Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

હિસાર પહોંચી MFOI, VVFI ખેડૂત ભારત યાત્રા, પૂરુષોથી આગળ નિકળી મહિલા ખેડૂતો

દેશની રાજધાની દિલ્લી હેઠળ આવેલ ઉજવા કૃષિ વિજ્ઞાન કેન્દ્રથી અગ્રણી કૃષિ મીડિયા હાઉસ કૃષિ જાગરણ દ્વારા શરૂ કરવામાં આવેલી એમએફઓઆઈ અને વીવીઆઈએફ ખેડૂત ભારત યાત્રા હાલમાં ઉત્તર ભારતમાં તેની છાપ બનાવી રહી છે

Amansinh Jadeja
Amansinh Jadeja
MFOI ખેડૂત ભારત યાત્રા હિસારમાં
MFOI ખેડૂત ભારત યાત્રા હિસારમાં

દેશની રાજધાની દિલ્લી હેઠળ આવેલ ઉજવા કૃષિ વિજ્ઞાન કેન્દ્રથી અગ્રણી કૃષિ મીડિયા હાઉસ કૃષિ જાગરણ દ્વારા શરૂ કરવામાં આવેલી એમએફઓઆઈ અને વીવીઆઈએફ ખેડૂત ભારત યાત્રા હાલમાં ઉત્તર ભારતમાં તેની છાપ બનાવી રહી છે. તેનો ઉદ્યેશ્ય ખેડૂતોને કૃષિ ક્ષેત્રમાં સુઘારો કરવા માટે તાલિમ આપવાનું છે અને તેમની સિદ્ધિઓ બદલ તેમનું સન્માન કરવાનો છે. એટલું જ નહીં, આ યાત્રા દરમિયાન ખેડૂતોને કૃષિ જાગરણ પહેલ MFOI વિશે પણ જાગૃત કરવામાં આવી રહ્યા છે, જે ખેડૂતો માટેનો સૌથી મોટો એવોર્ડ શો છે. યાત્રા દરમિયાન ખેડૂતોને એ પણ જણાવવામાં આવી રહ્યું છે કે કેવી રીતે કૃષિ જાગરણ કૃષિ ક્ષેત્ર અને ખેડૂતોના વિકાસ માટે સતત કામ કરી રહ્યું છે, જેનું અંતિમ પરિણામ MFOIના રૂપમાં બધાની સામે છે.

હરિયાણામાંથી થઈ રહી છે પસાર

હાલમાં આ યાત્રા હરિયાણામાંથી પસાર થઈ રહી છે. જેના હેઠળ બુધવારે 'MFOI, VVIF કિસાન ભારત યાત્રા'નો કાફલો હરિયાણાના હિસાર પહોંચ્યા. જ્યાં કૃષિ જાગરણની ટીમ સરસાણા અને ભટોળ રંગદાન ગામમાં પહોંચીને ખેડૂતો સાથે વાત કરી હતી. ટીમે ખેડૂતો સાથે ખેતી સંબંધિત કેટલીક માહિતી શેર કરી અને તેમને MFOI વિશે જાગૃત કર્યા. ટીમે ખેડૂતોને જણાવ્યું કે આ એવોર્ડ શો તેમના માટે શા માટે મહત્વપૂર્ણ છે અને તેનાથી તેમને શું ફાયદો થશે.

ખેડૂતોએ પોતાના વિચાર વ્યક્ત કર્યા

આ દરમિયાન અનેક ખેડૂતોએ પોતાના વિચારો પણ વ્યક્ત કર્યા હતા. હાલરાજ હાંસી ટુ એફપીઓના સભ્ય બલરાજ સિંહે જણાવ્યું કે તેમના એફપીઓમાં 123 શેરધારક ખેડૂતો છે, જેનું ક્લસ્ટર 12 ગામોમાં ફેલાયેલું છે. તેમણે કહ્યું કે FPOની મદદથી દરેક ગામમાં 15-15 ખેડૂતોનું એક જૂથ પણ બનાવવામાં આવ્યું છે. જ્યાં મહિલા ખેડૂતો, ભૂમિહીન ખેડૂતો, ઉત્પાદન ખેડૂતો અને અન્ય ઘણા લોકો સાથે મળીને કામ કરે છે. જેથી સાથે મળીને ખેડૂતોને પ્રોત્સાહન આપી શકાય અને તેમના ઉત્પાદનોનું માર્કેટિંગ પણ કરી શકાય. તેમણે કહ્યું કે ત્યારથી એફપીઓ આ રીતે ખેડૂતોને મદદ કરવાનું ચાલુ રાખશે.

મહિલા ખેડૂતો લઈ રહી છે ડ્રોની તાલિમ

તે જ સમયે, ખારઘોડા ગામની મહિલા ખેડૂત અનુ, જે તાજેતરમાં ડ્રોન ચલાવવાની તાલીમ લઈને પરત ફરી છે, તેણે જણાવ્યું હતું કે ડ્રોન ટેક્નોલોજી ખેડૂતો માટે કેવી રીતે ફાયદાકારક છે. તેમણે કહ્યું કે અગાઉ આખો દિવસ ખેતરોમાં ખાતર અને યુરિયા છંટકાવ કરવામાં પસાર થતો હતો, પરંતુ હવે ડ્રોન ટેક્નોલોજીથી આ કામ ઘણું સરળ થઈ ગયું છે.

જેના કારણે ખેડૂતોનો સમય પણ બચશે. તેણીએ કહ્યું કે મેં તાજેતરમાં ડ્રોન ઉડાવવાની તાલીમ લીધી છે અને હું અન્ય ખેડૂતોને પણ તેના વિશે જાગૃત કરીશ. આ દરમિયાન કેટલાક ખેડૂતોનું આ વિસ્તારમાં કૃષિ વિકાસ અને ખેતીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું.

શું છે એમએફઓઆઈ ખેડૂત ભારત યાત્રા

અમે તમને જણાવી દઈએ કે 'MFOI કિસાન ભારત યાત્રા 2023-24' ગ્રામીણ પરિદ્રશ્યને બદલતા સ્માર્ટ વિલેજના વિચારની કલ્પના કરે છે. MFOI કિસાન ભારત યાત્રાનો હેતુ ડિસેમ્બર 2023 થી નવેમ્બર 2024 સુધી દેશભરમાં પ્રવાસ કરવાનો છે. જે 1 લાખથી વધુ ખેડૂતો સુધી વિસ્તરશે. જેમાં 4 હજારથી વધુ સ્થળોનું વિશાળ નેટવર્ક અને 26 હજાર કિલોમીટરથી વધુનું નોંધપાત્ર અંતર આવરી લેવામાં આવશે. આ મિશનનો પ્રાથમિક ઉદ્દેશ્ય ખેડૂત સમુદાયોમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો છે, જેથી ખેડૂતોને તેમની સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિમાં વધારો કરીને સશક્તિકરણ કરી શકાય.

MFOI ઈન્ડિયા ટૂરનું લોન્ચિંગ એ ભારતના કરોડપતિ ખેડૂતોની સિદ્ધિઓ અને તેમના દ્વારા કરવામાં આવેલા કાર્યને ઓળખવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આ દેશવ્યાપી યાત્રા એક લાખથી વધુ ખેડૂતો સાથે જોડાશે, 4520 સ્થળોને પાર કરશે અને 26,000 કિલોમીટરથી વધુનું અંતર કાપશે. આટલા મોટા પાયા પર ખેડૂતો સાથે જોડાઈને આ યાત્રા તેમની સફળતાની ગાથાઓ વિશ્વ સમક્ષ લાવશે.

Share your comments

Subscribe Magazine

More on News

More