Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

બીટી કોટનમાં પીયત કરવાનો યોગ્ય સમય અને પદ્ધતિ

હવે ચોમાસુ પુરૂ થયા બાદ બીટી કપાસમાં પિયત વ્યવસ્થાપન દરમ્યાન શું કાળજી રાખવી જોઇયે અને ક્યારે પિયત આપવું જોઇયે? આવો જાણીએ આ વિશે વિગતે.

Sukhadev Thakor
Sukhadev Thakor
Bt cotton
Bt cotton

હવે ચોમાસુ પુરૂ થયા બાદ બીટી કપાસમાં પિયત વ્યવસ્થાપન દરમ્યાન શું કાળજી રાખવી જોઇયે અને ક્યારે પિયત આપવું જોઇયે? આવો જાણીએ આ વિશે વિગતે.

બીટી કપાસમાં પિયત વ્યવસ્થાપન દરમ્યાન નીચે મુજબની બાબતો ધ્યાને લેવી જોઇયે

  • કપાસ લાંબા ગાળાનો પાકહોવાથી ચોમાસા દરમ્યાન વરસાદથી પાણી મળે છે, પરંતુ વરસાદ બંધ થયા પછી પાકને પિયતની જરૂરીયાત રહે છે.
  • કપાસના પાકને છોડની વાનસ્પતિક વૃધ્ધિ, ફુલ-ભમરી (છાપવા), ફુલ તેમજ જીંડવાના વિકાસ અવસ્થા પિયત માટે કટોકટીની અવસ્થાઓ હોવાથી આ સમયે પિયતની ખાસ જરૂરીયાત પડે છે.
  • આ અવસ્થાએ જો જમીનમાં ભેજની અછત વરતાય તો કપાસના ઉત્પાદન ઉપર માઠી અસર થાય છે, તેથી આ અવસ્થાએ જમીનમાં પૂરતો ભેજ ન હોય તો પિયત અવશ્ય આપવુ જોઈએ.
  • બિનજરૂરી અને વધારે પડતુ પિયત આપવાથી કપાસના પાકને માઠી અસર થાય છે અને ફુલ-ભમરી ખરી પડે છે. આથી, ફુલભમરી આવવાના સમયે વધુ પડતું પિયત આપવુ હિતાવહ નથી.
  • પિયતની ખેંચ વધુ પડતા ભેજની અછત ઉભી થવાના લીધે પણ ફુલભમરી ખરી પડે છે.

આમ કપાસના પાકમાં પિયત વ્યવસ્થા માટે પુરતી કાળજી રાખી પિયત આપવુ જોઇએ.

ટપક સિંચાઈ પદ્ધતિ

  • કપાસમાં ટપક પિયત પધ્ધતિ દ્વારા પિયત આપવામાં આવે તો પિયતનું નિયમન સારી રીતે કરી શકાય છે અને પાકને જરૂરીયાત પ્રમાણે જ પાણી આપી શકાય છે.
  • ટપક પધ્ધતિ દ્વારા પિયતની સાથે રાસાયણિક ખાતર આપવાથી રાસાયણિક ખાતરની જરૂરીયાત પણ ઓછી રહેવાથી ખાતરનો બચાવ થાય છે.
  • કપાસના પાકમાં ટપક પિયત પધ્ધતિ દ્વારા પિયત સાથે ખાતર આપવાથી હેક્ટરે ૬૦ કીલો નાઈટ્રોજન ખાતરની બચત થાય છે અને પાટલામાં રેલાવીને પિયત આપવાની પધ્ધતિમાં જેટલા પ્રમાણમાં પાણીનો ઉપયોગ થાય છે તેટલા જ જથ્થાનું પાણી ટપક પધ્ધતિ દ્વારા આપવાથી પિયત હેઠળનો વિસ્તાર દોઢ ગણો કરી શકાય છે.
  • કપાસનું આગોતરું વાવેતર ચોમાસા પહેલા કરવાનું હોય ત્યારે ટપક પિયત પધ્ધતિ અપનાવી વાવેતર કરવાથી ઓછા પાણીએ વધારે વિસ્તારમાં કપાસનો પાક ઉગાડી શકાય છે.
  • કપાસના પાકમાં છેલ્લા વરસાદ પછી ૨૦ થી ૨૫ દિવસે પ્રથમ પિયત આપવું જોઈએ.
  • વરસાદ પછી ૨૦ થી ૨૫ દિવસના અંતરે કપાસના પાકને ૨ થી ૩ પિયતની જરૂર પડે છે.

પિયત પાણીની સગવડ મર્યાદિત હોય તો એકાંતરે પાટલે પિયત આપવાથી ઓછા પાણીએ વધારે વિસ્તારમાં પિયત આપી શકાય છે અને આવી રીતે પિયત આપવાથી ભેજનું પ્રમાણ નિયંત્રણમાં રહેવાથી રોગ, જીવાત અને નિંદામણનો ઉપદ્રવ ઓછો રહે છે અને સરવાળે ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય છે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More