Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

આજે મેરઠમાં યોજાયું MFOI VVIF સમૃદ્ધ ખેડૂત ઉત્સવ,પ્રોગ્રેસિવ ખેડૂતો થયા સન્માનિત

કૃષિ જાગરણ છેલ્લા 27 વર્ષથી ખેડૂતો અને કૃષિ ક્ષેત્રના વિકાસ માટે સતત કાર્ય કરી રહ્યું છે. કૃષિ જાગરણ સમયાંતરે ખેડૂતો માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરતું રહે છે. આ સંદર્ભમાં, કૃષિ જાગરણ આ દિવસોમાં દેશભરમાં 'MFOI સમૃદ્ધ કિસાન ઉત્સવ 2024'નું આયોજન કરી રહ્યું છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
હસ્તિનાપુરમાં યોજાયું સમૃદ્ધ ખેડૂત ઉત્સવ
હસ્તિનાપુરમાં યોજાયું સમૃદ્ધ ખેડૂત ઉત્સવ

કૃષિ જાગરણ છેલ્લા 27 વર્ષથી ખેડૂતો અને કૃષિ ક્ષેત્રના વિકાસ માટે સતત કાર્ય કરી રહ્યું છે. કૃષિ જાગરણ સમયાંતરે ખેડૂતો માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરતું રહે છે. આ સંદર્ભમાં, કૃષિ જાગરણ આ દિવસોમાં દેશભરમાં 'MFOI સમૃદ્ધ કિસાન ઉત્સવ 2024'નું આયોજન કરી રહ્યું છે. MFOI સમૃદ્ધ કિસાન ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને એવું પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. જેથી તેઓ ખેતીમાં અવનવા પ્રયોગો કરી પોતાની આવકને બમણો કરી શકે. તેમ જ ખેતીની નવી ટેકનીક સહિત ખેતીને લગતી માહિતી મેળવી શકે અને પોતાના વિચારો પણ બીજા ખેડૂતો સુધી પહોંચાડી શકે. જો કે આજે ઉત્તર પ્રદેશના મેરઠ હેઠળ આવેલ હસ્તિનાપુરના ખેડૂતોને એમએફઓઆઈ થકી પોતાના વિચાર રજુ કરવાની તક પણ મળી.

મિલેનિયર એવોર્ડ વિશે પણ જાગૃત કરવામાં આવ્યા

જણાવી દઈએ કે સમૃદ્ધ કિસાન ઉત્સવ દરમિયાન ખેડૂતોને કૃષિ જાગરણની વિશેષ પહેલ 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા' એવોર્ડ વિશે પણ જાગૃત કરવામાં આવી રહ્યા છે. જેથી ખેડૂતો MFOI વિશે વધુ જાણી શકે. એટલું જ નહીં, 'સમૃદ્ધ કિસાન ઉત્સવ' દરમિયાન ખેતીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા ખેડૂતોનું પણ સન્માન કરવામાં આવી રહ્યું છે. આ શ્રેણીમાં આજે (13 માર્ચ, બુધવાર) ઉત્તર પ્રદેશના મેરઠ હેઠળ આવેલ હસ્તિનાપુરમાં 'સમૃદ્ધ કિસાન ઉત્સવ'નું આયોજન કરવામાં આવ્યું હતું. હસ્તિનાપુરના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે આયોજિત આ 'સમૃદ્ધ કિસાન ઉત્સવ'માં મહિન્દ્રા ટ્રેક્ટર, ધાનુકા સહિત કૃષિ ક્ષેત્ર સાથે સંબંધિત ઘણી કંપનીઓ, ઘણા કૃષિ નિષ્ણાતો, કૃષિ વિભાગના અધિકારીઓ, કરોડપતિ ખેડૂતો અને ઘણા પ્રગતિશીલ ખેડૂતોએ ભાગ લીધો હતો. આ સમયગાળા દરમિયાન, પાકના રોગ અને જીવાતોનું સંચાલન, નવી ખેતીની તકનીકો, કૃષિ સાધનો અને અન્ય ઘણા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર હસ્તિનાપુર ખાતે આયોજિત આ 'સમૃદ્ધ કિસાન ઉત્સવ'માં 250 થી વધુ ખેડૂતોએ ભાગ લીધો હતો. આ દરમિયાન ખેતીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 25 પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ખેડૂતોમાં સિદ્ધાર્થ શંકર, યોગેન્દ્ર, દેવરાજ, યોગેન્દ્ર કુમાર, મોહર સિંહ, સંજય ત્યાગી, કોશીરામ, અજીત કુમાર, પ્રવીણ, દિનેશ, મલક સિંહ, અંભુ ત્યાગી, પુનીત ત્યાગી, ગજેન્દ્ર, અજય કુમાર, રાકેશ શર્મા, પ્રેમ સિંહ, કરાર સિંહ,અમિત ત્યાગી અને વિજય ત્યાગીનો સમાવેશ થાય છે.

અનેક તજજ્ઞો રહ્યા ઉપસ્થિત

'સમૃદ્ધ કિસાન ઉત્સવ'માં કૃષિ ક્ષેત્ર સાથે સંબંધિત ઘણી કંપનીઓના નિષ્ણાતો અને પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો હતો. જેમણે ખેતી અને ખેતીને લગતા વિવિધ મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમાંથી, ડૉ. ઓમવીર સિંહ, કેવીકે હેડ-હસ્તિનાપુર, ડૉ. નવીન ચંદ્રા (આસિસ્ટન્ટ પ્રોફેસર- પ્લાન્ટ પ્રોટેક્શન), રાકેશ તિવારી (સહાયક પ્રોફેસર (સોઇલ સાયન્સ), ડૉ. જે.કે. આર્ય (સહાયક પ્રોફેસર- નેચરલ ફાર્મિંગ) અને અન્ય ઘણા નિષ્ણાતો હાજર હતા.

શું છે એમએફઓઆઈ?

હવે તમે વિચારતા હશો કે આ MFOI શું છે? સરળ ભાષામાં કહીએ તો દેશના લગભગ દરેક ક્ષેત્રમાં કોઈને કોઈ મોટું વ્યક્તિત્વ છે. જેમની એક ખાસ ઓળખ છે. પરંતુ, જ્યારે ખેડૂતની વાત આવે છે, ત્યારે કેટલાક લોકોને એક જ ચહેરો દેખાય છે, તે છે ખેતરમાં બેઠેલા ગરીબ અને લાચાર માણસ પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ આવી નથી. આ મૂંઝવણને સમાપ્ત કરવા માટે કૃષિ જાગરણ દ્વારા 'મિલિયોનેર ફાર્મર ઑફ ઈન્ડિયા' એવોર્ડ શોની પહેલ શરૂ કરવામાં આવી છે, જેના દ્વારા ખેડૂતોને ફક્ત એક-બે જિલ્લા કે રાજ્ય સ્તરે જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સ્તરે એક અલગ ઓળખ મળશે. કૃષિ જાગરણની આ પહેલ દેશભરમાંથી કેટલાક અગ્રણી ખેડૂતોને પસંદ કરીને માત્ર રાષ્ટ્રીય સ્તરે જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એક અલગ ઓળખ આપવાનું કામ કરશે. આ એવોર્ડ શોમાં એવા ખેડૂતોને સન્માનિત કરવામાં આવશે જેઓ વાર્ષિક રૂ. 10 લાખથી વધુની કમાણી કરી રહ્યા છે અને તેમની આસપાસના ખેડૂતો માટે એક ઉદાહરણ સ્થાપિત કરી રહ્યા છે.

મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ- 2024

'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ-2023'ની સફળતા બાદ હવે કૃષિ જાગરણ બીજી આવૃત્તિ MFOI 2024નું આયોજન કરવા જઈ રહ્યું છે. જેનું આયોજન 1 થી 5 ડિસેમ્બર 2024 દરમિયાન કરવામાં આવશે. જેના માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કૃષિ જાગરણ પણ 'MFOI, VVIF કિસાન ભારત યાત્રા' દ્વારા ખેડૂતોને આ અંગે જાગૃત કરી રહ્યું છે. આ યાત્રા દેશના ખૂણે ખૂણે જશે અને ખેડૂતોને MFOI વિશે જાગૃત કરશે અને ખેડૂતો માટેના સૌથી મોટા એવોર્ડ શોમાં આવવાનું આમંત્રણ આપશે. હાલમાં 'MFOI, VVIF કિસાન ભારત યાત્રા' ચાલી રહી છે અને આ યાત્રા તમારા શહેર, ગામ અને નગરમાં પણ આવી શકે છે. તેથી, આને લગતી દરેક માહિતી માટે કૃષિ જાગરણ ગુજરાતીની વેબસાઇટ અને સોશિયલ મીડિયા સાથે જોડાયેલા રહો. અહીં, તમને ત્વરિત અપડેટ્સ મળશે.

Share your comments

Subscribe Magazine

More on News

More