Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

વઢવાણા બન્યું MFOI VVIF ખેડૂત ભારત યાત્રાનું નેકસ્ટ સ્ટોપ, રાજ્યના બેસ્ટ ખેડૂત સાથે થઈ ભેટ

કૃષિ જાગરણ તેની નવીન પહેલ દ્વારા ભારતીય કૃષિમાં ક્રાંતિ કરવાનું ચાલુ રાખે છે. મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત તેના 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ'ની શાનદાર સફળતા બાદ, સંસ્થાએ 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા' શરૂ કરી છે, જે સમગ્ર દેશમાં ખેડૂતોને સશક્તિકરણ કરવાના હેતુથી પરિવર્તનકારી રોડ શો છે. હવે તે યાત્રા આપણા ગુજરાત પહોંચી ગઈ છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
વઢવાણા તાલુકા પહોંચી ખેડૂત ભારત યાત્રા
વઢવાણા તાલુકા પહોંચી ખેડૂત ભારત યાત્રા

કૃષિ જાગરણ તેની નવીન પહેલ દ્વારા ભારતીય કૃષિમાં ક્રાંતિ કરવાનું ચાલુ રાખે છે. મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત તેના 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ'ની શાનદાર સફળતા બાદ, સંસ્થાએ 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા' શરૂ કરી છે, જે સમગ્ર દેશમાં ખેડૂતોને સશક્તિકરણ કરવાના હેતુથી પરિવર્તનકારી રોડ શો છે. હવે તે યાત્રા આપણા ગુજરાત પહોંચી ગઈ છે.

ખેડૂત ભારત યાત્રા ગુજરાતમાં પોતાની યાત્રા ગુરૂવારે 11 એપ્રિલથી શરૂ કરી હતી. જો કે આગામી 15 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં ફરીને રાજ્યના કૃષિ વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરશે અને ખેતીમાં આપણે કેવી રીતે પરિવર્તન કરીને તેને એક સારા રોજગારની તક તરીકે ઉભા કરી શકીએ છીએ તેના વિશે પર ચર્ચા કરશે. તેના સાથે જ રાજ્યના ખેડૂતો સાથે પણ વાતચીત કરીને તેઓની સમસ્યાઓના ઉકેળ કાઢશે. તેમ જ આ યાત્રા દરમિયાન ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત પણ કરવામાં આવશે.

વઢવાણ તાલુકામાં યાત્રને મળ્યો પ્રગતિશીલ ખેડૂતનું સમર્થન

કૃષિ જાગરણ દ્વારા આયોજિત એમએફઓઆઈ વીવઆઈએફ ખેડૂત ભારત યાત્રા ગુજરાતના દરેક ખેડૂત સુધી પ્રગતિશીલ ખેડૂતોની સલાહ તેમજ ખેડૂતોને સમૃદ્ધ બનાવવા માટે તેમની સમસ્યાઓના ઉકેળ લઈને પહોંચી રહી છે. સુરેન્દ્રનગરની પોતાની ત્રીજા દિવસની યાત્રા પર આજે એટલે કે શુક્રવારે 19 એપ્રિલના રોજ ખેડૂત ભારત યાત્રા જિલ્લાના વઢવાણા તાલુકા ખાતે આવેલ ગૌતમગઢ ગામ પહોંચી હતી. ત્યાં ઓર્ગેનિક ખેતી થકી પ્રગતિશીલ ખેડૂતોની શ્રેણીમાં પોતાનુ નામ લખાવનાર હમીરસિંહભાઈ રઘુભાઈ પરમાર દ્વારા બનાવવામાં આવેલ એફપીઓમાં યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ઓર્ગેનિક ખેતી થકી વર્ષે 50 લાખની કમાણી કરનાર વઢવાણા તાલુકાના હમીરસિંહભાઈ રઘુભાઈ પરમારે કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત 300થી વઘુ ખેડૂત સંગઠનો સાથે જોડાયેલા ખેડૂતો સાથે ભેગા થઈને ખેડૂત ભારત યાત્રાને આવકાર્યો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા, જેમને MFOI, VVIF મિલેનીયોર ફાર્મર ઓફ ઇન્ડિયા વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. વધુ માહિતી મેળવા માટે આ લિંક ઉપર ક્લિક કરો. https://fb.watch/rxX-0gseXI/

પ્રગતિશીલ ખેડૂત હમિરસિંહભાઈ રઘુભાઈ પરમાર
પ્રગતિશીલ ખેડૂત હમિરસિંહભાઈ રઘુભાઈ પરમાર

ગુજરાત સરકાર કર્યો હતો બહુમાન  

લીંબુ તેમ જ બીજા પાકોની ઓર્ગેનિક ખેતી કરીને વર્ષે 50 લાખથી પણ વધુની આવક ઘરાવતા હરિસિંહભાઈ રઘુભાઈ પરમારના ગુજરાત સરકારે પણ બહુમાન કર્યો હતો. તેમને બેસ્ટ તાલુકાના ખેડૂત એવોર્ડથી લઈને બેસ્ટ જિલ્લા અને બેસ્ટ રાજ્ય ખેડૂત સુધીનું એવોર્ડ મળ્યો છે. તેના સાથે જ તેમને આત્મા એવોર્ડ, સરદાર પટેલ કૃષિ સંશોધન એવોર્ડ, તેજસ્વી પ્રતિભા સન્માન, ધરતી પુત્ર એવોર્ડ,ધરા મિત્ર એવોર્ડ, કિસાન સન્માન એવોર્ડ, સરદાર પટેલ સ્મૃર્તિ જ્યંતી એવોર્ડ, બેસ્ટ ઇનોવેટીવ ફાર્મક એવોર્ડ, બેસ્ટ ઇનોવેટીવ ફાર્મર ઑફ ગુજરાત, ફૂડ હીરો ઇન્ડિયા નેશનલ એવોર્ડ, તેમ જ ખેડૂત સંસ્થા દ્વારા વધુ 12 જેટલા એવોર્ડ મળ્યા છે.

25 એપ્રિલ સુધી ગુજરાતમાં ફરશે ખેડૂત ભારત યાત્રા

તમને જણાવી દઈએ કે એમએફઓઆઈ, વીવઆઈએફ ખેડૂત ભારત યાત્રા 25 અપ્રિલ સુધી ગુજરાતના દરેક જિલ્લામાં જઈને ત્યાંના પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરશે અને તેમની અને બીજા ખેડૂતોને થઈ રહેલી કોઈ પણ પ્રકારની સમસ્યા ઉપર ચર્ચા કરશે તેમનું ઉકેલ શોધવાનું પ્રયાસ કરશે. જો તમે પણ તમારા ગામડાના પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન કરવાનું ઇચ્છો છો અને એક ખેડૂત તરીકે થઈ રહેલી કોઈ સમસ્યાનું ઉકેલ મેળવવા માંગો છો આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો (+91 93542 19049)

Share your comments

Subscribe Magazine

More on News

More