Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

MFOI VVIF ખેડૂત ભારત યાત્રાને મળ્યો લખતરના ખેડૂતોનું પ્રેમ, જોઈને મોટી સંખ્યામાં ઉમટી પડ્યા

કૃષિ જાગરણ તેની નવીન પહેલ દ્વારા ભારતીય કૃષિમાં ક્રાંતિ કરવાનું ચાલુ રાખે છે. મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત તેના 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ'ની શાનદાર સફળતા બાદ, સંસ્થાએ 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા' શરૂ કરી છે

Amansinh Jadeja
Amansinh Jadeja
યાત્રાને જોઈને ઉમટી પડ્યા ખેડૂતોએ
યાત્રાને જોઈને ઉમટી પડ્યા ખેડૂતોએ

કૃષિ જાગરણ તેની નવીન પહેલ દ્વારા ભારતીય કૃષિમાં ક્રાંતિ કરવાનું ચાલુ રાખે છે. મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા પ્રાયોજિત તેના 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ્સ'ની શાનદાર સફળતા બાદ, સંસ્થાએ 'MFOI, VVIF ખેડૂત ભારત યાત્રા' શરૂ કરી છે, જે સમગ્ર દેશમાં ખેડૂતોને સશક્તિકરણ કરવાના હેતુથી પરિવર્તનકારી રોડ શો છે. હવે તે યાત્રા આપણા ગુજરાત પહોંચી ગઈ છે.

ખેડૂત ભારત યાત્રા ગુજરાતમાં પોતાની યાત્રા ગુરૂવારે 11 એપ્રિલથી શરૂ કરી હતી. જો કે આગામી 15 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં ફરીને રાજ્યના કૃષિ વૈજ્ઞાનિકો સાથે વાતચીત કરશે અને ખેતીમાં આપણે કેવી રીતે પરિવર્તન કરીને તેને એક સારા રોજગારની તક તરીકે ઉભા કરી શકીએ છીએ તેના વિશે પર ચર્ચા કરશે. તેના સાથે જ રાજ્યના ખેડૂતો સાથે પણ વાતચીત કરીને તેઓની સમસ્યાઓના ઉકેળ કાઢશે. તેમ જ આ યાત્રા દરમિયાન ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત પણ કરવામાં આવશે.

લખતર તાલુકાના ખેડૂતોએ કર્યો યાત્રાનું ભવ્ય સ્વાગત

કૃષિ જાગરણ દ્વારા આયોજિત એમએફઓઆઈ, વીવીઆઈએફ ખેડૂત ભારત યાત્રા શુક્રવારે 19 એપ્રિલના રોજ પોતાની ગુજરાત યાત્રા પર આજે સુરેન્દ્રનગરના લખતર તાલુકા ખાતે આવેલ અણદિયા ગામે પહોંચી હતી. ત્યાં પ્રગતિશીલ ખેડૂત મનસુખ ભાઈ ઓળખીયા દ્વારા શરૂ કરવામાં આવેલ તલપાડ ફાર્મર પ્રોડ્યુસર એફપીઓ અને એસપીએન તાલુકા સંયોજક રાજેશભાઈ તેમ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતો દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. જણાવી દઈએ યાત્રાને જોતાના સાથે જ ખેડૂતોએ મોટી સંખ્યામાં ઉમટી આવ્યા હતા.

આ દરમિયાન લખતર તાલુકામાં કેન્દ્ર સરકાર દ્વારા પુરુસ્કૃત યોજના હેઠળ 100 થી વધુ ખેડૂત ઉત્પાદક સંગઠનો સાથે જોડાયેલા ખેડૂતો મોટી સંખ્યા ઉપસ્થિત હતા, જેમને #MFOI, #VVIF મિલેનીયોર ફાર્મર ઓફ ઇન્ડિયા વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. તેના સાથે જ તેમના સાથે તેમની અને બીજા ખેડૂતોની સમસ્યાઓને લઈને વાત પણ કરવમાં આવી હતી. જેને જોવા માટે તમે આ લિંક ઉપર ક્લિક કરી શકો છો.

25 એપ્રિલ સુધી ગુજરાતમાં ફરશે ખેડૂત ભારત યાત્રા

તમને જણાવી દઈએ કે એમએફઓઆઈ, વીવઆઈએફ ખેડૂત ભારત યાત્રા 25 અપ્રિલ સુધી ગુજરાતના દરેક જિલ્લામાં જઈને ત્યાંના પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરશે અને તેમની અને બીજા ખેડૂતોને થઈ રહેલી કોઈ પણ પ્રકારની સમસ્યા ઉપર ચર્ચા કરશે તેમનું ઉકેલ શોધવાનું પ્રયાસ કરશે. જો તમે પણ તમારા ગામડાના પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન કરવાનું ઇચ્છો છો અને એક ખેડૂત તરીકે થઈ રહેલી કોઈ સમસ્યાનું ઉકેલ મેળવવા માંગો છો આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો (+91 93542 19049)

Share your comments

Subscribe Magazine

More on News

More