Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ડુંગળીના પાકમાં આવતો સૌથી ખતરનાક રોગ અને તેને નિવારવાના ઉપાયો

ડુંગળીનો પાક મહારાસ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, રાજસ્થાન, બિહાર અને મધ્યપ્રદેશ વગેરે રાજ્ય માં મોટા પ્રમાણમાં વાવતરે થાય છે. ડુંગળી નો ઉપયોગ રસોઈને સ્વાદિષ્ટ અને સુગંધિત બનાવવામાં થાય છે. ડુંગળી એ મહત્વના લીલા, અર્ધસૂકા મસાલા તથા કાચા કચુંબરમાં પણ વપરાય છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
Onion Crop Disease
Onion Crop Disease

ડુંગળીનો પાક મહારાસ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, રાજસ્થાન, બિહાર અને મધ્યપ્રદેશ વગેરે રાજ્ય માં મોટા પ્રમાણમાં વાવતરે થાય છે. ડુંગળી નો ઉપયોગ રસોઈને સ્વાદિષ્ટ અને સુગંધિત બનાવવામાં થાય છે. ડુંગળી એ મહત્વના લીલા, અર્ધસૂકા મસાલા તથા કાચા કચુંબરમાં પણ વપરાય છે.

બાફીયા રોગની ઓળખ:

  • બાફીયાની બહુ સરળ રીતે ઓળખ કરવા માટે ડુંગળીના રોપને ઉપાડીને જોવું ડુંગળી પોચી થઈ જાય છે અને તેમાંથી દુર્ગધ આવે છે.
  • શરૂઆતમાં બાફીયો કોઈ એક જગ્યા પર ગોળાકાર સ્વરૂપમાં જોવા મળે છે. ત્યાર બાદ ધીર- ધીરે આ રોગનું નુકશાન વધતું જાય છે અને તેના કારણે ડુંગળીનો રોપ જમીન ઉપર ઢળી જાય છે.

બાફીયો ફેલાવા માટેના મુખ્ય કારણો

  • જયારે દિવસે ગરમી અને રાત્રીનું તાપમાન જો ઠંડુ હોય અને વધારે પડતા વરસાદી વાતાવરણ હોય ત્યારે આ રોગ ખૂબજ ઝડપથી ફેલાય છે.
  • ડુંગળીમાં બાફીયો ફેલાવાનું મુખ્ય કારણ વારંવાર એક ને એક જમીનમાં ડુંગળીનું વાવેતર કરવાથી આ રોગ નું પ્રમાણ વધારે જોવા મળે છે.
  • પાકને જરૂરિયાત કરતા વધારે યુરીયા આપવાથી પણ આ રોગ વધારે ફેલાય છે.
  • વધુ પડતું પિયત આપવાથી વધારે નુકશાન કરે છે અને રોગનો ફેલાવો જડપી બને છે.

બાફીયાના નિયંત્રણ માટેના આગોતર પગલાંઓ

  • ડુંગળીનું ધરૂવાડિયું તૈયાર કરો ત્યારે લીંબોળીનો ખોળ સાથે જૈવિક ફૂગનાશક ટ્રાયકોડરમા વીરડી અને સુડોમોનાસ ફ્લોરેસન્સ સાથે મિક્ષ કરીને જમીનમાં આપવું.
  • જ્યારે રોપ ૧૫-૨0 દિવસનો થાય એટલે કૃમિના નિયંત્રણ માટે પેસીલોમાયસીસ ૧ કિલોગ્રામ/વીઘા દીઠ પિયત સાથે આપવું.

બાફીયાના નિયંત્રણ માટેના રાસાયણિક પગલાઓ

  • ડુંગળીના બિયારણનું વાવેતર કરતી વખતે કોઈપણ ફૂગનાશકનો પટ આપીને વાવેતર કરવું ૨. બાફીયાનો ઉપદ્રવ ખેતરમાં વધારે જોવા મળે તો નીચે જણાવેલ છંટકાવ કરવો.
  • કાર્બેડેજીમ ૧૨ % + મેન્કોઝેબ ૬૩% WP ૩૦ ગ્રામ/૧૫ લિટર
  • કોપર ઓકિજીક્લોરાઈડ ૬૦ ગ્રામ + સ્ટ્રેપપટોસાયક્લીન ૨-૩ ગ્રામ/૧૫ લીટર
  • કૃમિના નિયંત્રણ માટે ફ્લુઓપાયરમ (Fluopyrum) ૩૪.૪૮% SC ૫૦૦ મિ.લી/ એકર ડ્રેંચિંગ અથવા ડ્રિપ દ્વારા

માહિતી સ્ત્રોત - ગૌતમ સોલંકી, (M.Sc. Agri, Gold Medalist) મો:-૭૭૭૮૮૨૨૭૬૬ ડૉ.લાલજી ગેડીયા (ખેતીવાડી અધિકારી,ભાવનગર) જયેશ મારૂ (સામાજિક કાર્યકર)

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More