Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

MFOI VVIF ખેડૂત ભારત યાત્રા પહોંચી વડોદરા, આર. સી અમીને ઓર્ગેનિક ખેતી પર મુક્યો ભાર

કૃષિ જાગરણ તેની નવીન પહેલ દ્વારા ભારતીય કૃષિમાં ક્રાંતિ કરવાનું ચાલુ રાખે છે. મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત તેના 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ'ની શાનદાર સફળતા બાદ, સંસ્થાએ STIHL સાથે ભાગીદારીમાં 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા' શરૂ કરી છે,

Amansinh Jadeja
Amansinh Jadeja
મહિન્દ્રા ટ્રેક્ટર સાથે ખેડૂત
મહિન્દ્રા ટ્રેક્ટર સાથે ખેડૂત

કૃષિ જાગરણ તેની નવીન પહેલ દ્વારા ભારતીય કૃષિમાં ક્રાંતિ કરવાનું ચાલુ રાખે છે. મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત તેના 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ'ની શાનદાર સફળતા બાદ, સંસ્થાએ STIHL સાથે ભાગીદારીમાં 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા' શરૂ કરી છે, જે સમગ્ર દેશમાં ખેડૂતોને સશક્તિકરણ કરવાના હેતુથી પરિવર્તનકારી રોડ શો છે. હવે તે યાત્રા આપણા ગુજરાત પહોંચી ગઈ છે.

ખેડૂત ભારત યાત્રા ગુજરાતમાં પોતાની યાત્રા ગુરૂવારે 11 એપ્રિલથી શરૂ કરી હતી. જો કે આગામી 15 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં ફરીને રાજ્યના કૃષિ વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરશે અને ખેતીમાં આપણે કેવી રીતે પરિવર્તન કરીને તેને એક સારા રોજગારની તક તરીકે ઉભા કરી શકીએ છીએ તેના વિશે પર ચર્ચા કરશે. તેના સાથે જ રાજ્યના ખેડૂતો સાથે પણ વાતચીત કરીને તેઓની સમસ્યાઓના ઉકેળ કાઢશે. તેમ જ આ યાત્રા દરમિયાન ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત પણ કરવામાં આવશે.

ભરૂચ પછી વડોદરામાં ખેડૂત ભારત યાત્રા કરી એન્ટ્રી

ગુજરતાના પ્રોગ્રેસિલ ખેડૂતનું બહુમાન કરવા માટે સતત આગળ વધી રહેલી એમએફઓઆઈ વીવીઆઈએફ ખેડૂત ભારત યાત્રા ભરૂચ પછી રવિવારે 14 એપ્રિલના રોજ વડોદરાના કરજણ પહોંચી. જ્યાં ખેડૂતો દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. કરજણ ખાતે ખેડૂતોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યાં બધા ખેડૂતોને એમએફઓઆઈ, વીવીઆઈએફ મિલેનીયર ફાર્મર ઓફ ઇન્ડિયા વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. તેમ જ પ્રોગ્રેસિવ ખેડૂતોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

ખેડૂતોનું કરવામાં આવ્યું બહુમાન
ખેડૂતોનું કરવામાં આવ્યું બહુમાન

કરજણ પછી સિનોર તાલુકા પહોંચી ખેડૂત ભારત યાત્રા

વડોદરાના કરજણ ખાતે પ્રોગ્રેસિવ ખેડૂતોનું બહુમાન અને ખેડૂતોને MFOI, VVIF મિલેનીયોર ફાર્મર ઓફ ઇન્ડિયા વિશે સંપૂર્ણ માહિતી આપવા પછી. એમએફઓઆઈ, વીવીઆઈએફ ખેડૂત ભારત યાત્રાના બીજો સ્ટોપ બન્યો સિનોર તાલુકા ખાતે આવેલ બાવલીયા ગામ, જ્યાના ખેડૂતો દ્વારા પણ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બાવલીયા ગામમાં ખેડૂતોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તેમને VVIF મિલેનીયોર ફાર્મર ઓફ ઇન્ડિયા વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.

ઓર્ગેનિક ખેતી પર ભાર મુકતા આર. સી અમીન
ઓર્ગેનિક ખેતી પર ભાર મુકતા આર. સી અમીન

આરસી અમીને ઓર્ગેનિક ખેતી ઉપર મુક્યો ભાર

ગુજરાતની પોતાની યાત્રા પર સતત આગળ વધી રહેલી MFOI, VVIF,  ખેડૂત ભારત યાત્રાએ રવિવારે 14 એપ્રિલના રોજ વડોદરના છાણી ગામે પહોંચી, જ્યાં R.C AMIN ENTERPRISE ના માલિક આર. સી અમીને યાત્રા સાથે જોડાયા અને ખેડૂતો માટે થઈ રહેલી આ યાત્રાને આવકાર્યો હતો. આ દરમિયાન તેમને ઓર્ગેનિક ખેતી ઉપર ભાર મુક્યો અને જણાવ્યું કે વડા પ્રધાન નરેંદ્રભાઈ મોદીના ગુજરાતને ઓર્ગેનિક ખેતી કરનાર પહેલા પ્રદેશ તરીકે ઉભા કરનાસ સુપનાને આપણે બધા જ ભેગા મળીને જ સંપૂર્ણ કરાવવાનું છે. આ ઉપરાંત ઓર્ગેનિક અને ગાય આધારિત ખેતી કરનાર ખેડૂતોનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું.

25 એપ્રિલ સુધી ગુજરાતમાં ફરશે ખેડૂત ભારત યાત્રા

તમને જણાવી દઈએ કે એમએફઓઆઈ, વીવઆઈએફ STHIL ખેડૂત ભારત યાત્રા 25 અપ્રિલ સુધી ગુજરાતના દરેક જિલ્લામાં જઈને ત્યાંના પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરશે અને તેમની અને બીજા ખેડૂતોને થઈ રહેલી કોઈ પણ પ્રકારની સમસ્યા ઉપર ચર્ચા કરશે તેમનું ઉકેલ શોધવાનું પ્રયાસ કરશે. જો તમે પણ તમારા ગામડાના પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન કરવાનું ઇચ્છો છો અને એક ખેડૂત તરીકે થઈ રહેલી કોઈ સમસ્યાનું ઉકેલ મેળવવા માંગો છો આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો (+91 93542 19049)

Share your comments

Subscribe Magazine

More on News

More