Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

સરકાર શરૂ કરશે ડિજિટલ પ્લેટફોર્મ,વાવણથી લઈને બાજાર સુધી બધી માહિતી મળશે

સરકાર દેશના તમામ નાના મોટા ખેડુતોને એક મંચ પર જોડવાની તૈયારી કરી રહી છે. જ્યાં તેમને કૃષિ અને બજાર વિશે સમયસર માહિતી મળશે. આ ઉપરાંત ખેડુતો પણ આ પ્લેટફોર્મ દ્વારા તેમના પાકનું વેચાણ કરી શકશે.આ પ્રોજેક્ટને એગ્રિસ્ટેક નામ આપવામાં આવ્યું છે. સાત રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે તેની શરૂઆત કરવામાં આવી રહી છે. આ રાજ્યોના 800 ગામોમાંથી ખેડૂતો અને તેમની ખેતીની જમીનનો ડેટા એકત્રિત કરીને ડિજિટલ પ્લેટફોર્મ બનાવવામાં આવશે.

digital India
digital India

સરકાર દેશના તમામ નાના મોટા ખેડુતોને એક મંચ પર જોડવાની તૈયારી કરી રહી છે. જ્યાં તેમને કૃષિ અને બજાર વિશે સમયસર માહિતી મળશે. આ ઉપરાંત ખેડુતો પણ આ પ્લેટફોર્મ દ્વારા તેમના પાકનું વેચાણ કરી શકશે.આ પ્રોજેક્ટને એગ્રિસ્ટેક નામ આપવામાં આવ્યું છે. સાત રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે તેની શરૂઆત કરવામાં આવી રહી છે. આ રાજ્યોના 800 ગામોમાંથી ખેડૂતો અને તેમની ખેતીની જમીનનો ડેટા એકત્રિત કરીને ડિજિટલ પ્લેટફોર્મ બનાવવામાં આવશે.

તો બીજી તરફ આ પ્રોજેક્ટને લઈને નિષ્ણાતોમાં ચિંતા છે કે ક્યાંક કરોડોના નાના ખેડૂતોનો ડેટા મૂડીવાદીઓના હાથમાં ન આવી જાય!. ભારત સરકારના કૃષિ મંત્રાલય ખેતીને સ્માર્ટ બનાવવા માટે એગ્રીસ્ટેક નામની ડિજિટલ સેવા શરૂ કરવા જઈ રહ્યા છે.

દરેક કૃષિ જમીનને એકમ ગણવામાં આવશે

મંત્રાલયના ડિજિટલ એગ્રિકલ્ચરલના પ્રિન્સિપલ જોઇન્ટ સેક્રેટરી વિવેક અગ્રવાલના મત અનુસાર દરેક પ્રોજેક્ટમાં ખેતીની જમીનને એક યુનિટની જેમ ગણવામાં આવશે.આ તમામ એકમોના ડેટા પોઇન્ટ એગ્રિસ્ટેક સાથે જોડવામાં આવશે.ત્યારબાદ જાહેર અને ખાનગી ક્ષેત્રની સેવાઓ આ પ્લેટફોર્મ સાથે જોડવામાં આવશે.

બહુવિધ કંપનીઓ સાથે કરાર

આ પ્લેટફોર્મ બનાવવા માટે કૃષિ મંત્રાલયે ગયા એપ્રિલ મહિનાથી જૂન સુધીમાં ઘણી નામાંકિત ટેક કંપનીઓ જેમકે માઇક્રોસોફ્ટ કોપ, એમેઝોન વેબ સર્વિસ, પતંજલિ ઓર્ગેનિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, સ્ટાર એગ્રીબજાર ટેકનોલોજી લિમિટેડ, ઇએસઆરઆઈ, ઈન્ડિયા ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ સાથે જોડાણ કર્યું છે.  રાજ્યો સાથે સંકલનને લઈને કેન્દ્રીય સ્તરે પ્રક્રિયા પણ કરવામાં આવી રહી છે.

Narendra modi government
Narendra modi government

ખેડુતોની આ સમસ્યા થશે દૂર

હાલમાં આવી કોઈ સિસ્ટમ નથી, જેથી ખેડુતો પાક ઉગાડતા પહેલા બજારમાં તેમના પાકની માંગ વિશે જાણીકરી મેળવી શકે.સામાન્ય રીતે જ્યારે સારો વરસાદ પડે ત્યારે બમ્પર પાકની અપેક્ષા રાખવામાં આવે છે. પરંતુ આવી સ્થિતિમાં અનેક વખત ખેડુતોને જથ્થાબંધ ભાવોમાં મોટો ઘટાડો સહન કરવો પડે છે. તેથી જ ખેડૂતો હંમેશા તેમના પાકની ચિંતા કરતા હોય છે.આ પરિસ્થિતિમાં પરિવર્તન લાવવા માટે સરકાર આ પ્રોજેક્ટની શરૂઆત કરી રહી છે.

સરકાર ખેતી સાથે જોડાયેલી દરેક માહિતી આપશે

એગ્રિસ્ટેકમાં તમામ ખેડુતોને એક એકમ ID આપવામાં આવશે, જે તેમના આધાર નંબર સાથે જોડવામાં આવશે.આ આઈડીમાં ખેડૂતોની જમીનની માહિતી જાણી શકાશે. ઉપરાંત જમીનની ઉપજ અને ઉગાડવામાં આવતા પાકની માહિતી પણ આમાં શામેલ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર તરફથી તમામ ખેડુતોને લાભ મળશે.

આ પ્રોજેક્ટ અંતર્ગત આવા ગ્રાઉન્ડ લેવલનો ડેટા એકત્રિત કરવામાં આવશે જેથી સરકાર ખેડુતોને ખેતી સંબંધિત તમામ માહિતી આપી શકે.જે ઉગાડવું જોઈએ તેના જેવા બીજા કયા પાકનો ભાવ બજારમાં સારો રહેશે.કૃષિ લોનથી લઈને બજાર ભાવ સુધીની દરેક માહિતી અહીં મળશે.

https://gujarati.krishijagran.com/news/all-work-related-to-agriculture-is-easy-to-use-krishi-fi-app/

farming
farming

પ્રોજેક્ટથી રોકાણ વધશે

કૃષિ આધારિત સ્ટાર્ટઅપ કંપની ઓમનીવોરના સહ-સ્થાંપક મોર્ક કોર્ન એટ મીડિયા ઇન્સ્ટિટ્યૂટ સાથે વાત કરતા જણાવે છે કે આ પ્રોજેક્ટ નાના ઉદ્યોગોને કૃષિ ક્ષેત્રે ઉભરવાની તક આપશે.તેમણે કહ્યું કે હાલમાં જન ધન ખાતું આધાર નંબર અને ખેડૂતોનો મોબાઈલ નંબર ઉપલબ્ધ છે. જો પાક અને તેમની જમીનને લગતી માહિતી એગ્રિસ્ટેક હેઠળ ઉપલબ્ધ થશે, તો તે મોટી સફળતા હશે.

તેમણે કહ્યું કે છેલ્લા પાંચથી સાત વર્ષમાં એગ્રિટેક સ્ટાર્ટઅપ કંપનીઓએ કૃષિ ક્ષેત્રે 1.5 બિલિયનનું રોકાણ કર્યું છે.એગ્રિસ્ટેક આ ક્ષેત્રમાં વધુ રોકાણો માટે માર્ગ ખોલશે.

ઉલ્લેખનીય છે કે, સરકાર દેશના તમામ નાના મોટા ખેડુતોને એક મંચ પર જોડવાની તૈયારી કરી રહી છે. જ્યાં તેમને કૃષિ અને બજાર વિશે સમયસર માહિતી મળશે. આ ઉપરાંત ખેડુતો પણ આ પ્લેટફોર્મ દ્વારા તેમના પાકનું વેચાણ કરી શકશે.

Share your comments

Subscribe Magazine

More on News

More