Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Health & Lifestyle

આ લોકો માટે ઝેર છે મૂળા, જો સેવન કરશો તો થઈ જશો રામના

એમ તો મૂળામાં પ્રોટીન, આયર્ન, ફાઈબર અને વિટામિન સી મોટી માત્રામાં જોવા મળે છે અને તેના સેવન કરવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે. તેના સાથે જ મૂળા ખાવાથી શરીર લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
મૂળા ખાવાના નુકસાન
મૂળા ખાવાના નુકસાન

એમ તો મૂળામાં પ્રોટીન, આયર્ન, ફાઈબર અને વિટામિન સી મોટી માત્રામાં જોવા મળે છે અને તેના સેવન કરવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે. તેના સાથે જ મૂળા ખાવાથી શરીર લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે. પરંતુ શું તમે જાણો છો કે મૂળાના વધુ પડતા સેવનથી શરીરને અનેક પ્રકારના નુકસાન પણ થઈ શકે છે. આમ તો મૂળાનું સેવન શરીર માટે ફાયદાકારક છે. પરંતુ તેને ખાવાથી કેટલીક આડઅસર પણ થાય છે. ચાલો જાણીએ કે કયા લોકોએ તેના વધુ પડતા સેવનથી બચવું જોઈએ.

વધારાનું આયર્ન

જે લોકોના શરીરમાં આયર્નની પૂરતી માત્રા હોય છે. તેઓએ મૂળાનું સેવન ટાળવું જોઈએ. કારણ કે મૂળામાં ભરપૂર માત્રામાં આયર્ન જોવા મળે છે. તેના વધુ પડતા સેવનથી શરીરમાં આયર્નની વધુ માત્રા થઈ શકે છે. જેના કારણે ઉલ્ટી, ઉબકા, ચક્કર અને લીવર ડેમેજ વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે. વધુ પડતા મૂળા ખાવાથી શરીરને નુકસાન થાય છે.

થાઈરોઈડના દર્દીઓને નથી કરવું જોઈએ સેવન

થાઈરોઈડના દર્દીઓએ મૂળાનું સેવન નથી કરવું જોઈએ. કારણ કે તેના સેવનથી થાઈરોઈડ ગ્રંથિમાં સમસ્યા થઈ શકે છે અને થાઈરોઈડનું સ્તર પણ વધી શકે છે. તેથી કરીને નથાઈરોઈડના દર્દીઓને કાચા મૂળાનું વધુ પડતું સેવન ટાળવું જોઈએ. કેમ કે આને ખાવાથી શરીરમાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

શરીરમાં પાણીનો અભાવ

મૂળાના વધુ પડતા સેવનથી શરીરમાં ડીહાઈડ્રેશન થઈ શકે છે. કારણ કે આ ખાધા પછી પેશાબ વધુ આવે છે. જેના કારણે વધુ પડતો પેશાબ કરવાથી શરીરમાં પાણીની ઉણપ થઈ શકે છે. તેનું સેવન કરવાથી શરીરમાં ડીહાઈડ્રેશનની સમસ્યા પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં મૂળાનું વધુ પડતું સેવન ટાળવું જોઈએ.

આ પણ વાંચો: ખેડૂતોને ભાવી રહ્યો છે ભરતભાઈ અને વેલજીભાઈનું ઓર્ગેનિક ખાતર, મેળવી રહ્યા છે અઢળક ઉત્પાદન

હાઈપોગ્લાયકેમિઆનું કારણ

જે લોકો ડાયાબિટીસની દવાઓ લેતા હોય તેમણે મૂળાનું વધુ પડતું સેવન ટાળવું જોઈએ. કારણ કે મૂળામાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે અને જો કે ખાંડની માત્રા ઓછી કરી દે છે. મૂળાના વધુ પડતા સેવન અને ડાયાબિટીસની દવાઓ લેવાથી શરીરમાં બ્લડ સુગરનું પ્રમાણ અચાનક ઘટી શકે છે. જેના કારણે શરીરમાં અનેક પ્રકારના નુકસાન થઈ શકે છે. મૂળાના વધુ પડતા સેવનથી શરીરને અનેક પ્રકારના નુકસાન થઈ શકે છે. પરંતુ જો તમને કોઈ રોગ કે એલર્જી હોય તો ડૉક્ટરને પૂછ્યા પછી જ તેનું સેવન કરો.

હાઈપોટેન્શનના દર્દીઓએને રહેવું જોઈએ મૂળાથી દૂર

વધુ પડતા મૂળાના સેવનથી લો બ્લડ પ્રેશર અથવા હાઈપોટેન્શન થઈ શકે છે. જો તમે પહેલાથી જ આ સમસ્યાથી પરેશાન છો તો મૂળાને ટાળો અથવા તેનું મર્યાદિત માત્રામાં સેવન કરો. આ સાથે, જો તમે પહેલાથી જ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે દવા લઈ રહ્યા છો, તો તેને તમારા આહારમાંથી બાકાત રાખો.

Share your comments

Subscribe Magazine

More on Health & Lifestyle

More