Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

પામતેલની આયાતમાં મોટું ઘટાડો, 24 ટકા ઘટીને થયા 6 લાખ ટન

કેંદ્રની નરેંદ્ર મોદી સરકારે આયાત જકાતમાં કાપ અને રિફાઇન્ડ પામ ઑઇલના શિપમેન્ટની છૂટ આપી હોવા છતાં પામ ઑઇલના ભાવ 6 ટકા વધી ગયુ છે. ભારતે જેવી આયાત જકાત ઘટાડી કે તરત આંતરરાષ્ટ્રીય સપ્લાયરોએ ભાવો વધારી દીધા. વિશ્વમાં સૌથી મોટા વપરાશકારની જોરદાર માગ વધતાના સાથે જ વૈશ્વિક ભાવો વધી ગયુ છે.

કેંદ્રની નરેંદ્ર મોદી  સરકારે આયાત જકાતમાં કાપ અને રિફાઇન્ડ પામ ઑઇલના શિપમેન્ટની છૂટ આપી હોવા છતાં પામ ઑઇલના ભાવ 6 ટકા વધી ગયુ છે. ભારતે જેવી આયાત જકાત ઘટાડી કે તરત આંતરરાષ્ટ્રીય સપ્લાયરોએ ભાવો વધારી દીધા. વિશ્વમાં સૌથી મોટા વપરાશકારની જોરદાર માગ વધતાના સાથે જ વૈશ્વિક ભાવો વધી ગયુ છે.

કેંદ્રની નરેંદ્ર મોદી  સરકારે આયાત જકાતમાં કાપ અને રિફાઇન્ડ પામ ઑઇલના શિપમેન્ટની છૂટ આપી હોવા છતાં પામ ઑઇલના ભાવ 6 ટકા વધી ગયુ છે. ભારતે જેવી આયાત જકાત ઘટાડી કે તરત આંતરરાષ્ટ્રીય સપ્લાયરોએ ભાવો વધારી દીધા. વિશ્વમાં સૌથી મોટા વપરાશકારની જોરદાર માગ વધતાના સાથે જ વૈશ્વિક ભાવો વધી ગયુ છે.

ભારતની પામ ઓઇલની આયાત આ વર્ષના મે મહિનાથી આયાતના મુકાબલે જૂનમાં 24 ટકા ઘટીને 5,87,467 ટન થઈ ગઈ છે અને તેનું કારણ સ્થાનિક બજારમાં પડેલો ભારે સ્ટોક હોવાનું સોલ્વન્ટ એકસ્ટ્રેક્ટર્સ ઍસોસિયેશન જણાવ્યું હતું.

ક્રૂડ પામ ઑઇલની આયાત જકાતમાં તાજેતરમાં મુકાયેલા કાપ અને અન્ય પામતેલની જકાતમાં સપ્ટેમ્બર સુધી મુકાયેલા કાપ ઉપરાંત ડિસેમ્બર સુધી આરબીડી પામોઑઈલની બિનનિયંત્રિત આયાત થકી સ્થાનિક રિફાઇનરોના હિતોને અને ઑઇલસીડસ ઉત્પાદકોના હિતોને ફટકો પડયો હોવાનું ઍસોસિયેશને જણાવ્યું છે.

ભારત એ વિશ્વનો અગ્રણી વનસ્પતિ તેલ ખરીદનાર દેશ છે. ભારતે જૂન 2020માં 5,64,839 ટન પામ ઑઇલની આયાત કરી હતી જ્યારે મે 2021માં પામ ઑઇલની આયાત 7,69,602 ટનની થઈ હતી.

દેશની કુલ વનસ્પતિ તેલની આયાત આ વર્ષના જૂનમાં 17 ટકા ઘટી 9.96 લાખ ટનની થઈ છે જે એક વર્ષ પૂર્વે 11.98 લાખ ટનની હતી. દેશની કુલ વનસ્પતિ તેલની આયાતમાં 60 ટકાથી વધુ હિસ્સો પામ ઑઇલનો છે.

સીના જણાવ્યા પ્રમાણે સ્થાનિક બજારમાં ભારે સ્ટોક હોવાના કારણે જૂનમાં વનસ્પતિ તેલની આયાત ઓછી થઈ છે.પામ ઑઇલ પ્રોડક્ટસમાં જોઈએ તો ક્રૂડ પામ ઑઇલની આયાત આ વર્ષના જૂનમાં વધીને 5.76 લાખ ટન થઈ ગઈ છે જે અગાઉના વર્ષે 5.33 લાખ ટન થઈ હતી.

ક્રૂડ પામ કાર્નેલ ઑઇલ (સીપીકેઓ) ના શિપમેન્ટ 1000થી વધી 7377 ટન થયા છે.આરબીડી પામઓઈલની આયાત આ વર્ષના જૂનમાં વધી 3200 ટનની થઈ છે જે વર્ષ અગાઉ માત્ર 300 ટન હતી.

સોફ્ટ ઑઇલમાં સોયાબીન તેલની આયાત જૂનમાં ઘટીને 2,06,262 ટન થઈ છે જે ગત વર્ષના સમાન ગાળામાં 3,31,171 ટન હતી. એ જ રીતે સનફ્લાવર તેલના શિપમેન્ટ 2,69,428 ટનથી ઘટીને 1,75,702 ટન થઈ છે.

સીએ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે આરબીડી પામતેલની બેફામ આયાતથી નેપાળ અને બાંગ્લાદેશથી શૂન્ય જકાતમાં રિફાઇન્ડ તેલની આયાતના ઘોડાપૂર ઉમટયા છે.આથી પૂર્વ અને ઉત્તર ભારતના રિફાઇનરોને મરણતોલ ફટકો પડયો છે.

પહેલી જુલાઈના રોજ ખાદ્યતેલનો કુલ સ્ટોક 19.87 લાખ ટન હતો અને તેમાંથી 12.60 લાખ ટન પાઇપલાઈનમાં હોવાનો અંદાજ છે.

નોંધણીએ છે કે ભારત પામ ઓઇલનો આયાત ઇન્ડોનેશિયા અને મલેશિયાથી કરે છે.સાથે જ સોયાબીન તેલ સહિતના ક્રૂડ સોફ્ટ તેલની નાના જથ્થામાં આયાત આર્જેન્ટિનાથી કરે છે અને સનફ્લાવર તેલની આયાત યુક્રેન અને રશિયાથી કરે છે.

Share your comments

Subscribe Magazine

More on News

More