Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

Protect vegetable : શાકભાજીના પાકને આ પાંચ પ્રકારની બિમારીથી બચાવો

શાકભાજી

Harsh Jitendra Rathod
Harsh Jitendra Rathod
શાકભાજીની બિમારી
શાકભાજીની બિમારી

ખેડૂતભાઈના સખત પરિશ્રમ પર પાકમાં લાગતી બિમારી પાણી ફેરવી દેતી હોય છે. જો આ બિમારીઓ એટલે કે રોગો અંગે યોગ્ય માહિતી મળી જાય તો તેની સામે અસરકારક પગલાં ભરી ઉત્પાદનને વધારી શકાય છે. આ તમામ સ્થિતિમાં ખેડૂતભાઈઓએ શાકભાજીવાળા પાકો પ્રત્યે વિશેષ ધ્યાન આપવું જોઈએ.

પાઉડરી મિલ્ડયુ અથવા ચિટ્ટા રોગ

આ રોગથી પાંદડા, ડાળખી તથા છોડના અન્ય ભાગો પર ફૂગની સફેદ લોટ જેવું પડ જામી જાય છે. આ રોગ ખુશ્ક મૌસમમાં વધારે લાગે છે. પાકનો ગુણ અને સ્વાદ ખરા થઈ જાય છે.

ઈલાજ

ફક્ત એક વખત 8થી 10 કિગ્રા પ્રતિ એકર બારીક ગંધકના મિશ્રણની બિમારી લાગવાથી દરેક ભાગ પર ધૂડથી બીમારી અટકી જાય છે. સવાર અથવા સાંજના સમયે કરો. દિવસના એવા સમયે કે જ્યારે વધારે ગરમી હોય ત્યારે આ દવાનો ઉપયોગ ન કરશો. 500 ગ્રામ મિશ્રણશીલ ગંધક (સલ્ફેક્સ અથવા વેટસલ્ફ) 200 લીટર પાણીમાં પ્રતિ એકરથી છંટકાવ કરો.

એન્થ્રેક્નોજ અને સ્કેબ

આ રોગથી કાંકડી સહિતના વેલવાળા શાકભાજીના પાંદડા અને ફળો પર કાળા ધબ્બા પડી જાય છે. આ સાથે વધારે પ્રમાણમાં ભેજ વાળી મૌસમમાં આ ધબ્બા દેખાવા લાગે છે.

ઈલાજ

આ રોગ 400 ગ્રામ ઈન્ડોફિલ એમ-45 દવા 200 લીટર પાણીમાં મિશ્રિત કરી પ્રતિ એકર પ્રમાણે છંટકાવ કરવો જોઈએ. તેનાથી આ બીમારીને અટકાવી શકાય છે.

ગમ્મી કાલર રોટ

તરબુચમાં આ બીમારી વધારે લાગે છે,જે એપ્રિલથી મે મહિના દરમિયાન જોવા મળે છે.આ બીમારીના પ્રભાવથી જમીનની સપાટી પર તેના છોડ પીળા પડવા લાગે છે અને આ સ્થાનથી ગુંદ જેવો ચીકણો પદાર્થ નિકળવા લાગે છે.

ઈલાજ

અસરકારક છોડોની શાળા સાથે જમીનની સપાટી પાસે 0.1 ટકા કાર્બન્ડીઝીમ (બાવિસ્ટીન) મિશ્રણથી સિંચાઈ કરો.

ડાઉની મિલ્ડયુ

પાંદડાની ઉપરની સપાટી પર પીળા અથવા નારંગી રંગના કોણદાર ધબ્બા બની જાય છે, જેની શિરાઓ વચ્ચે મર્યાદિત રહે છે. ભેજવાળા મૌસમમાં તેમાં કાળા ધબ્બા પર પાંદડાની નીચેની સપાટી પર સફેદ અથવા સામાન્ય ભૂરા રંગના પાઉડર જોવા મળે છે. આ બીમારીનો પ્રકોપ વધવાના સંજોગોમાં પાંદડા સુકાઈને ખરી જાય છે અને છોડ નાશ પામે છે.

ઈલાજ

કાંકડીમાં લાગતા નિંદણનો નાશ કરવો જોઈએ. છોડ પર ઈન્ડફિલ એમ-45 અથવા બ્લેકટોક્સ 50 (2 ગ્રામ પ્રતિ લીટર પાણીમાં મિશ્રણ કરીને છંટકાવ કરવો જોઈએ. તે ઉપરાંત તરબુચમાં બ્લાઈટોક્સ-50નો છંટકાવ ન કરશો. એક એકર માટે 200 લીટર પાણીમાં 400 ગ્રામ દવાનું મિશ્રણ બનાવવું.

મોજૈક રોગ

આ રોગની અસરથી છોડના પાંદડા પીળા પડવા લાગે છે તેમ જ લીલા પાંદડામાં પીળાપણું દેખાય છે. તેનાથી ઉત્પાદન ઘણુ ઓછું મળે છે.

ઈલાજ

ઝેરી રોગ અલ દ્રારા ફેલાય છે. અલ (ચેપા)ને નાશ કરવા માટે નિયમિતપણે કીટનાશક દવાઓનો છંટકાવ કરવો જોઈએ.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More