Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

MFOI VVIF ખેડૂત ભારત યાત્રાનું નવા પડાવ બન્યું અમદાવાદ, ખેડૂતોએ કર્યો ભવ્ય સ્વાગત

કૃષિ જાગરણ તેની નવીન પહેલ દ્વારા ભારતીય કૃષિમાં ક્રાંતિ કરવાનું ચાલુ રાખે છે. મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત તેના 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ'ની શાનદાર સફળતા બાદ, સંસ્થાએ STIHL સાથે ભાગીદારીમાં 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા' શરૂ કરી છે,

Amansinh Jadeja
Amansinh Jadeja
પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન
પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન

કૃષિ જાગરણ તેની નવીન પહેલ દ્વારા ભારતીય કૃષિમાં ક્રાંતિ કરવાનું ચાલુ રાખે છે. મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત તેના 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ'ની શાનદાર સફળતા બાદ, સંસ્થાએ STIHL સાથે ભાગીદારીમાં 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા' શરૂ કરી છે, જે સમગ્ર દેશમાં ખેડૂતોને સશક્તિકરણ કરવાના હેતુથી પરિવર્તનકારી રોડ શો છે. હવે તે યાત્રા આપણા ગુજરાત પહોંચી ગઈ છે.

ખેડૂત ભારત યાત્રા ગુજરાતમાં પોતાની યાત્રા ગુરૂવારે 11 એપ્રિલથી શરૂ કરી હતી. જો કે આગામી 15 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં ફરીને રાજ્યના કૃષિ વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરશે અને ખેતીમાં આપણે કેવી રીતે પરિવર્તન કરીને તેને એક સારા રોજગારની તક તરીકે ઉભા કરી શકીએ છીએ તેના વિશે પર ચર્ચા કરશે. તેના સાથે જ રાજ્યના ખેડૂતો સાથે પણ વાતચીત કરીને તેઓની સમસ્યાઓના ઉકેળ કાઢશે. તેમ જ આ યાત્રા દરમિયાન ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત પણ કરવામાં આવશે.

વડોદરા પછી ખેડૂત ભારત યાત્રાનો બીજો પડાવ બન્યું અમદાવાદ

ગઈ કાલે વડોદરામાં ખેડૂતોનું બહુમાન અને ઓર્ગેનિક ખેતીને પ્રમોટ કર્યા પછી આજે એટલે કે સોમવારે 15 એપ્રિલના રોજ એમએફઓઆઈ વીવીઆઈએફ STHIL ખેડૂત ભારત યાત્રા અમદાવાદ પહોંચી હતી. અમદાવાદમાં ખેડૂત ભારત યાત્રાનું સ્ટોપેજ FPO વાર્મ એગ્રો ફાર્મર પ્રોડ્યુસર બન્યું હતું. જણાવી દઈએ, એફપીઓ અમદાવાદ જિલ્લાના માંડલ વિંઝુવાડા ગામ ખાતે આવેલ છે.

આ પણ વાંચો: MFOI VVIF STHIL ખેડૂત ભારત યાત્રા પહોંચી વડોદરા, આર. સી અમીને ઓર્ગેનિક ખેતી પર મુક્યો ભાર

ખેડૂત ભારત યાત્રાને આવકાર્યા માટે ત્યાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. તેમના થકી યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. માડલ ગામના બધા ખેડૂતોને MFOI VVIF મિલેનીયોર ફાર્મર ઓફ ઇન્ડિયા વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. ત્યાર પછી ગામના દરેક પ્રોગ્રેસિવ ખેડૂતને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

25 એપ્રિલ સુધી ગુજરાતમાં ફરશે ખેડૂત ભારત યાત્રા

તમને જણાવી દઈએ કે એમએફઓઆઈ, વીવઆઈએફ STHIL ખેડૂત ભારત યાત્રા 25 અપ્રિલ સુધી ગુજરાતના દરેક જિલ્લામાં જઈને ત્યાંના પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરશે અને તેમની અને બીજા ખેડૂતોને થઈ રહેલી કોઈ પણ પ્રકારની સમસ્યા ઉપર ચર્ચા કરશે તેમનું ઉકેલ શોધવાનું પ્રયાસ કરશે. જો તમે પણ તમારા ગામડાના પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન કરવાનું ઇચ્છો છો અને એક ખેડૂત તરીકે થઈ રહેલી કોઈ સમસ્યાનું ઉકેલ મેળવવા માંગો છો આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો (+91 93542 19049)

Share your comments

Subscribe Magazine

More on News

More