Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ખરીફ પાક વાવેતર સમયે બિયારણની ખરીદી વખતે ખેડૂતોએ લાયસન્સ ધારક પાસેથી જ બિયારણ ખરીદવાનો આગ્રહ રાખવો

રાજ્યના તમામ ખેડૂતોએ આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણની ખરીદી વખતે લાયસન્સ ધારક સહકારી મંડળી, સરકારી સંસ્થાઓ, ખાનગી વિક્રેતા પાસેથી જ બિયારણ ખરીદીનો આગ્રહ રાખવો, જેથી છેતરપિંડીથી બચી શકાય. લાયસન્સ ન ધરાવતા વ્યક્તિ, ફેરિયાઓ, પેઢીઓ પાસેથી બિયારણ ન ખરીદવા સૂચના છે.

KJ Staff
KJ Staff
seeds
seeds

રાજ્યના તમામ ખેડૂતોએ આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણની ખરીદી વખતે લાયસન્સ ધારક સહકારી મંડળી, સરકારી સંસ્થાઓ, ખાનગી વિક્રેતા પાસેથી જ બિયારણ ખરીદીનો આગ્રહ રાખવો, જેથી છેતરપિંડીથી બચી શકાય. લાયસન્સ ન ધરાવતા વ્યક્તિ, ફેરિયાઓ, પેઢીઓ પાસેથી બિયારણ ન ખરીદવા સૂચના છે. બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પુરુ નામ, સરનામુ, જે બિયારણ ખરીદ્યું હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદ્દત પૂરી થવાની વિગતો દર્શાવતું બિલ સહી સાથે અવશ્ય લેવું. બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ તેની ચકાસણી અવશ્ય કરવી.

અમાન્ય બિયારણની ખરીદી ખેડૂતોએ ટાળવી. અમાન્ય બિયારણ વેચનાર ધ્યાનમાં આવે તો તાત્કાલિક સંબંધિત એગ્રીકલ્ચર ઇન્સપેક્ટર અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તર)ને તુરંત જ જાણ કરવી ઉપરાંત વધુમાં જાણકારી માટે નાયબ ખેતી નિયામકશ્રી(વિસ્તરણ)ની કચેરી, ૩૦૧, બી-બ્લોક, બહુમાળી ભવન, અમરેલીનો સંપર્ક કરવા નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ) દ્વારા જણાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: હવે રાજધાની દિલ્હીમાં કરી શકાશે સોમનાથના દર્શન, ગુજરાત સરકારે મંદિરની 3D ગુફા બનાવી, જાણો ખાસિયત

ગુજરાતમાં અનેક વખત ખેડૂતોને બિયારણ બાબતે અમરેલી જૂનાગઢ ગીરસોમનાથ સહિત ના જિલ્લાની અંદર વિવિધ મુદ્દાઓ સામે આવી રહ્યા છે ક્યારેક બિયારણનો ઉગાવો નથી મળી રહ્યો. તો ક્યારેક બિયારણ ની અંદર કોઈપણ પ્રકારની તકલીફો સર્જાતી હોય છે જેથી લાયસન્સ ધારકો પાસેથી બિયારણ ખરીદવાનો આગ્રહ રાખવો જરૂરી છે.

ખેડૂતો મિત્રોને બિયારણ ખરીદતી વખતે પાકા બિલ લેવા જોઈએ જેથી કરીને ભવિષ્યની અંદર કોઈપણ મુશ્કેલી સર્જાય નહીં અને બિયારણ લેતી વખતે તમામ વિગતો ચકાસીયા બાદ જ બિયારણ લેવું જરૂરી છે.

Share your comments

Subscribe Magazine

More on News

More