Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

સોલાર લાઈટ ટ્રેપ યોજના : બાગાયતી પાકોમાં પાક સંરક્ષણ કરવામાં મળશે સોલિડ મદદ

આપણા દેશની અડધી ઉપર વસ્તી ખેતી પર નિર્ભર છે, તો ખેડૂતોને તેમના કામમાં સરળતા મળી રહે અને મદદ માટે સરકાર અનેક યોજનાઓ ચલાવતી હોય છે. તો ગુજરાતના ખેડૂતોની આવક વધારવા માટે ગુજરાત સરકાર દ્વારા કલ્યાણકારી યોજના બહાર પાડવામાં આવી છે, તો ચાલો શું છે આ યોજના અને તેની સંપૂર્ણ વિગતો વિશે માહિતી મેળવીએ.

Himanee Chauhan
Himanee Chauhan
Gujarat Solar Light Trap Yojana
Gujarat Solar Light Trap Yojana

આપણા દેશની અડધી ઉપર વસ્તી ખેતી પર નિર્ભર છે, તો ખેડૂતોને તેમના કામમાં સરળતા મળી રહે અને મદદ માટે સરકાર અનેક યોજનાઓ ચલાવતી હોય છે. તો ગુજરાતના ખેડૂતોની આવક વધારવા માટે ગુજરાત સરકાર દ્વારા કલ્યાણકારી યોજના બહાર પાડવામાં આવી છે, તો ચાલો શું છે આ યોજના અને તેની સંપૂર્ણ વિગતો વિશે માહિતી મેળવીએ.

કૃષિ અને સહકાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા હાલમાં જ ખેડૂત પોર્ટલ પર બાગાયતી વિભાગની કુલ 114 યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવી છે. તો આજે આપણે વાત કરીશું ઈકો ફ્રેન્ડલી લાઈટ ટ્રેપ યોજના Gujarat Solar Light Trap Yojana ગુજરાત એટલે કે સોલાર લાઈટ ટ્રેપ યોજના વિશે,આ યોજના દ્વારા ખેડૂતોને આ સાધન પર સબસિડી આપવામાં આવે છે.

બાગાયતી વિભાગ દ્વારા સોલાર લાઈટ ટ્રેપ યોજના ચલાવવામાં આવે છે, આ યોજના મુખ્યત્વે બાગાયતી પાકોમાં પાક સંરક્ષણ માટે સાધન સહાય આપવામાં આવે છે. બગાયતી પાકોમાં જંતુનાશક કીટકોથી, ચુસિયા, જીવાતોથી બચાવવા માટે આ સાધન લગાવવામાં આવે છે જેથી કરીને પાક સંરક્ષણ સારી રીતે થઈ શકે.

ખેડૂતોની આવક થશે બમણી

ખેડૂતોની આવક બમણી થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ સ્કીમ ચલાવવામાં આવે છે.  જેમાંથી એક સોલાર લાઈટ ટ્રેપ યોજના છે. જે ખેડૂતોના પાકને જંતુઓથી થતાં નુકસાન સામે રક્ષણ આપે છે, રાસાયણિક જંતુનાશકો પર ઓછી નિર્ભરતા અને સરળ તથા ઓછી કિંમતે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉત્પાદનમાં મદદ કરે છે. ખેતીના પાકો જેવા કે કપાસ, દિવેલ, એરંડા તથા વિવિધ બાગાયતી પાકોમાં જંતુઓથી રક્ષણ કરવું ખૂબ જરૂરી છે. પાક સંરક્ષણ કરવા માટે સૂર્ય પ્રકાશથી ચાલતું જંતુઓ પકડવા માટે સોલાર લાઈટ ટ્રેપ ખૂબ જ લોકપ્રિય છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ગુજરાત સોલાર લાઈટ ટ્રેપ યોજના Gujarat Solar Light Trap Yojana નો લાભ આપવામાં આવે છે.

સોલાર લાઇટ ટ્રેપ યોજનાની પાત્રતા

ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા નવી યોજના બહાર પાડવામાં આવી છે, જેમાં સોલાર લાઇટ ટ્રેપ યોજના Gujarat Solar Light Trap Yojana માં ખેડૂતોને સાધનની ખરીદી પર સહાય આપવામાં આવે છે. જેનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

આ પણ વાંચો : PM કિસાન ખાદ યોજના: ખેડૂતોને ખાતર માટે 11 હજાર રૂપિયા મળશે

  • ખેડૂત ગુજરાત રાજયનો વતની હોવો જોઈએ.
  • સોલાર લાઇટ ટ્રેપ મેળવવા માટે એમ્પેનલમેન્ટમાં સમાવિષ્ટ ઉત્પાદક અથવા ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી કરવાની રહેશે.
  • ખેડૂત પોતાની જમીન ધરાવતો હોવો જોઈએ.
  • ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ અથવા જમીનની 7/12 ની નકલ ધરાવતો હોવો જોઈએ.
  • ખેડૂત નાના, સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારનો હોવો જોઈએ.
  • જંગલ વિસ્તારના ખેડૂતો પાસે ટ્રાઈબલ લેન્‍ડ વન અધિકાર પ્રમાણપત્ર હોવું જોઈએ.

કેટલી સહાય મળશે

ખેડૂત લાભાર્થીએ સોલાર યોજના 2022 યોજનાનો લાભ મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની હોય છે. ઓનલાઈન અરજી કર્યા બાદ ખેતીવાડી વિભાગ દ્વારા મંજુર કરવામાં આવે છે. જેમાં અગાઉથી સહાયનું ધોરણ નક્કી થયેલું છે. SC/ST ખેડૂતો માટે સોલાર લાઇટ ટ્રેપના કિંમતના 90% અથવા રૂ.4500/ની મર્યાદામાં આ બે માંથી ઓછું હોય તે લાભ મળશે. સામાન્ય ખેડીતો માટે સોલાર લાઇટ ટ્રેપના કિંમતના 70% અથવા રૂ.3500/ની મર્યાદામાં જે બે માંથી ઓછું હોય તે લાભ મળશે.

સહાયનો લાભ લેવા કોનો સંપર્ક કરો

આ સહાયનો લાભ લેવા માટે ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી ખેતી અને ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવો.

આ પણ વાંચો : જગતના તાત માટે આઈ ખેડૂત Mobile App થઈ લોન્ચ, ગુજરાતના ખેડૂતોને થશે આ ફાયદો

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More