Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Sports

શિખર ધવનના લગ્ન જીવનનો આવ્યો અંત, જાણો આયેશાએ ઈન્સ્ટાગ્રામ પોષ્ટમાં શુ લખ્યુ

ભારતીય ટીમમાં ઓપનરની ભૂમિકા ભજવનાર શિખર ધવને પત્ની આયેશા મુખર્જીથી છૂટાછેડા લઇ લીધા છે. નવ વર્ષના લાંબા લગ્ન બંધન બાદ બંને અલગ થઈ ગયા છે. આયેશાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને ચાહકોને આ અંગે જાણ કરી હતી. જોકે શિખરની તરફથી આ અંગે સ્પષ્ટતા આપવામાં આવી નથી.

Sukhadev Thakor
Sukhadev Thakor
Shikhar Dhawan And Ayesha
Shikhar Dhawan And Ayesha

છૂટાછેડા લઇ લીધા છે. નવ વર્ષના લાંબા લગ્ન બંધન બાદ બંને અલગ થઈ ગયા છે. આયેશાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને ચાહકોને આ અંગે જાણ કરી હતી. જોકે શિખરની તરફથી આ અંગે સ્પષ્ટતા આપવામાં આવી નથી.

આયેશાએ તેના પહેલા પતિથી છૂટાછેડા લીધા બાદ તેણે શિખર ધવન સાથે લગ્ન કર્યા હતા. આયેશા અને શિખર ધવન બન્ને એક બીજાને સોશિયલ મિડીયાના માધ્યમથી મળ્યા હતા અને બન્ને વચ્ચે સારી મિત્રતા થતા બન્ને લગ્નના બંધનમાં જોડાયા હતા. આયેશા શિખર ધવન કરતા ઉમરમાં મોટી છે તેઓ બન્નેનો એક બાળક પણ છે જેનું નામ ઝોરાવર છે. આયેશાએ છૂટાછેડા વિશે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટમાં લખ્યુ હતુ.

Shikhar Dhawan And Ayesha
Shikhar Dhawan And Ayesha

છૂટા છેડાને લઈને આઈસાયે ઈન્સટાગ્રામ પર કરેલ ભાવુક પોષ્ટ

આયેશાએ આગળ લખ્યું જ્યારે મેં પહેલી વખત છૂટાછેડા લીધા ત્યારે હું ખૂબ જ ડરી ગઈ હતી. મને લાગ્યું કે હું નિષ્ફળ ગઇ છું અને તે સમયે હું ઘણું ખોટું કરી રહી હતી. મને લાગ્યું કે મેં બધાને નિરાશ કર્યા છે અને સ્વાર્થી જેવું પણ લાગ્યું. મને લાગ્યું કે હું મારા માતાપિતાને નિરાશ કરી રહી છું. મને લાગ્યું કે હું મારા બાળકોને અપમાનિત કરી રહી છું અને અમુક અંશે મને લાગ્યું કે મેં ભગવાનનું પણ અપમાન કર્યું છે. એકવાર છૂટાછેડા લીધા પછી, બીજી વખત મને લાગ્યું કે મારું ઘણું બધું દાવ પર છે. મારે ઘણું બધુ સાબિત કરવાનું હતું. તેથી જ્યારે મારા બીજા લગ્ન તૂટી ગયા ત્યારે તે ખૂબ જ ખરાબ હતું. હું પહેલી વાર જે લાગણીઓમાંથી પસાર થઇ હતી તે ફરી પાછી આવી. સો ગણો ભય, નિષ્ફળતા અને નિરાશા. તેનો અર્થ શું છે?

Share your comments

Subscribe Magazine

More on Sports

More