખૂબ જ જરૂરી છે. તેથી તેના વેચાણ માટે પૂરતો સમય મળી રહે અને દૂરના બજારમાં સરળતાથી પહોંચાડી શકાય, આ ઉપરાંત તેનો બગાડ પણ અટકાવી શકાય તે અગત્યનું છે.

પ્રકાશ :

        ફૂલની જાળવણીમાં પ્રકાશ અગત્યનો ભાગ ભજવે છે. જે ફૂલઝાડને પૂરતો પ્રકાશ મળી રહે તેનાં માટે ફૂલોની કાપણી બાદ લાંબો સમય સુધી તેને તાજાં રાખે છે. તેમજ તેની કળી સારી રીતે ખૂલે છે. આવા વખતે ફૂલની કળીને ખીલવવા અને ટકાઉ શક્તિ વધારવા તેને ખાંડ(સૂક્રો)ના દ્રાવણની માવજત આપવી જોઈએ. 

કાપણી:  ફૂલની કપણીને ઋતુ, પરિપક્વતા અને સમય વગેરે તેની જાળવણીને અસર કરનારા ઘટકો છે.

  • ઋતુ : સામાન્ય રીતે શિયાળનાં ફૂલની ટકાઉ શક્તિ, વસંત/ઉનાળુ ઋતુના ફૂલો કરતાં વધારે હોય છે પરંતુ ગ્રીનહાઉસમાં સારા ગુણવત્તાવાળા ફૂલોની ખેતી આખા વર્ષ દરમ્યાન કરી શકાય છે.

પરિપક્વતા : ફૂલને કળી અવસ્થાએ કાપણી કરવાથી તેની ટકાઉ શક્તિ, ખુલ્લાં ફૂલ કરતાં વધારે હોય છે. તદ્ઉપરાંત કળી અવસ્થાએ કાપણી કરવાથી તેની હેરફેર કરવામાં પણ ઘણી સરળતા રહે છે, તેમજ તેથી વધારે પડતું ઉષ્ણતામાન કે ઇથિલીનની આડ અસર ઓછી થાય છે. પરંતુ ગુલાબ અને જર્બેરા જેવા ફૂલને અપરિપક્વ કળી અવસ્થાએ કાપણી કરવાથી ફૂલ ખીલતાં નથી.

મહત્વના ફૂલો તેમજ તેની કપણીની અવસ્થા

ફૂલ

કાપણીની અવસ્થા

ગુલાબ

પુખ્ત વયની બંધ કળી

કાર્નેશન

પુખ્ત કળી કલરના બ્રશ જેવી દેખાય ત્યારે

જર્બેરા

રે ફ્લોરેટસ પૂરા ખીલે અને ડીસ્ક ફ્લોરેટસના બે વર્તુળ ખૂલે તેમજ સીધા રહે ત્યારે 

સેવંતી

સ્ટાન્ડર્ડ – પૂર્ણ ખીલેલા પરંતુ સેન્ટ્રલ ડીસ્કના પુખ્ત થવા પહેલા

સ્પ્રે – ચાર ફૂલ પૂર્ણ ખીલેલા હોવા જોઈએ પરંતુ પરાગકણ ખરે એ પહેલા કાપવું

ડેકોરેટીવ – સૌથી પહેલું ફૂલ પૂર્ણ ખીલે ત્યારે

ઓર્કિડ

મુખ્યત્વે બધા ફૂલો ખીલે ત્યારે (ડેન્ડ્રોબિયમ : દાંડી પરના ફૂલો ૭૫% ખીલે ત્યારે)

એન્થુરિયમ

સ્પેડીક્સમા ૨૫ – ૫૦% કલર બદલાય ત્યારે

ગ્લેડીયોલસ

ફૂલદાંડીમા જ્યારે નીચેના પ્રથમ કળીઓમાં ફૂલનો રંગ જોવા મળે એટલે કે પ્રથમ ફૂલ ખીલવાની શરૂઆત થાય ત્યારે છોડની નીચેનો ૪ થી ૬ પાનવાળો ભાગ રહેવા દઈ ફૂલદાંડી કાપી લેવી

ગલગોટા

પૂરેપૂરા ખીલ્યા પછી ફૂલોને હાથથી ચુંટવા

ગેલાર્ડિયા

પૂરેપૂરા ખીલ્યા પછી ફૂલોને હાથથી ચુંટવા

ગુલછડી

કટ ફ્લાવર : પહેલી ફૂલની જોડી ખૂલે ત્યારે

છૂટાં ફૂલ : ખીલેલા ફૂલ 

સ્પાઈડર લીલી

બંધ પરંતુ પૂરેપૂરી પરિપક્વ કળી

 

  • સમય : ફૂલની ટકાઉ શક્તિ, દિવસના કયા ભાગમાં તેની કાપણી કરવી તેના પર પણ નિર્ભર છે. જેમ કે, બપોર બાદ ચૂંટેલા ફૂલની ટકાઉ શક્તિ સવારે ચૂંટેલા ફૂલ કરતાં ઓછી હોય છે.
  • કાપવાની પધ્ધતિ : ફૂલ કાપવા માટે ધારદાર હથિયાર વાપરવું જરૂરી છે. જેથી ધારદાર તેમજ ત્રાંસો કાપ આવી શકે.
સૌજન્ય:પ્રિન્ટરેસ્ટ
સૌજન્ય:પ્રિન્ટરેસ્ટ

ફૂલની કાપણી પછીની માવજત

કન્ડીશનીંગ/ હાર્ડનીંગ :  કન્ડીશનીંગ કે હાર્ડનીંગ કરવાથી ફૂલોની કુદરતી આદ્રતા જળવાઈ રહે છે. આ પ્રક્રિયા માટે ડીમિનરાલાઈડ પાણીમાં ખાંડ સાથે જંતુનાશક જેમ કે એસટીએસ, ૮-એચકયુસી, ૮-એચક્યુએસ નાંખવું. લીંબુના ફૂલ (સાઈટ્રિક એસિડ)ના વપરાશથી પાણીની આમ્લતા ૪-૫ સુધી રાખવી. ફૂલોને કાપ્યા પછી આવા દ્રાવણમાં એક કલાક સુધી રાખ્યા બાદ હૂંફાળા પાણીમાં દાંડી બોળી ઠંડકવાળી ઓરડીમાં મૂકી દેવું.

પ્રીકુલિંગ :  ફૂલોની કાપણી કર્યા બાદ તુરંત જ પાણી ભરેલી ડોલમાં મૂકી દેવો અને પછી એમને કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દો. પ્રીકુલિંગ કરવાથી ફિલ્ડ હીટ નીકળી જશે જેથી ફૂલોની મેટાબોલિક પ્રક્રિયા મંદ થઈ જશે અને ફૂલ વધુ સમય સુધી તાજાં રહેશે. પ્રીકુલિંગનું તાપમાન દરેક ફૂલ પ્રમાણે અલગ હોય છે જેમ કે ગુલાબ (૧૩° સે.) જ્યારે સેવંતી અને ઓર્કિડ (૦.૫°-૪° સે.) રૂમ કુલિંગ, ફોસર્ડ એયર કુલિંગ, હાઈડ્રો કુલિંગ, વેક્યુમ કુલિંગ અને આઇસબાર કુલિંગ જેવી પધ્ધતિઓને અવલંબ પ્રીકુલિંગ માટે કરી શકાય છે.

પલ્સીંગ :  આ પ્રક્રિયામાં ફૂલોને ઓછા સમય માટે વધુ ખાંડ (સુક્રો)ના દ્રાવણમાં બોળી રાખવામાં આવે છે. આથી ફૂલોને ખોરાક પૂરતા પ્રમાણમાં મળી રહે અને ફૂલને વધુ સમય ટકાવી શકાય છે. આ સાથે ૮-એચકયુ, ૮-એચકયુસી, ૮-એચક્યુએસ, સિલ્વર નાઇટ્રેટ, સાઈટ્રિક એસિડ જેવા રસાયણો નાંખવાથી સૂક્ષ્મ જીવાણુઓનો નાશ થાય છે તેમજ ખાંડ અને પાણી પૂરતા પ્રમાણમાં ફૂલને મળી રહે છે. ગુલાબ અને કાર્નેશન માટે ૫-૮% ખાંડનું દ્રાવણ તેમજ ગ્લેડીયોલસ અને રજનીગંધા જેવા ફૂલો માટે ૧૦-૨૦% ખાંડનું દ્રાવણ કરવું જરૂરી છે. આ પ્રક્રિયા સવારે અને સાંજે ફૂલોની કાપણી બાદ તરત જ કરવાની હોય છે. જે કર્યા બાદ ફૂલોને બજારમાં મોકલી શકાય છે.

રસાયણો દ્વારા ફૂલોની માવજત : ફૂલની જાળવણી માટે વિવિધ રસાયણોના બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. જેમાં વિવિધ ગુણધર્મો જેવા કે જંતુઘ્ન, ખોરાક, અમ્લતા, રસ પ્રવાહની જાળવણી વગેરે હોય છે તેમજ આ રસાયણો ઇથિલીન, એબસીસીક એસિડ અને ઉત્સેચકની આડ અસર ઓછી કરવામાં મદદ કરે છે.

રસાયણો શું કાર્ય કરે છે?

  • ૮-એચકયુએસ, ૮-એચકયુસી, મોરથુથુ (કોપર સલ્ફેટ), સિલ્વર નાઇટ્રેટ, એલ્યુમિનિયમ નાઇટ્રેટ, ઝિન્ક એસીટેટ, સોડિયમ હાઈડ્રોક્લોરાઇડ વગેરે રસાયણો દ્રાવણમાં બેક્ટેરિયા સામે રક્ષણ આપે છે.
  • વધારે અમ્લતાવાળું દ્રાવણ (પી.એચ. ૩-૪), એજાઈડ, ડી. એન. પી., ૮-એચક્યુ વગેરે ઉત્સેચકની પ્રક્રિયા ઓછી કરવામાં મદદરૂપ બને છે.
  • દ્રાવણમાં ખાંડ(સુક્રો) ૧-૪% હોય છે, જે શક્તિ આપવા ઉપરાંત પાણી શોષવામાં મદદ કરે છે. ફૂલની સંગ્રહશક્તિ વધારવા ખાંડ (સુક્રો) કે સિલ્વર થાયોસલ્ફેટ, કાપણી બાદ વાપરવું જોઈએ. સિલ્વર થાયોસલ્ફેટ, ઇથિલીનથી થતી આડ અસરથી ફૂલને બચાવે છે.
  • સાયટોકાઈનીન અને કાઈનેટીન હરિત દ્રવ્યનો નાશ થતો અટકાવે છે.
  • લીંબુનાં ફૂલ (સાઈટ્રીક એસિડ), વેટિંગ એજન્ટ અને પ્રિર્વેટીવ સાથે વાપરવાથી તે સૂક્ષ્મ જીવાણું સામે રક્ષણ આપે છે. તદ્ઉપરાંત પાણી શોષવામાં અને અમ્લતા વધારવામાં મદદ કરે છે.

પેકેજીંગ :

        પેકેજીંગ એ ફૂલની ગુણવત્તા, દેખાવ તેમજ ખીલવાની પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. ખરાબ પેકેજીંગના કારણે ફૂલોને નુકસાન થાય છે તેમજ તેનો બજારભાવ પણ બરાબર મળતો નથી. પેકેજીંગ બરાબર ના કરવામાં આવે તો ફૂલના સેલમાં પાણીની અછત થઈ જાય છે જે તેના દેખાવ માટે હાનિકારક હોય અને ટકાઉ ક્ષમતામાં ઘટાડો કરે છે. પેકેજીંગ દ્વારા ઘસાવાથી થતું નુકસાન અટકાવી શકાય છે તેમજ સંગ્રહ દરમ્યાન થતી ચિલીંગ ઇન્જરીથી બચાવી શકાય છે.

Related Topics

Kheti Flowers Agriculture Rose

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More