Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

રાજસ્થાનની પોતાની યાત્રા પર કોટા પહોંચી MFOI VVIF ખેડૂત ભારત યાત્રા

MFOI, VVIF કિસાન ભારત યાત્રા' બુધવારે, 20 માર્ચ, 2024 ના રોજ રાજસ્થાનના ઉદયપુર, ચિત્તોડગઢ પછી કોટા પહોંચી છે. ત્યાં આ રોડ શોને KVK-કોટાના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને અધ્યક્ષ ડો. મહિન્દ્ર સિંહના સંપૂર્ણ સહયોગ મળ્યો હતો.

Amansinh Jadeja
Amansinh Jadeja
ખેડૂત ભારત યાત્રા પહોંચી કોટા
ખેડૂત ભારત યાત્રા પહોંચી કોટા

MFOI, VVIF કિસાન ભારત યાત્રા' બુધવારે, 20 માર્ચ, 2024 ના રોજ રાજસ્થાનના ઉદયપુર, ચિત્તોડગઢ પછી કોટા પહોંચી છે. ત્યાં  આ રોડ શોને KVK-કોટાના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને અધ્યક્ષ ડો. મહિન્દ્ર સિંહના સંપૂર્ણ સહયોગ મળ્યો હતો. યાત્રા દરમિયાન, ખેડૂતોને કૃષિ જાગૃતિ પહેલ MFOI (મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા) વિશે પણ જાગૃત કરવામાં આવ્યા, જે ખેડૂતોને ઓળખવા અને સન્માનિત કરવા માટે એક ઉત્તમ પહેલ છે. MFOI, VVIF કિસાન ભારત યાત્રાએ કેવીકે પછી કોટાના અવાના ગામ પહોંચી અને ત્યાના પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કર્યો. આ દરમિયાન અવાના ફાર્મર પ્રોડ્યુસર કંપનીના વડા મનીષભાઈ રાઠોડ પણ ત્યાં હાજર હતા. આજે બુઘવારે 19 માર્ચે ખેડૂત ભારત યાત્રાએ કોટાના કેવીકેની મુલાકાત લીધી. સાથે જ કેવીકેના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. મનિંદર સિંહ  સાથે શિષ્ટાચાર ભેટ કરી. તેમ જ ખેડૂતોને મિલેનિયર ફાર્મર ઑફ ઇન્ડિયા વિશે માહિતી આપી અને દિલ્લી આવવાવ માટે નિમંત્રણ આપ્યું.

શું છે યાત્રાનું ઉદ્દેશ્ય

આ રોડ શો ખેડૂતોને એક પ્લેટફોર્મ વિશે માહિતી આપવા માટે સમર્પિત છે જેનો ઉદ્દેશ્ય કૃષિ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર દેશભરના પ્રગતિશીલ કરોડપતિ ખેડૂતોની નોંધપાત્ર સિદ્ધિઓને ઓળખવા અને તેમનો સન્માન કરવાનો છે. આ યાત્રા દરમિયાન ખેડૂતોને આધુનિક ખેતી તકનીકોની તાલિમ પણ આપવામાં આવી રહી છે. જેથી તેમના પાકના ઉત્પદાનમાં વધારો થાય અને તેમની આવક પણ બમણી થઈ શકે.

પ્રગતિશીલ ખેડૂતો થકી બીજાને ખેડૂતોને મળે છે પ્રેરણા

MFOI, VVIF કિસાન ભારત યાત્રા' ખેડૂતોને સશક્તિકરણ અને ગ્રામીણ ભારતને પુનર્જીવિત કરવાના સામૂહિક વિઝનને મૂર્ત બનાવે છે. વધુમાં, આ યાત્રા માત્ર પ્રગતિશીલ ખેડૂતોની સફળતાની ગાથાઓ જ ઉજવતી નથી પરંતુ અન્ય ખેડૂતોને પણ પ્રગતિશીલ ખેડૂતોની વાર્તા થકી ખેતીમાં ઉતકૃષ્ટ પ્રદર્શન કરવા માટે પ્રેરિત કરે છે.

આ પણ વાંચો: નાની ઉમરમાં ખેતી શરૂ કરનાર આ ખેડૂત બન્યું ફાદર ઑફ ઓર્ગેનિક ખેતી! તેમના હાથે વડા પ્રધાન પણ થયા હતા સન્માનિત

જેમ જેમ યાત્રા આગળ વધે છે તેમ તેમ, 'MFOI, VVIF કિસાન ભારત યાત્રા' ગ્રામીણ સમુદાયોના ઉત્થાનકૃષિ નવીનીકરણને પ્રોત્સાહન આપવા અને રાષ્ટ્રની વૃદ્ધિ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપનારા અવિશ્વસનીય નાયકોનું સન્માન કરવાના તેના મિશનમાં અડગ રહે છે.

Related Topics

Rajasthan Kota MFOI VVIF KVK

Share your comments

Subscribe Magazine

More on News

More