Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFYB): ખેડૂતોનું સુરક્ષા કવચ

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના દેશમાં ખેતીવાડી સાથે જોડાયેલા વર્ગની વર્ષો જૂની ચિંતા તેમ જ માંગને પૂરી કરે છે. આ અગાઉ વર્ષ 1972માં સરકારે એક પાક વીમા યોજનાને લાગૂ કરી હતી, તેમા કેટલાક સુધારા સાથે વર્ષ 1985માં બીજી યોજના લાગૂ કરી હતી. ત્યારપછીના 15 વર્ષે ત્રીજી યોજના રજૂ કરવામાં આવી હતી. અલબત ભૂતકાળની તમામ યોજનાને ધ્યાનમાં રાખી વર્તમાન જરૂરિયાતોને પૂર્ણ કરવા તથા વ્યાપક અનુભવો બાદ નરેન્દ્ર મોદી સરકારે ખરીફ 2016થી એક નવી સ્કીમ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના (PMFBY)ની શરૂઆત કરી હતી.

KJ Staff
KJ Staff

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના દેશમાં ખેતીવાડી સાથે જોડાયેલા વર્ગની વર્ષો જૂની ચિંતા તેમ જ માંગને પૂરી કરે છે. આ અગાઉ વર્ષ 1972માં સરકારે એક પાક વીમા યોજનાને લાગૂ કરી હતી, તેમા કેટલાક સુધારા સાથે વર્ષ 1985માં બીજી યોજના લાગૂ કરી હતી. ત્યારપછીના 15 વર્ષે ત્રીજી યોજના રજૂ કરવામાં આવી હતી. અલબત ભૂતકાળની તમામ યોજનાને ધ્યાનમાં રાખી વર્તમાન જરૂરિયાતોને પૂર્ણ કરવા તથા વ્યાપક અનુભવો બાદ નરેન્દ્ર મોદી સરકારે ખરીફ 2016થી એક નવી સ્કીમ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના (PMFBY)ની શરૂઆત કરી હતી. આ યોજનામાં તમામ ખામીઓને દૂર કરવામાં આવી છે. 1લી એપ્રિલ, 2016ના રોજ PMFBY લાગૂ કરી તે સમયે દેશમાં પાક વીમાની ત્રણ યોજના દેશમાં ચાલતી હતી. જે પૈકી બે, રાષ્ટ્રીય કૃષિ બીમા યોજના અને સુધારા સાથે રજૂ કરવામાં આવેલી રાષ્ટ્રીય કૃષિ બીમા યોજનાને PMFBYમાં વિલય કરવામાં આવી.

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના (PMFBY)

અણધાર્યા સંજોગો/ઘટનાના કારણે ખેડૂતોને પાક નુકસાનીથી જે આર્થિક નુકસાન થયું હોય તેમને આર્થિક ટેકો આપવો. ખેડૂતોની આવક સ્થિર રાખવી જેથી તેઓ ખેતી વ્યવસાય ક્ષેત્રે ટકી રહે. ખેડૂતોને ખેતી માટે આધુનિક અને નવીન ટેકનિક અપનાવવા પ્રોત્સાહન આપવું. કૃષિ ક્ષેત્રમાં ધિરાણનો પ્રવાહ જાળવી રાખવો

યોગ્યતાના ધોરણો

તમામ ખેડૂતો જેમાં ભાગીદાર અને ગણોત ઓ નોટીફાઈડ વિસ્તારમાં નોટીફાઈડ પાક પકવતા હોય, તેઓ આ યોજના આવરી લેવાને પાત્ર છે. બધા ખેડૂતો જેઓ મોસમી ખેતીની કામગીરી માટે નાણાંકીય સંસ્થાઓ પાસેથી નોટીફાઈડ પાક માટે ધિરાણ મેળવી (એટલે કે ધિરાણી ખેડૂતો) ખેડૂતોને ફરજીયાતપણે આવરી લેવાના રહેશે.

યોજનાના ફાયદા

આ યોજના હેઠળ ખેડૂતો દ્વારા માટે બે ટકા,રવીપાક માટે ૧.૫ ટકા તેમજ વાર્ષિક વાણિજિયક અને વાર્ષિક બુગાયતી પાકો માટે પાંચ ટકા સુધીનું પ્રિમિયમ ભરવાનું થાય છે. આ યોજના હેઠળ પાક જણાવેલ તબક્કાઓ અને પાકને નુકસાન થાય તેવા જોખમ આવરી લેવામાં આવેલ છે વાવેતર ન  થવું/રોપણી ન થવી:ઓછા વરસાદને કારણે અથવા વિપરીત મોસમની સ્થિતિના કારણે, વીમા હેઠળના સ્તારમાં વાવણી અને વાવેતરને રોકાવું પડે તેવા સંજોગોમાં.

ઊભો પાક (વાવણીથી લણણી સુધી)
અટકાવી ન શકાય તેવા જોખમો એટલે કે દુકાળ, વરસાદ ન પડવો, પૂર, વધારે વરસાદ/જળબંબાકાર, જીવાત અને રોગો, જમીન ખસવી, કુદરતી આગ, વીજળી પડવી, વાવાઝોડું, બરફના તોફાન, ચક્રવાત અને ચક્રવાતના કારણે થતો વરસાદ તેમજ કમોસમી વરસાદ કે માવઠાંના જોખમોના કારણે થતુંનુકસાન વ્યાપક રીતે આવરી લેવામાં આવે છે.

કાપણી પછીના નુકસાન:
કાપણી બાદના બે સપ્તાહ સુધીના સમયને આ વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

એકાઉન્ટમાં ચુકવણીની જોગવાઈ
મુખ્ય પાકો માટે મધ્યવતી પ્રતિકૂળ પરિસ્થિતિને કારણે થયેલ નુકસાન માટે ખેડૂતોને ઓન એકાઉન્ટ પેમેન્ટની જોગવાઈ છે રાજય કક્ષાએ સચિવશ્રી, કૃષિના અધ્યક્ષપણા હેઠળ વીમા યોજનાની સંકલન સમિતિની રચના કરવામાં આવેલ છે. સદર સમિતિ કેન્દ્ર સરકારશ્રીની માર્ગદર્શ મુજબ જે તે ઋતુની શરુઆતમાં ટેન્ડર/બીડ કરી અમલકર્તા સંસ્થાઓ નક્કી કરવાનું  રહેશે તેમજ યોજના હેઠળ આવરી લેવાનાર પાક, ડીફાઇન્ડ વિસ્તાર, પ્રિમિયમના દર, પ્રિમિયમમાં સબસીડી, વિમાપાત્ર રકમ વગેરે બાબતો નક્કી કરે છે જે તે ઋતુનો ઠરાવ બહાર પાડશે.જેના આધારે જે તે નોટીફાઈડ વિસ્તાર પાકો માટે ખેડૂતો દ્વારા દરખાસ્ત પત્રક ઓનલાઈન રજુ કરવાનું રહેશે તેના આધારે યોજનાની અમલકર્તા સંસ્થા બેંકો મારફતે પ્રિમિયમ સ્વીકારશે, દાવોઓની ગણતરી કરી નિયમોનુસાર મળવાપાત્ર દાવાઓ મંજુર કરશે અને ન મારફતે ખેડૂતોના ખાતામાં પાક વિમાના દાવાની રકમ જમા કરાવશે.

Share your comments

Subscribe Magazine

More on News

More