Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

સુરેન્દ્રનગરન ખેડૂતોએ કૃષિ જાગરણ દ્વારા આયજિત MFOI VVIF ખેડૂત ભારત યાત્રાનું કર્યો ભવ્ય સ્વાગત

કૃષિ જાગરણ તેની નવીન પહેલ દ્વારા ભારતીય કૃષિમાં ક્રાંતિ કરવાનું ચાલુ રાખે છે. મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત તેના 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ'ની શાનદાર સફળતા બાદ, સંસ્થાએ 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા' શરૂ કરી છે, જે સમગ્ર દેશમાં ખેડૂતોને સશક્તિકરણ કરવાના હેતુથી પરિવર્તનકારી રોડ શો છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
સુરેન્દ્રનગરમાં ખેડૂત ભારત યાત્રાનું કરવામાં આવ્યું ભવ્ય સ્વાગત
સુરેન્દ્રનગરમાં ખેડૂત ભારત યાત્રાનું કરવામાં આવ્યું ભવ્ય સ્વાગત

કૃષિ જાગરણ તેની નવીન પહેલ દ્વારા ભારતીય કૃષિમાં ક્રાંતિ કરવાનું ચાલુ રાખે છે. મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત તેના 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ'ની શાનદાર સફળતા બાદ, સંસ્થાએ 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા' શરૂ કરી છે, જે સમગ્ર દેશમાં ખેડૂતોને સશક્તિકરણ કરવાના હેતુથી પરિવર્તનકારી રોડ શો છે. હવે તે યાત્રા આપણા ગુજરાત પહોંચી ગઈ છે.

ખેડૂત ભારત યાત્રા ગુજરાતમાં પોતાની યાત્રા ગુરૂવારે 11 એપ્રિલથી શરૂ કરી હતી. જો કે આગામી 15 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં ફરીને રાજ્યના કૃષિ વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરશે અને ખેતીમાં આપણે કેવી રીતે પરિવર્તન કરીને તેને એક સારા રોજગારની તક તરીકે ઉભા કરી શકીએ છીએ તેના વિશે પર ચર્ચા કરશે. તેના સાથે જ રાજ્યના ખેડૂતો સાથે પણ વાતચીત કરીને તેઓની સમસ્યાઓના ઉકેળ કાઢશે. તેમ જ આ યાત્રા દરમિયાન ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત પણ કરવામાં આવશે.

થાનગઢ તાલુકા
થાનગઢ તાલુકા

સુરેન્દ્રનગરની થાનગઢ તાલુકા બન્યો ખેડૂત ભારત યાત્રાનું નેક્સ્ટ સ્ટોપ   

ગુજરાતમાં ખેડૂત ભારત યાત્રા સતત ચાલૂ છે. આજે એટલે કે બુધવારે 17 એપ્રિલના રોજ કૃષિ જાગરણ દ્વારા આયોજિત એમએફઓઆઈ વીવીઆઈએફ ખેડૂત ભારત યાત્રા સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકા હેઠળ આવેલ ખાખરાથળ ગામ પહોંચી. જ્યાં વાસુકિ દાદા ફાર્મર પ્રોડ્યૂસર સુરેશ ભાઈના એફપીઓ દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ખાખરાથળ ગામ માં કેન્દ્ર સરકાર પુરુસ્કૃત યોજના જેમાં 10,000 ખેડૂત ઉત્પાદક સંગઠનની રચના અને પ્રોત્સાહન આપવામાં આવ્યા હતા તેના અંતર્ગત મોટી સંખ્યા માં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત  બધા ખેડૂતોને #MFOI, #VVIF મિલેનીયોર ફાર્મર ઓફ ઇન્ડિયા વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.

ચોટિલામાં ખેડૂત ભારત યાત્રાનું ભવ્ય સ્વાગત
ચોટિલામાં ખેડૂત ભારત યાત્રાનું ભવ્ય સ્વાગત

થાનગઢ પછી ખેડૂત ભારત યાત્રા પહોંચી ચોટિલા

સુરેન્દ્રગર જિલ્લાના થાનગઢ તાલુકામાં ખેડૂતોને #MFOI, #VVIF મિલેનીયોર ફાર્મર ઓફ ઇન્ડિયા વિશે સંપૂર્ણ માહિતી આપ્યા પછી કૃષિ જાગરણ દ્વારા આયોજિત એમએફઓઆઈ વીવીઆઈએફ ખેડૂત ભારત યાત્રા પોતાની યાત્રા પર આગળ વધી અને જિલ્લામાં પોતાના બીજા સ્ટોપ ચોટિલા પહોંચી, ટીમરૂ ફાર્મર પ્રોડ્યૂસર, ડાભી નટવર ભાઈ #FPO દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ચોંટીલા માં કેન્દ્ર સરકાર પુરુસ્કૃત યોજના જેમાં 700 ખેડૂત ઉત્પાદક સંગઠનની રચના અને પ્રોત્સાહન આપી અંતર્ગત મોટી સંખ્યા માં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ત્યાં પણ ખેજૂતોને ડિસેમ્બર 2024 માં થનાર #MFOI, #VVIF મિલેનીયોર ફાર્મર ઓફ ઇન્ડિયા વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.

25 એપ્રિલ સુધી ગુજરાતમાં ફરશે ખેડૂત ભારત યાત્રા

તમને જણાવી દઈએ કે એમએફઓઆઈ, વીવઆઈએફ STHIL ખેડૂત ભારત યાત્રા 25 અપ્રિલ સુધી ગુજરાતના દરેક જિલ્લામાં જઈને ત્યાંના પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરશે અને તેમની અને બીજા ખેડૂતોને થઈ રહેલી કોઈ પણ પ્રકારની સમસ્યા ઉપર ચર્ચા કરશે તેમનું ઉકેલ શોધવાનું પ્રયાસ કરશે. જો તમે પણ તમારા ગામડાના પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન કરવાનું ઇચ્છો છો અને એક ખેડૂત તરીકે થઈ રહેલી કોઈ સમસ્યાનું ઉકેલ મેળવવા માંગો છો આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો (+91 93542 19049)

Share your comments

Subscribe Magazine

More on News

More