Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

MFOI,VVIF ખેડૂત ભારત યાત્રા: એક જ દિવસમાં અમદાવાદ અને ખેડાના ખેડૂતોનું બહુમાન

કૃષિ જાગરણ તેની નવીન પહેલ દ્વારા ભારતીય કૃષિમાં ક્રાંતિ કરવાનું ચાલુ રાખે છે. મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત તેના 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ'ની શાનદાર સફળતા બાદ, સંસ્થાએ 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા' શરૂ કરી છે,

Amansinh Jadeja
Amansinh Jadeja
બારેજા ગામના સન્માનિત ખેડૂતો સાથે હર્ષભાઈ જીતન્દ્રભાઈ રાઠોડ
બારેજા ગામના સન્માનિત ખેડૂતો સાથે હર્ષભાઈ જીતન્દ્રભાઈ રાઠોડ

કૃષિ જાગરણ તેની નવીન પહેલ દ્વારા ભારતીય કૃષિમાં ક્રાંતિ કરવાનું ચાલુ રાખે છે. મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત તેના 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ'ની શાનદાર સફળતા બાદ, સંસ્થાએ 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા' શરૂ કરી છે, જે સમગ્ર દેશમાં ખેડૂતોને સશક્તિકરણ કરવાના હેતુથી પરિવર્તનકારી રોડ શો છે. હવે તે યાત્રા આપણા ગુજરાત પહોંચી ગઈ છે.

ખેડૂત ભારત યાત્રા ગુજરાતમાં પોતાની યાત્રા ગુરૂવારે 11 એપ્રિલથી શરૂ કરી હતી. જો કે 29 મે સુધી સમગ્ર ગુજરાતમાં ફરીને રાજ્યના કૃષિ વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરશે અને ખેતીમાં આપણે કેવી રીતે પરિવર્તન કરીને તેને એક સારા રોજગારની તક તરીકે ઉભા કરી શકીએ છીએ તેના વિશે પર ચર્ચા કરશે. તેના સાથે જ રાજ્યના ખેડૂતો સાથે પણ વાતચીત કરીને તેઓની સમસ્યાઓના ઉકેળ કાઢશે. તેમ જ આ યાત્રા દરમિયાન ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત પણ કરવામાં આવશે.

દસ્ક્રોઈના બારેજા ગામે યાત્રાનું ભવ્ય સ્વાગત

કૃષિ જાગરણ અને મહિન્દ્રા ટ્રેક્ટર્સ દ્વારા આયોજિત એમએફઓઆઈ,વીવીઆઈએફ ખેડૂત ભારત યાત્રા સતત ગુજરાતના ખુણે-ખુણે ફરીને રાજ્યના દરેક ગામમાં જઈને ત્યાનાં પ્રગતિશીલ ખેડૂતો સાથે ભેટ કરી રહી છે અને તેમને તેમના કાર્ય બદલ સન્માનિત પણ કરી રહી છે.એજ સંદર્ભમાં સોમવારે એટલે કે 20 મેના રોજ ખેડૂત ભારત યાત્રા આવી પહોંચી હતી અમદાવાદની દસ્ક્રોઈ તાલુકા ખાતે આવેલ બારેજા ગામે. જ્યાં તેનુ સ્વાગત પ્રગતિશીલ ખેડૂત હિરેનભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કૃષિ જાગરણ દ્વારા પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન કરવામાં આવ્યું હતું. ઉપરાંત ત્યાં ભેગા થયા દરેક ખેડૂતને એમએફઓઆઈ, વીવીઆઈએફ શું છે, તેને લઈને પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી અને પ્રગતિશીલ ખેડૂતોને દિલ્લીમાં 1 થી 3 ડિસેમ્બર 2024 સુધી મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત MFOI, VVIF એવોર્ડ માટે નિમંત્રણ પણ આપવામાં આવ્યું હતું. તેમ જ મહિલા ખેડૂતોનું બહુમાન કરવામાં આવ્યા હતા.

ખેડાના પ્રગતિશીલ ખેડૂત
ખેડાના પ્રગતિશીલ ખેડૂત

ખેડાના વંસારા ગામના પ્રગિતશીલ ખેડૂતના થયું બહુમાન

સોમવારે 20 મે ના રોજ અમદાવાદના બારેજા ગામના ખેડૂતોનું બહુમાન કર્યા પછી. કૃષિ જાગરણ અને મંહિન્દ્રા ટ્રેક્ટર્સ દ્વારા પ્રાયોજિત ખેડૂત ભારત યાત્રા આવી પહોંચી હતી ખેડા જિલ્લાના મેટર તાલુકા ખાતે આવેલ ગામ વંસારામાં. જ્યાં કૃષિ જાગરણ દ્વારા ગામના પ્રગતિશીલ ખેડૂત રમેશભાઈનું સાર્ટિફિકેટ આપનીને સન્માનિત કરવામાં આવ્યું હતુ.તેમ જ તેમણે દિલ્લીમાં 1 થી 3 ડિસેમ્બર 2024 સુધી મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત MFOI, VVIF એવોર્ડ માટે નિમંત્રણ પણ આપવામાં આવ્યું હતું. તેમ જ મહિલા ખેડૂતોનું બહુમાન કરવામાં આવ્યા હતા.

ખેડૂતોની ફરિયાદ પર વધારવામાં આવ્યું યાત્રાનું સમય

તમને જણાવી દઈએ કે ખેડૂતોની માંગણીને જોતા એમએફઓઆઈ, વીવઆઈએફ ખેડૂત ભારત યાત્રાના સમયને ગુજરાતમાં વધારી દેવામાં આવ્યું છે. હવે ખેડૂત ભારત યાત્રા ગુજરાતમાં 25 અપ્રિલ સુધી નથી પણ 29 મે સુધી રોકાશે અને ગુજરાતના દરેક જિલ્લામાં જઈને ત્યાંના પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરશે અને તેમની અને બીજા ખેડૂતોને થઈ રહેલી કોઈ પણ પ્રકારની સમસ્યા ઉપર ચર્ચા કરશે તેમનું ઉકેલ શોધવાનું પ્રયાસ કરશે. જો તમે પણ તમારા ગામડાના પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન કરવાનું ઇચ્છો છો અને એક ખેડૂત તરીકે થઈ રહેલી કોઈ સમસ્યાનું ઉકેલ મેળવવા માંગો છો આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો (+91 93542 19049).

Share your comments

Subscribe Magazine

More on News

More