Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

રીંણીના પાકમાં આવતા રોગને નિયંત્રણ લાવવાની સરળ રીત

શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને સૌથી વધુ મુશ્કેલી પડતી હોય છે કારણ કે શાકભાજીના પાકમાં સૌથી વધુ રોગ આવતા હોય છે તો આજે અમે તમને જણાવીશુ કે રીંગણીના પાકમાં પાકમાં આવતા રોગ પર કઈ રીતે નિયંત્રણ લાવી શકાય.

Sukhadev Thakor
Sukhadev Thakor
debt crop disease
debt crop disease

શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને સૌથી વધુ મુશ્કેલી પડતી હોય છે કારણ કે શાકભાજીના પાકમાં સૌથી વધુ રોગ આવતા હોય છે તો આજે અમે તમને જણાવીશુ કે રીંગણીના પાકમાં પાકમાં આવતા રોગ પર કઈ રીતે નિયંત્રણ લાવી શકાય.

ઉનાળા દરમિયાન ઊંડી ખેડ કરવી. જેથી કરીને જમીનજન્ય ફુગ, કૃમિ અને નિદણનું અસરકારક નિયંત્રણ થાય છે.

  • બાજરી કે જુવાર વડે બે વર્ષની પાક ફેર બદલી કરવી.
  • પાકના અવશેષોનો નાશ કરવો.
  • ઘરૂનો કોહવારો અથવા ધરૂ મૃત્યુ રોગના નિયંત્રણ માટે બીજને વાવતા પહેલા મેન્કોઝેબ ૭૫ ટકા વે. પા. અથવા મેટાલેકઝીલ એમ-ઝેડ ૭૨ ટકા વે. પા. દવાનો ૩-૪ ગ્રામ/કી.ગ્રા.પ્રમાણે પટ આપવો.
  • ધરુવાડિયું ઊગ્યા પછી કોપર આૅક્ષીક્લોરાઈડ ૫૦ ટકા વે. પા. ૧૦ લી. પાણીમાં ૨૫ ગ્રામ અથવા મેટાલેકજીલ એમ ઝેડ ૭૨ ટકા વે. પા. ૧૦ લી. પાણીમાં ૨૦ ગ્રામ પ્રમાણે કોઈપણ એક દવાના દ્રાવણથી એક ચોરસ મીટર દીઠ ૩ લિટર પ્રમાણે જારા થી ડ્રેનચિંગ કરવાથી જમીનજન્ય ફુગ સામે ધરુવાડિયાને રક્ષણ મળે છે.
  • વિષાણુજન્ય/માયકોપ્લાઝમા (લઘુપાદ) જન્ય રોગના નિયંત્રણ માટે ધરુવાડિયામાં કારબોફ્યુરાન ૩ ટકા દાણાદાર દવા ૫ ગ્રા./મી૨ પ્રમાણે વાવણી વખતે અને ધરું ખેંચવાના પ દિવસ અગાઉ આપવી. શક્ય હોય તો ધરુવાડિયાને એગ્રોનેટ વડે ટીકી દેવું.
debt crop
debt crop
  • ટ્રાઇકોડરમાં વીરીડી એક કી.ગ્રા.ને સારા કહોવાયેલ છાણિયા ખાતર અથવા દિવેલાના ખોળ (૨૦૦ થી ૩૦૦ કી.ગ્રા.) માં ભેળવીને જમીન તૈયાર કરતી વખતે ચાસમાં આપવું.
  • માયકોપ્લાઝનો (લઘુપાદ) રોગના નિયંત્રણ માટે રોગવાળા છોડને ઉપાડીને નાશ કરવો.
  • માયકોપ્લાઝનો (લઘુપાદ) રોગ લીલા તડતડિયાથી ફેલાતો હોવાથી રોપણીબાદ ૪૦-૪૫ દિવસે ડાયમિથોએટ ૧૫ મી.લી.અથવા થાયોમીથોકઝામ ૧૫ મી.લી. અથવા એસીટામિપ્રીડ ૩ ગ્રામ અથવા ઇમીડાક્લોપ્રીડ ૧૮.૫ ઈ.સી. દવા પ મી.લી. પ્રતિ ૧૫ લી. પાણીમાં મેળવી ૧૦ દિવસના ગાળે બે વાર છાંટવી.
  • રીંગણના પાકનેકૃમીથી બચાવવા ૫-૧૦ રીગણના છોડ વાવ્યા બાદ ૧ આફરીકન ગલગોટાનું કરવું.
  • રીંગણના પાકને કૃમીથી બચાવવા કારબોફ્યુરાન ૩ ટકા દાણાદાર દવા ૧૨ કી. ગ્રા. પ્રતિ એકર મુજબ રોપણી બાદ ૧૦-૧૫ દિવસે આપવી.
  • જ્યારે કોઈકવાર પાનનાં ટપકનો રોગ આવે ત્યારે મેન્કોઝેબ ૭૫ ટકા વે. પા. ૪૦-૫૦ ગ્રામ/ પંપ અથવા હેકક્ષકોનાઝોલ ૫ ટકા ઈ. સી. ૨૫-૩૦ મીલી/પંપમાં મિશ્રણં કરી ને છટકાવ કરવો.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More