Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ખાદ્યતેલ, બટેટા અને ડુંગળી સહિત આ 11 વસ્તુઓના ભાવમાં ઘટાડો, સરકારે આપી મોટી માહિતી

સામાન્ય જનતા માટે એક સારા સમાચાર છે. દેશભરમાં ખાદ્યપદાર્થોની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સરકારે સોમવારે કહ્યું કે એક મહિનામાં 11 આવશ્યક ખાદ્ય ચીજોના ભાવમાં બેથી 11 ટકાનો ઘટાડો થયો છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
potato and onion
potato and onion

સામાન્ય જનતા માટે એક સારા સમાચાર છે. દેશભરમાં ખાદ્યપદાર્થોની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સરકારે સોમવારે કહ્યું કે એક મહિનામાં 11 આવશ્યક ખાદ્ય ચીજોના ભાવમાં બેથી 11 ટકાનો ઘટાડો થયો છે.

 ખાદ્ય અને ઉપભોક્તા બાબતોના પ્રધાન પીયૂષ ગોયલે ટ્વિટર પર લખ્યું છે કે આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થયો છે. આનાથી માસિક બજેટ મોરચે પરિવારને રાહત મળી છે. પામ ઓઈલનો ભાવ ગયા મહિનાની બીજી તારીખે રૂ. 132 પ્રતિ લિટરની સરખામણીએ 2 ઓક્ટોબરે મહત્તમ 11 ટકા ઘટીને રૂ. 118 પ્રતિ લિટર થયો હતો.

આ ઉપરાંત વનસ્પતિ ઘીની કિંમત 152 રૂપિયાથી છ ટકા ઘટીને 143 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. સૂર્યમુખી તેલના ભાવ પણ 6 ટકા ઘટીને રૂ. 176 થી રૂ. 165 પ્રતિ લિટર જ્યારે સોયાબીન તેલના ભાવ 5 ટકા ઘટીને રૂ. 156 થી 148 પ્રતિ લીટર થયા હતા.

સરસવના તેલની કિંમત 173 રૂપિયાથી ત્રણ ટકા વધીને 167 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. સીંગતેલના ભાવ 189 રૂપિયા પ્રતિ લીટરથી બે ટકા ઘટીને 185 રૂપિયા પ્રતિ લીટર થયા છે.

ડુંગળીના ભાવ 26 રૂપિયા પ્રતિ કિલોથી 8 ટકા ઘટીને 24 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. તે જ સમયે, બટાકાની કિંમત 28 રૂપિયા પ્રતિ કિલોથી સાત ટકા ઘટીને 26 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

કઠોળમાં ચણાના ભાવ 4 ટકા ઘટીને રૂ. 71 પ્રતિ કિલો, મસૂરની દાળ 3 ટકા ઘટીને રૂ. 94 પ્રતિ કિલો અને અડદની દાળ 2 ટકા ઘટીને રૂ. 106 પ્રતિ કિલો થઈ ગઈ છે. મંત્રાલયે રવિવારે કહ્યું હતું કે વૈશ્વિક બજારમાં કિંમતોમાં નરમાઈને કારણે સ્થાનિક સ્તરે ખાદ્યતેલની કિંમતમાં ઘટાડો થયો છે. વૈશ્વિક ભાવમાં ઘટાડો અને આયાત ડ્યૂટીમાં ઘટાડો થવાને કારણે ખાદ્યતેલોના છૂટક ભાવમાં ઘટાડો થયો છે.

આ પણ વાંચો:પ્રધાનમંત્રી 5 ઓક્ટોબરે હિમાચલ પ્રદેશની મુલાકાત લેશે

Share your comments

Subscribe Magazine

More on News

More