
આજકાલના સમયમાં જો કોઈ ખેડૂતને પ્રગતિશીલ ખેડૂત બનવું હોય અને પોતાની આવકમાં અઢળક વધારો કરવું હોય તો તેના માટે તેને પરંપરાગત ખેતી છોડીને ટેક્નિકલ ખેતી તરફ આગળ વધવું પડશે. કે પછી એવા પાકની ખેતી કરવી પડશે જેની માંગણી બજારમાં દરેક વિતેલા દિવસ સાથે વધી રહી હોય. તેથી કરીને અમે તમને આજે એક એવા પાક વિશે જણાવીશું જેની ખેતી કરીને તમે મોટી આવક મેળવી શકો છો. ખેડૂત ભાઈયો તમે લીંબુની ખેતી કરીને જંગી નફો મેળવી શકો તો તે પણ કાગળી લીંબું થકી. તેને વધુ નફાકારક પાક તરીકે ઉગાડવામાં આવે છે. જો એક વાત તેના છોડ ઉગી જાય છે તો તે ઘણા વર્ષો સુધી ફળ આપે છે. કાગળી લીંબું ઓછા રોકાણ સાથે વધુ નફો પણ આપે છે.
કાગળી લીંબુની વિશેષતા
જો આપણે કાગળી લીંબુની વિશેષતાઓની વાત કરીએ તો તેઓ સ્વાસ્થયની દૃષ્ટિએ આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના ફળોમાં વિટામીન સી ઉપરાંત વિટામીન એ વિટામીન બી અને અનેક ખનીજ તત્વો મોટા પ્રમાણમાં જોવા મળે છે. કાગળી લીંબુના ફળોની છાળ ખૂબ જ પાતળી હોય છે અને તેઓ ઘણો ખાટા પણ હોય છે. તેમ જ કાગળી લીંબુમાંથી સામાન્ય લીંબુ કરતા 42 થી 52 ટકા વધુ રસ પણ નીકળે છે. અથાણાં, એસિડ વગેરે બનાવવા ઉપરાંત તેનું ઉપયોગ રોજિંદા જીવનમાં ખોરાકમાં પણ થાય છે. જેના કારણે આખા વર્ષ બજારમાં તેની માંગણી રહે છે.
ભારતમાં થાય છે લીંબુનું સૌથી વધુ ઉત્પાદન
એમ તો કેળા અને કેરીની જેમ ભારતમાં લીંબુનું પણ મોટા ભાગે વાવેતર કરીને ઉત્પાદન મેળવવામાં આવે છે. પરંતુ તેમાં પણ કાગળી લીંબુની વઘુ માંગ હોવા છતા અને બજારમાં તેના સારા એવા ભાવ મળવા છતાં ભારતમાં તેની ખેતી ખૂબ જ નાનકડા વિસ્તારમાં થાય છે. તેથી કરીને જો તમે પણ પોતાની આવકમાં વધારો કરવાનું ઇચ્છો છો તો તમારે તેની ખેતી ચોક્કસ રીતે કરવી જોઈએ. પરંતુ ત્યાં એક બાબતની કાળજી તમારે રાખવી પડશે. તમને કાગળી લીંબુના સારા એવા ભાવ ત્યારે જ મળશે જ્યારે તેના ફળ સારું હશે. કેમ કે ઘણી વખત ફળો ફૂટવા લાગે છે જેથી બજારભાવ યોગ્ય ભાવે મળતા નથી. જો તમે ખેડૂત છો તો તમારે તાત્કાલિક તેની ખેતી કરવી જોઈએ.
ફળોને પડવાથી આવી રીતે બચાવો
ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે મોટી સંખ્યામાં ફૂલો કે ફળ પાકતા પહેલા ખરી જાય છે. ફળો પડવાથી ઉપજ પર મોટી અસર પડે છે. આ સમસ્યા ઘણા કારણોસર થઈ શકે છે, જેમાં મુખ્ય છે પોષક તત્વોનો અભાવ, જંતુ રોગનો હુમલો, હવામાનમાં ફેરફાર, સિંચાઈ વગેરે. આવી સ્થિતિમાં, ફળોને ખરતા અટકાવવા માટે, જ્યારે ફૂલો આવી રહ્યા હોય ત્યારે લીંબુના છોડની ક્યારેય સિંચાઈ ન કરો. આ સિવાય સંતુલિત માત્રામાં પોષક તત્વોનો ઉપયોગ કરો. તે જ સમયે, ફળોને પડતા અટકાવવા માટે, ત્રણ વખત એરીઓફિન્ઝિન અને ઝિંક સલ્ફેટનો છંટકાવ કરવું જોઈએ. જણાવી દઈએ જ્યારે ફળ આવવા લાગે ત્યારે આ છંટકાવ તમારે કરવાનું રહેશે.
શુષ્ક હવામાનના કારણે ફળ ફાટી શકે છે
કાગળી લીંબુનું ફળ શુષ્ક હવામાનના કારણે અને વાતાવરણમાં અચાનક ભેજ થવાના કારણે ફાટી જાય છે,જેને ફ્રુટ ક્રેકીંગની સમસ્યા તરીકે ઓળખવામાં આવે છે. જો આવી સ્થિતિ ઉત્પન્ન થાય તો ખેડૂતોએ યોગ્ય સમય પિચત આપવું જોઈએ. આ સિવાય જીબરેલિક એસિડ 10 મિ.ગ્રા. અથવા પોટેશિયમ સલ્ફેટ 4 મિ.ગ્રા. ને પ્રતિ લિટર પાણીમાં ભેળવીને તેનું મે અને જૂનના વચ્ચે છંટકાવ કરવો જોઈએ. આનાથી ફળો તુટતા નથી અને તેનો ઉત્પાદન પણ સારું થાય છે. જણાવી દઈએ ફળો ફાટી જવાની સમસ્યા વરસાદ દરમિયાન પણ આવી શકે છે.
Share your comments