Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

MFOI VVIF ખેડૂત ભારત યાત્રા પહોંચી ભરૂચ, ખેડૂતોએ ગાય આધારિત ખેતીને ગણાવ્યું ગુજરાતનું ભવિષ્ય

કૃષિ જાગરણ તેની નવીન પહેલ દ્વારા ભારતીય કૃષિમાં ક્રાંતિ કરવાનું ચાલુ રાખે છે. મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત તેના 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ'ની શાનદાર સફળતા બાદ 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા' શરૂ કરી છે,

Amansinh Jadeja
Amansinh Jadeja
પશુપતિ ઐફપીઓ
પશુપતિ ઐફપીઓ

કૃષિ જાગરણ તેની નવીન પહેલ દ્વારા ભારતીય કૃષિમાં ક્રાંતિ કરવાનું ચાલુ રાખે છે. મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત તેના 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ'ની શાનદાર સફળતા બાદ 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા' શરૂ કરી છે, જે સમગ્ર દેશમાં ખેડૂતોને સશક્તિકરણ કરવાના હેતુથી પરિવર્તનકારી રોડ શો છે. હવે તે યાત્રા આપણા ગુજરાત પહોંચી ગઈ છે.

ખેડૂત ભારત યાત્રા ગુજરાતમાં પોતાની યાત્રા ગુરૂવારે 11 એપ્રિલથી શરૂ કરી હતી. જો કે આગામી 15 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં ફરીને રાજ્યના કૃષિ વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરશે અને ખેતીમાં આપણે કેવી રીતે પરિવર્તન કરીને તેને એક સારા રોજગારની તક તરીકે ઉભા કરી શકીએ છીએ તેના વિશે પર ચર્ચા કરશે. તેના સાથે જ રાજ્યના ખેડૂતો સાથે પણ વાતચીત કરીને તેઓની સમસ્યાઓના ઉકેળ કાઢશે. તેમ જ આ યાત્રા દરમિયાન ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત પણ કરવામાં આવશે.

ભરૂચના ખેડૂતોને કરવામાં આવ્યું સન્માનિત

કૃષિ જાગરણ એમએફઓઆઈ, વીવીઆઈએફ, STHIL  ખેડૂત ભારત આજે એટલે કે શનિવારે 13 એપ્રિલના રોજ ભરૂચ પહોંચી હતી. જ્યાં ભારત કિસાન યાત્રાનું ભરુચ, હાંસોટ FPO પશુપતિ ફાર્મર પ્રોડ્યૂસર ખાતે ભવ્ય સ્વાગત કરવા માં આવ્યું હતું, પશુપતિ FPO અંતર્ગત મોટી સંખ્યા માં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને તેમની સમસ્યાઓ વિશે પોતાનો વકતવ્ય રજ કર્યો હતો.આ દરમિયાન બધા ખેડૂતોને MFOI, VVIF મિલેનીયોર ફાર્મર ઓફ ઇન્ડિયા વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.

ગાય આધારિત ખેતી પર મુક્યો ભાર
ગાય આધારિત ખેતી પર મુક્યો ભાર

તેમ જ પ્રગતિશીલ ખેડૂતોના બહુમાન કરવામાં આવ્યા હતા તથા તેમના હસ્તે બીજા ખેડૂતોને પણ સન્માન પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી પર ભાર મુકતા આત્મા ફાર્મર પ્રોડયૂસર ધર્મેશભાઈ પટેલે નિવેદન આપતા કહ્યુ હતુ કે આત્મા પ્રોજેક્ટનો હેતુ રાજ્યમાં પ્રાકૃતિક અને ગાય આધારિત ખેતી પર ભાર મુકવાનું છે અને વધુથી વધુ ખેડૂતોએ ઓર્ગેનિક અને ગાય આધારિત ખેતી તરફ વળે એજ અમે ઇચ્છીએ છીએ.

25 એપ્રિલ સુધી ગુજરાતમાં ફરશે ખેડૂત ભારત યાત્રા

તમને જણાવી દઈએ કે એમએફઓઆઈ, વીવઆઈએફ  ખેડૂત ભારત યાત્રા 25 અપ્રિલ સુધી ગુજરાતના દરેક જિલ્લામાં જઈને ત્યાંના પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરશે અને તેમની અને બીજા ખેડૂતોને થઈ રહેલી કોઈ પણ પ્રકારની સમસ્યા ઉપર ચર્ચા કરશે તેમનું ઉકેલ શોધવાનું પ્રયાસ કરશે. જો તમે પણ તમારા ગામડાના પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન કરવાનું ઇચ્છો છો અને એક ખેડૂત તરીકે થઈ રહેલી કોઈ સમસ્યાનું ઉકેલ મેળવવા માંગો છો આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો (+91 93542 19049)   

Share your comments

Subscribe Magazine

More on News

More